4 ફેબ્રુઆરી સોમવારે સર્જાશે 71 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ : કરો આ ઉપાય અને રાહુલ, કેતુ તથા શનિના કષ્ટોમાંથી મેળવો છુટકારો
4 ફેબ્રુઆરી સોમવારે સોમવતી અને મૌની અમાવસ્યા પર મહાયોગ બની રહ્યો છે. આ દુર્લભ યોગ 71 વર્ષ બાદ કુંભ દરમિયાન બની રહ્યો છે. માન્યતા છે કે આ દુર્લભ યોગમાં ગંગા સ્નાન, દાન-પુણ્ય કરવાથી રાહુ, કેતુ અને શનિથી સંબંધિત કષ્ટોમાંથી મુક્તિ મળશે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ […]
4 ફેબ્રુઆરી સોમવારે સોમવતી અને મૌની અમાવસ્યા પર મહાયોગ બની રહ્યો છે. આ દુર્લભ યોગ 71 વર્ષ બાદ કુંભ દરમિયાન બની રહ્યો છે.
માન્યતા છે કે આ દુર્લભ યોગમાં ગંગા સ્નાન, દાન-પુણ્ય કરવાથી રાહુ, કેતુ અને શનિથી સંબંધિત કષ્ટોમાંથી મુક્તિ મળશે.
આ પણ વાંચો : આર્મીમાં એક નવા અધિકારને લઈને શરુ થયો જંગ, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, મોદી સરકાર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ 4 ફેબ્રુઆરી સોમવારે અમાવસ્યાની સાથે-સાથે સોમવતી અમાવસ્યાનો અદ્ભુત યોગ બની રહ્યો છે. સાથે જ શ્રવણ નક્ષત્ર, વ્યતિપાદ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. જોકે સામાન્ય રીતે પણ સર્વાર્થ સિદ્ધિ યોગ વિશેષ હોય છે, પરંતુ કુંભ દરમિયાન આ યોગ થવાથી તેનું મહત્વ ઓર વધી ગયું છે.
સોમવતી અમાવસ્યાએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ વખતે 71 વર્ષ બાદ આ મહાયોગ બની રહ્યો છે. ગ્રહોનો અદ્ભુત સંયોગ અમાવસ્યાને વધુ વિશેષ બનાવી રહ્યો છે.
1948માં સર્જાયો હતો આવો યોગ
જ્યોતિષીય ગણના મુજબ કુંભ દરમિયાન મહોદય યોગ 71 વર્ષ પહેલા 9 ફેબ્રુઆરી, 1948ના રોજ સર્જાયો હતો. એટલું જ નહીં, અમૃતનો ગ્રહ ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં હશે. દેવ ગુરુ અને દૈત્ય ગુરુ વચ્ચે સુંદર સંબંધ જળવાઈ રહેશે. રાહુ તથા બૃહસ્પતિ એક સાથે હશે અને શનિ તથા સૂર્યના સંબંધના કારણે મૌની અમાવસ્યા પર્વ લાભકારી સિદ્ધ થશે.
અમાવસ્યાની તિથિ 3 ફેબ્રુઆરીની રાત્રે 11.50 વાગ્યે જ શરુ થઈ જશે કે જે 5 ફેબ્રુઆરીની રાત્રે 2.30 વાગ્યા સુધી રહેશે. સૂર્યોદય કાળ 4 ફેબ્રુઆરીએ થશે, તેથી સ્નાન-દાન કરવું 4 ફેબ્રુઆરીએ જ શુભ ગણાશે. મૌની અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ તથા પિતૃ શ્રાદ્ધ પણ અક્ષય ફળ આપે છે. ચંદ્રનું નક્ષત્ર શ્રવણ છે અને ચંદ્રનો દિવસ સોમવાર છે. આ વખતે આ સંયોગ આ છે કે મૌની અમાવસ્યાના દિવસે ભગવાન ભાસ્કર પણ ચંદ્રના નક્ષત્રમાં પ્રવેશ કરી સિદ્ધિ યોગ બનાવશે.
આ દિવસે કરો આ ઉપાયો
મૌની અમાવસ્યાના દિવસે કીડીઓને ખાંડથી ગૂંથેલો લોટ ખવડાવો. તેનાથી આપની મનોકામના પૂરી થશે. આ દિવસે સવારે સ્નાન આદિ કર્યા બાદ લોટની ગોળીઓ બનાવો. ત્યાર બાદ કોઇક તળાવ કે નદીમાં જઈ આ લોટની ગોળીઓ માછલીઓને ખવડાવી દો. આ ઉપાયથી આપના જીવનની અનેક મુશ્કેલીઓ, સંકટો અને કષ્ટોનો અંત આવી શકે છે. સાંજના સમયે ઘરના ઈશાન ખૂણે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. બાતીમાં રૂના સ્થાને લાલ રંગના ધાગાનો ઉપયોગ કરો.