AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue of Equality: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ- ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ દેશ અને વિશ્વ માટે એક મોટી ભેટ

અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે 21મી સદી છે, પરંતુ ઘણી સદીઓ પહેલા જે વિચારો આપવામાં આવ્યા હતા તે આજે પણ એટલા જ સાચા છે, વિચારો એટલા જ મોટા પણ છે.

Statue of Equality: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ- 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' દેશ અને વિશ્વ માટે એક મોટી ભેટ
Anurag Thakur - Statue Of Equality
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 8:01 PM
Share

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર (Union Minister Anurag Thakur) રવિવારે હૈદરાબાદમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ (Statue of Equality) પહોંચ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાના સંબોધનમાં સૌ પ્રથમ આ શુભ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે 21મી સદી છે, પરંતુ ઘણી સદીઓ પહેલા જે વિચારો આપવામાં આવ્યા હતા તે આજે પણ એટલા જ સાચા છે, વિચારો એટલા જ મોટા પણ છે. એમ પણ કહ્યું કે મને ખુશી છે કે સમાનતાના પ્રતિક ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ માત્ર 216 ફૂટ ઉંચી નથી પરંતુ તેણે દેશ અને દુનિયાને એક મોટી ભેટ આપી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતની ધરતીને એટલા માટે પણ મહાન કહેવામાં આવે છે કારણ કે આજે પણ હજારો વર્ષ જૂનો ઈતિહાસ ભારતને વિશ્વમાં એક અલગ સ્થાને ઉભો કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણી છેલ્લી કેટલીક પેઢીઓ પશ્ચિમ તરફ જોવા લાગી, સત્ય એ છે કે આજે સમગ્ર પશ્ચિમ ભારત તરફ જોઈ રહ્યું છે. અગાઉ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમાજ સુધારક અને 11મી સદીના સંત રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

રામાનુજાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ કરવું એ મારૂ પરમ સૌભાગ્ય – રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) આજે હૈદરાબાદમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ સંકુલ પાસે શ્રી રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે સ્વામીજીને નમન કરી અને આરતી કરી હતી. આ દરમિયાન સમગ્ર પરીસર ભક્તિમય બની ગયું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ચિન્ના જીયર સ્વામીએ આ દેશમાં રામાનુજાચાર્યજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરીને ઈતિહાસ રચ્યો છે.

ભારતના ગૌરવશાળી ઈતિહાસમાં ભક્તિ અને સમાનતાના મહાન ધ્વજવાહક ભાગવત શ્રી રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી સ્મૃતિ મહા મહોત્સવના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન. આ સમારોહમાં ભાગ લેવો અને રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કરવું મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે 5મી ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામાનુજાચાર્યજીની ભવ્ય સમતા મૂર્તિનું અનાવરણ કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘સ્વામીજીની પ્રતિમાથી આ વિસ્તારમાં હંમેશા વિશેષ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થતો રહેશે. આ વિસ્તારનું નામ રામ નગર પડવું એ દિવ્ય સંયોગ છે. આ પ્રદેશ ભક્તિની ભૂમિ છે.’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘તેલંગાણાની દરેક મુલાકાત મારા માટે મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : Statue Of Equality: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું કર્યું અનાવરણ, કહ્યું- આ મારું પરમ સૌભાગ્ય

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">