AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP : મુખ્યમંત્રી યોગીના ડુપ્લીકેટ અને અખિલેશ યાદવના સ્ટાર પ્રચારકનું શંકાસ્પદ મોત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દેખાતા સુરેશ કુમાર યોદ્ધાનું અવસાન થયું છે. સુરેશ કુમાર યોદ્ધા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના સ્ટાર પ્રચારક હતા. ઘણી વખત તેઓ અખિલેશ યાદવ સાથે ચૂંટણી પ્રચારના મંચ પર જોવા મળ્યા હતા.

UP : મુખ્યમંત્રી યોગીના ડુપ્લીકેટ અને અખિલેશ યાદવના સ્ટાર પ્રચારકનું શંકાસ્પદ મોત
UP News
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 10:31 PM
Share

UP : વિધાનસભા ચૂંટણી-2022માં સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક સુરેશ કુમાર યોદ્ધા (Suresh kumar Yoddha) (યોગીના ડુપ્લિકેટ)ની હત્યા કરવામાં આવી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને જાણકારી આપી છે. સુરેશ ઉન્નાવ જિલ્લાનો રહેવાસી હતો. તેના નિધન પર સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે, “સપા પ્રચારક તરીકે પોતાની એક અલગ ઓળખ બનાવનાર સુરેશ ઠાકુરની હત્યા અત્યંત હૃદયદ્રાવક છે. ગુનેગારો સામે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સરકારને અપીલ છે…ભાવભિની શ્રદ્ધાંજલિ.”

આ પણ વાંચો રાજ્યસભામાંથી સસ્પેન્શન બાદ રાઘવ ચઢ્ઢાનું નિવેદન આવ્યું સામે, કહ્યું- હું ચૂપ નહીં રહું !

તમને જણાવી દઈએ કે સુરેશ કુમાર યોદ્ધા ઉન્નાવના સોહરામાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોપાઈ ગામના રહેવાસી હતા. તેની પત્નીએ જણાવ્યું કે ગયા મહિને 28 જુલાઈના રોજ સુરેશને તેની પડોશમાં રહેતા બે ભાઈઓએ નિર્દયતાથી માર માર્યો હતો. માર મારવાથી તે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપી દીધી હતી. આજે સવારે સુરેશનું અવસાન થયું હતું. માહિતી મળતાં પોલીસે સુરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સુરેશના મૃત્યુની માહિતી મળતા જ મોટી સંખ્યામાં સપાના કાર્યકરો અને નેતાઓ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા.

સુરેશ કુમારની પત્નીએ ઉન્નાવ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા

સુરેશનું મૃત્યુ કેવી રીતે થયું તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સુરેશ કુમારની પત્નીએ ઉન્નાવ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે હુમલા બાદ તેણે સોહરામાઉ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. પત્નીએ કહ્યું કે પોલીસ આરોપી સાથે મિલીભગત કરી રહી છે. મારપીટની ઘટના બાદ તે વારંવાર પોલીસ સ્ટેશને ધકા ખાધા હતા, પરંતુ પોલીસે તેની વાત સાંભળી ન હતી. પોલીસ આરોપીને બચાવ કરી રહી છે.

સુરેશ કુમાર યોદ્ધા દેખાવમાં સીએમ યોગી જેવો જ લાગતો હતો

સુરેશ કુમાર યોદ્ધા સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ઘણીવાર સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે જોવા મળતા હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવો લાગતો હતો. યોગી જેવા ભગવા કપડાં પહેરવા, તેમના જેવી જ બોલીનો ઉપયોગ કરવો વગેરે સીએમ યોગી જેવા જ હતા.

સુરેશ દ્વારા અખિલેશ યાદવ સીએમ યોગી પર નિશાન સાધતા હતા

વિધાનસભા ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ સાથે સુરેશનો એક ફોટો ચર્ચામાં આવ્યો હતો. તેઓ પ્લેનની અંદર અખિલેશ સાથે લંચ કરતા જોવા મળ્યા હતા. આ ફોટો એક જ એરપોર્ટ પર સાથે લેવામાં આવ્યો હતો. સપા ચીફ સાથે તેમની નિકટતાને જોઈને લોકોએ એવું પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે સુરેશ જલ્દી જ પાર્ટીમાં મોટું પદ મેળવી શકે છે. અખિલેશ યાદવ જ્યાં પણ પ્રચાર માટે જતા હતા ત્યાં સુરેશને સાથે લઈ જતા હતા. સુરેશ દ્વારા તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ પણ કરતા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
g clip-path="url(#clip0_868_265)">