AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue Of Equality: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું કર્યું અનાવરણ, કહ્યું- આ મારું પરમ સૌભાગ્ય

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રી રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કર્યું. તેમણે સ્વામીજીને નમન કરી અને આરતી કરી હતી. આ દરમિયાન સમગ્ર પરીસર ભક્તિમય બની ગયું હતું.

Statue Of Equality: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું કર્યું અનાવરણ, કહ્યું- આ મારું પરમ સૌભાગ્ય
President Ram Nath Kovind - Statue Of Equality
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 5:26 PM
Share

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) આજે હૈદરાબાદમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ (Statue Of Equality) સંકુલ પાસે શ્રી રામાનુજાચાર્યની (Ramanujacharya) સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે સ્વામીજીને નમન કરી અને આરતી કરી હતી. આ દરમિયાન સમગ્ર પરીસર ભક્તિમય બની ગયું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ચિન્ના જીયર સ્વામીએ આ દેશમાં રામાનુજાચાર્યજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતના ગૌરવશાળી ઈતિહાસમાં ભક્તિ અને સમાનતાના મહાન ધ્વજવાહક ભાગવત શ્રી રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી સ્મૃતિ મહા મહોત્સવના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન. આ સમારોહમાં ભાગ લેવો અને રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કરવું મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે 5મી ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામાનુજાચાર્યજીની ભવ્ય સમતા મૂર્તિનું અનાવરણ કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘સ્વામીજીની પ્રતિમાથી આ વિસ્તારમાં હંમેશા વિશેષ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થતો રહેશે. આ વિસ્તારનું નામ રામ નગર પડવું એ દિવ્ય સંયોગ છે. આ પ્રદેશ ભક્તિની ભૂમિ છે.’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘તેલંગાણાની દરેક મુલાકાત મારા માટે મહત્ત્વપૂર્ણ છે.

પરંતુ આજની મુલાકાત દરમિયાન મને દેશની આધ્યાત્મિક અને સામાજિક પરંપરાના મહાન અધ્યાય સાથે જોડવાનું સૌભાગ્ય મળ્યું છે. 100 વર્ષની ઉંમર સુધી સક્રિય રહેવાનો સંકલ્પ શ્રી રામાનુજાચાર્યના જીવનમાં સાર્થક હતો. સ્વામીજીએ તેમના 100 વર્ષથી વધુ જીવનની સફર દરમિયાન આધ્યાત્મિક અને સામાજિક પ્રકૃતિને વૈભવ આપ્યો છે.

તેમણે કહ્યું, ‘લોકોમાં ભક્તિ અને સમાનતાનો સંદેશ ફેલાવવા માટે શ્રી રામાનુજાચાર્યએ શ્રી રંગમ કાંચીપુરમ, તિરુપતિ, સિંઘાંચલમ અને બદ્રીનાથ, નૈમશારણ્ય, દ્વારકા, પ્રયાગ, મથુરા, અયોધ્યા, ગયા, પુષ્કર અને આંધ્ર પ્રદેશના અન્ય પ્રદેશોની મુલાકાત લીધી. શ્રી રામાનુજાચાર્યએ દક્ષિણની ભક્તિ પરંપરાને બૌદ્ધિક આધાર પૂરો પાડ્યો છે.’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘આ ભવ્ય અને વિશાળ પ્રતિમા માત્ર પંચ ધાતુની બનેલી મૂર્તિ નથી. આ પ્રતિમા ભારતની સંત પરંપરાનું મૂર્ત સ્વરૂપ છે. આ પ્રતિમા ભારતના સમતાવાદી સમાજના સપનાનું મૂર્ત સ્વરૂપ છે.

PM મોદીએ ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ પ્રતિમાનું અનાવરણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ફેબ્રુઆરીએ 11મી સદીના વૈષ્ણવ સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં 216 ફૂટ ઉંચી ‘સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી’ પ્રતિમાનું અનાવરણ કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. રામાનુજાચાર્યએ રાષ્ટ્રીયતા, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક માનવીની ભાવના સાથે લોકોના ઉત્થાન માટે અથાક કામ કર્યું હતું. શ્રી રામાનુજાચાર્યને ભારતની એકતા અને અખંડિતતાના પ્રેરણાસ્ત્રોત ગણાવતા તેમણે કહ્યું કે તેઓ ભલે દેશના દક્ષિણ ભાગમાં જન્મ્યા હોય પરંતુ તેમનો પ્રભાવ સમગ્ર ભારત પર છે.

આ પણ વાંચો : Statue Of Equality: ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ નવા ભારત માટે રામાનુજાચાર્યની ઉપદેશોને આત્મસાત કરવાની કરી અપીલ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">