AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટે સિદ્ધુને સંભળાવી એક વર્ષની જેલની સજા, જાણો કોંગ્રેસ નેતા પાસે શું છે વિકલ્પો, અરજી કરશે કે તરત જેલમાં જશે?

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને (Navjot Singh Siddhu) 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા સંભળાવી છે. સિદ્ધુને સજા પૂરી કરવા માટે કસ્ટડીમાં લેવામાં આવશે. કોર્ટે સિદ્ધુને અરજીની સમીક્ષા કરવાની પણ મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટે સિદ્ધુને સંભળાવી એક વર્ષની જેલની સજા, જાણો કોંગ્રેસ નેતા પાસે શું છે વિકલ્પો, અરજી કરશે કે તરત જેલમાં જશે?
Navjot Singh SidhuImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 8:49 PM
Share

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને (Navjot Singh Siddhu) એક વર્ષની જેલની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે 1998ના રોડ રેજ કેસમાં (Road Rage Cases) રિવ્યુ પિટિશનની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો છે. આ સાથે કોર્ટે સિદ્ધુને અરજીની સમીક્ષા કરવાની પણ મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1988માં સિદ્ધુના હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા સ્થિત તેમના ઘરેથી ચંદીગઢ રવાના થઈ ગયા છે. માનવામાં આવે છે કે આ નિર્ણયને લઈને સિદ્ધુ પોતાના વકીલને મળવા જઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું નવજોત સિંહ સિદ્ધુ પાસે કોઈ વિકલ્પ બચ્યો છે કે પછી તેમને જેલમાં જવું પડશે. ચાલો જાણીએ કે સજાથી બચવા માટે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પાસે કયા વિકલ્પો બચ્યા છે.

1- ક્યુરેટિવ પિટિશન- નવજોત સિંહ સિદ્ધુ પાસે સંપૂર્ણપણે ક્યુરેટિવ પિટિશનનો વિકલ્પ છે. સિદ્ધુ સુપ્રીમ કોર્ટના નિર્ણયને ક્યુરેટિવ પિટિશન દ્વારા પડકારી શકે છે. જો કે, આવા કિસ્સામાં તે સુપ્રીમ કોર્ટ પર નિર્ભર છે કે તે આ મામલે સુનાવણી કરશે કે નહીં.

2- સરેન્ડર કરવા માટે સમયની માંગ- નવજોત સિંહ સિદ્ધુ પોલીસ સમક્ષ સરેન્ડર કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે થોડો સમય માંગી શકે છે. જો કે, સિદ્ધુ સુપ્રીમ કોર્ટમાં સમય માંગવા માટે જેનો ઉલ્લેખ કરશે તે મુજબ કોર્ટ નક્કી કરશે કે તેમને સમય આપવો કે નહીં.

આ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને સજા થઈ છે

સુપ્રીમ કોર્ટે આજે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુને 1988ના ‘રોડ રેજ’ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી છે. જસ્ટિસ એએમ ખાનવિલકર અને એસકે કૌલની બેન્ચે સિદ્ધુને આપવામાં આવેલી સજાના મુદ્દે પીડિતાના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને મંજૂરી આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે મે 2018માં સિદ્ધુને આ કેસમાં 65 વર્ષીય વ્યક્તિને “ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવાના” ગુનામાં દોષિત ઠેરવ્યો હતો, પરંતુ રૂ. 1,000નો દંડ ફટકાર્યા બાદ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

ચુકાદા દરમિયાન બેન્ચે શું કહ્યું?

ચુકાદો સંભળાવતી વખતે બેન્ચે કહ્યું “અમને લાગે છે કે રેકોર્ડમાં ભૂલ સ્પષ્ટ છે… તેથી, અમે સજાના મુદ્દા પર સમીક્ષા અરજીને મંજૂરી આપી છે.” લાદવામાં આવેલા દંડ ઉપરાંત, અમે તેને એક વર્ષની કેદની સજા આપવાનું યોગ્ય માનીએ છીએ. સપ્ટેમ્બર 2018માં સર્વોચ્ચ અદાલત મૃતકના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર ધ્યાન આપવા માટે સંમત થઈ હતી અને નોટિસ જાહેર કરી હતી, જે સજાની માત્રા સુધી મર્યાદિત હતી.

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">