જાણો, ઓબીસી બિલથી અનામત સિસ્ટમ પર શું થશે અસર ? SC-STનો ક્વોટા ઘટશે ?

OBC Bill: નવા OBC બિલ મુજબ રાજ્ય સરકારો તેમના સ્તરે ઓબીસી જ્ઞાતિઓની યાદી બનાવશે અને તેમના અનામતનો નિર્ણય રાજ્યપાલ મારફતે કરવામાં આવશે. બીજી બાજુ, કેન્દ્ર સરકાર તેના સ્તરે OBC યાદી તૈયાર કરશે, જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવશે.

જાણો, ઓબીસી બિલથી અનામત સિસ્ટમ પર શું થશે અસર ? SC-STનો ક્વોટા ઘટશે ?
demand for maratha reservation (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:18 PM

આગામી સમયમાં રાજ્યો અન્ય પછાત વર્ગો એટલે કે OBC ની યાદી બનાવી શકશે. રાજ્યોને આ અધિકાર આપવા માટે સંસદમાં બંધારણ સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું છે. જેને બંધારણ 127 મો સુધારો બિલ, 2021 તરીકે ઉલ્લેખ કરાયો છે. આ બિલ દ્વારા, રાજ્યોના અધિકારને પુન પ્રસ્થાપિત કરાયા છે. જેમાં હવે રાજ્યો તેમના સ્તરે ઓબીસી જાતિઓની યાદી તૈયાર કરી શકશે. આ દિશામાં પગલાં લેવા માટે કલમ 342A માં સુધારો કરવો પડશે. આ સાથે, બંધારણની કલમ 338B અને 366 માં બંધારણીય ફેરફારો કરવાની જરૂર રહેશે.

આ સુધારા બિલને જાણતા પહેલા, આપણે પહેલા એ જાણવુ પડશે કે આપણા બંધારણમાં અનુસૂચિત જાતિ ( SC ) અને અનુસૂચિત જનજાતી ( ST) માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ એવું પણ કહેવામાં આવ્યું હતું કે સામાજિક અને શૈક્ષણિક સ્તરે પછાત જાતિઓ માટે એક કમિશન બનાવવામાં આવશે. આ પંચના કાર્યમાં પછાત વર્ગોના સુધારણા માટે લઈ શકાય તેવા પગલાં વિશે ભલામણો કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.

આ માટે 1953 માં કાકા કાલેલકરની અધ્યક્ષતામાં એક કમિશન બનાવવામાં આવ્યું હતું, જેમણે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે ઘણી ભલામણો કરી હતી, પરંતુ તેનો અમલ થયો ન હતો. ત્યાર બાદ બીપી મંડળના નેતૃત્વમાં 1978 માં બીજું કમિશન રચાયું હતું, જે મંડળ કમિશન તરીકે ઓળખાય છે. મંડલ કમિશને 1980 માં પોતાનો રિપોર્ટ આપ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમાજના કયા કયા વર્ગ આર્થિક અને સામાજિક રીતે પછાત છે. આયોગે તેમના અહેવાલમાં જણાવેલા વર્ગ અન્ય પછાત વર્ગ હેઠળ આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અનામતનો મુદ્દો મંડલ કમિશનની ભલામણનો પણ અમલ થયો ન હતો. 1990 માં જ્યારે વીપી સિંહની સરકાર આવી ત્યારે તેમણે આ ભલામણનો અમલ કર્યો અને સામાજિક અને આર્થિક રીતે પછાત જાતિઓ (OBC) માટે 27 ટકા અનામતની જોગવાઈ કરી. પહેલા આપણા બંધારણમાં SC અને ST માટે જ અનામતની જોગવાઈ હતી, પરંતુ બાદમાં OBC માટે પણ 27 ટકા અનામતનો નિયમ કરવામાં આવ્યો. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ઇન્દિરા સાહની કેસની નોંધ લેતા સુપ્રિમ કોર્ટે ઓબીસી અનામતને યોગ્ય ઠેરવ્યું. કોર્ટે ક્રીમી લેયર વિશે વાત કરી અને કહ્યું કે તેને ઓબીસી અનામતમાંથી બહાર કાઢવાની જરૂર છે. જેથી સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોને અનામતનો લાભ મળી શકે.

કમિશન બનાવવાની જરૂર છે ? સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ભાર મૂક્યો હતો કે આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો માટે આયોગની રચના કરવાની જરૂર છે. અગાઉ, એસસી-એસટી કમિશનની રચના કરવામાં આવી હતી. જેને બંધારણીય સત્તાઓ મળી હતી. આ આધારે સંસદમાં એવી માગણી કરવામાં આવી હતી કે ઓબીસી માટે પણ એક પંચ બનાવવું જોઈએ અને તેને બંધારણીય દરજ્જો પણ આપવો જોઈએ. આ માટે 2018 માં બંધારણની કલમ 338B માં સુધારો કરીને OBC કમિશનની રચના કરવામાં આવી હતી. આ માટે 102 મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો, જેનો વિરોધ પક્ષોએ વિરોધ કર્યો હતો.

વિપક્ષનું કહેવુ હતુ કે રાજ્યો પાસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત આપવાનો અધિકાર છે. એ આધારે ઓબીસી માટે પણ કાયદો હોવો જોઈએ જેનો અધિકાર રાજ્યો પાસે હોય. 2018માં કરાયેલા બંધારણ સુધારામાં રાષ્ટ્રપતિને અધિકાર આપવામાં આવ્યો કે, તેઓ જ રાજ્યોના ઓબીસી યાદી અંગે નિર્ણય કરી શકે. પરંતુ જો રાજ્યોને આ અધિકાર આપવામાં આવે તો ઓબીસીની યાદી બનાવવાનો અધિકારી રાજ્યપાલ પાસે જાય. આથી બંધારણ 127 મો સુધારો બિલ, 2021 લાવવામાં આવ્યુ. જેથી રાજ્ય સરકાર હવે તેમના રાજ્યની ઓબીસીની યાદી બનાવી શકે

નવા બિલનું શું થશે નવા બિલ મુજબ રાજ્ય સરકારો તેમના સ્તરે ઓબીસી જાતિઓની યાદી બનાવશે અને તેમના આરક્ષણનો નિર્ણય રાજ્યપાલ મારફતે કરવામાં આવશે. બીજી બાજુ, કેન્દ્ર તેના સ્તરે OBC યાદી તૈયાર કરશે, જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પહેલેથી જ ચુકાદો આપ્યો છે કે અનામતની મર્યાદા 50 ટકાથી વધુ ન હોઈ શકે, જેમાં OBC ક્વોટા 27 ટકા નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ 10 ટકા સામાજિક અને આર્થિક પછાત વર્ગ માટે અલગ રાખવામાં આવ્યા હતા, જેનો લાભ લોકોને આપવામાં આવી રહ્યો છે. મરાઠા અનામતનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, જેના પર કોર્ટે કહ્યું કે આ અધિકાર કેન્દ્ર પાસે છે.

અત્યાર સુધીનો નિયમ એ છે કે રાજ્યો ઓબીસીની યાદી તૈયાર કરે છે અને ઓબીસી કમિશન પાસે રજૂ કરે છે. જ્યાં તેઓ ઓબીસીની યાદી અને તેની જાતિઓ નક્કી કરે છે અને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલે છે. હવે નવા બિલ મુજબ રાજ્યો પોતાની યાદી બનાવી શકે છે અને તેના પર નિર્ણય લઇ શકે છે. આ સિવાય કેન્દ્રની યાદી અલગથી બનાવવામાં આવશે.

કેન્દ્રને પણ રાજ્યોની સાથે ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર હશે. હવે રાજ્યોની જવાબદારી વધુ વધશે કારણ કે તેમણે નક્કી કરવાનું છે કે કઈ જાતિ ખરેખર સામાજિક અને આર્થિક રીતે પછાત છે, જેને અનામતનો લાભ આપવો જોઈએ. જો ક્રીમી લેયર હશે તો તેને અનામતના લાભથી દૂર કરવાની જવાબદારી પણ રાજ્યોની રહેશે.

ક્વોટાને અસર નહીં થાય હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે ઓબીસી માટે અલગથી અનામતની જોગવાઈ હશે, તો તે 50 ટકા મર્યાદાનું શું થશે ? જે પહેલાથી જ નક્કી છે. આ બાબતે જાણકારો કહે છે કે 50 ટકાની મર્યાદા પહેલાથી જ ઓળંગી ચૂકી છે જ્યારે OBC માટે અલગથી 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી કે જેઓ ગરીબ છે તેમને પણ અનામતનો લાભ મળવો જોઈએ.

આ નવા બિલનો લાભ મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં વધુ દેખાશે. જ્યાં ઓબીસી ક્વોટાની માંગણી અવારનવાર કરવામાં આવી છે. હવે રાજ્યો ઓબીસીની યાદી બનાવવા માટે કાયદો બનાવી શકશે અને તેના આધારે તેઓ અનામત નક્કી કરી શકશે.

50 ટકા અનામતનું શું થશે? જ્યાં સુધી 50 ટકા ક્વોટાનો સવાલ છે, તો ના તો સુપ્રીમ કોર્ટે તેની કોઈ સ્પષ્ટતા આપી છે કે ના તો સંસદમાં આ અંગે કોઈ કાયદો બનાવીને તેને પસાર કરાયો છે. સુપ્રીમ કોર્ટે ઇન્દિરા સાહની કેસમાં 50 ટકા ક્વોટા નક્કી કરવાની વાત કરી હતી, પરંતુ તે કોઈપણ બંધારણીય કાયદાની શ્રેણીમાં આવતી નથી. તેને બદલવું શક્ય છે. જો સરકાર કારણ આપે કે 50 ટકા ક્વોટાથી ઉપર જવાની જરૂર છે, તો આ મર્યાદા પણ સરળતાથી પાર કરી શકાય છે.

સરકારે OBC માટે 10 ટકા ક્વોટા નક્કી કર્યો છે, જે 50 ટકાથી અલગ છે. ઉપરાંત, તમિલનાડુમાં 50 ટકા ક્વોટા પહેલાથી જ પાર થઈ ગયો છે. તેથી, ઓબીસી અનામતને કારણે, એસસી-એસટી ક્વોટા પર કોઈ અસર થશે નહીં. જો આવું ક્યાંક થાય તો સુપ્રીમ કોર્ટ તે અંગે કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંંચોઃ Positive News: ઓક્ટોબરમાં આવશે બાળકો માટે વેક્સિન, નાગપુરમાં બાળકો ઉપર થયું ટેસ્ટીંગ, આખરી પરીણામની જોવાઈ રહી છે રાહ

આ પણ વાંચોઃTMKOC: જેઠાલાલે આ શું કરી દીધુ? પોતાના જ પરમમિત્રની નોકરી મુકી દીધી જોખમમાં!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">