જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવાનો સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ, ગુજરાતમાં પણ તેની અસર પડે તેવી શક્યતા
કોરોના વાઈરસના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. રથયાત્રા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો રથયાત્રા માટે પરવાનગી આપવામાં આવશે તો ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને કોર્ટ તેના માટે […]
કોરોના વાઈરસના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. રથયાત્રા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો રથયાત્રા માટે પરવાનગી આપવામાં આવશે તો ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને કોર્ટ તેના માટે પરવાનગી આપી શકતી નથી. ઉલ્લેખનીય છે કે 23 જૂનથી રથયાત્રા શરૂ થવાની હતી. આ ઉત્સવ આગામી 20 દિવસ સુધી ચાલુ રહે છે. સુપ્રીમ કોર્ટના આદેશની ગુજરાતમાં પણ અસર પડે તેવી શક્યતાઓ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો