AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 ફેબ્રુઆરી સોમવારે સર્જાશે 71 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ : કરો આ ઉપાય અને રાહુલ, કેતુ તથા શનિના કષ્ટોમાંથી મેળવો છુટકારો

4 ફેબ્રુઆરી સોમવારે સોમવતી અને મૌની અમાવસ્યા પર મહાયોગ બની રહ્યો છે. આ દુર્લભ યોગ 71 વર્ષ બાદ કુંભ દરમિયાન બની રહ્યો છે. માન્યતા છે કે આ દુર્લભ યોગમાં ગંગા સ્નાન, દાન-પુણ્ય કરવાથી રાહુ, કેતુ અને શનિથી સંબંધિત કષ્ટોમાંથી મુક્તિ મળશે. આ પણ વાંચો : આર્મીમાં એક નવા અધિકારને લઈને શરુ થયો જંગ, મામલો પહોંચ્યો સુપ્રીમ […]

4 ફેબ્રુઆરી સોમવારે સર્જાશે 71 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ : કરો આ ઉપાય અને રાહુલ, કેતુ તથા શનિના કષ્ટોમાંથી મેળવો છુટકારો
| Updated on: Feb 02, 2019 | 10:05 AM
Share

4 ફેબ્રુઆરી સોમવારે સોમવતી અને મૌની અમાવસ્યા પર મહાયોગ બની રહ્યો છે. આ દુર્લભ યોગ 71 વર્ષ બાદ કુંભ દરમિયાન બની રહ્યો છે.

માન્યતા છે કે આ દુર્લભ યોગમાં ગંગા સ્નાન, દાન-પુણ્ય કરવાથી રાહુ, કેતુ અને શનિથી સંબંધિત કષ્ટોમાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો : આર્મીમાં એક નવા અધિકારને લઈને શરુ થયો જંગ, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, મોદી સરકાર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 4 ફેબ્રુઆરી સોમવારે અમાવસ્યાની સાથે-સાથે સોમવતી અમાવસ્યાનો અદ્ભુત યોગ બની રહ્યો છે. સાથે જ શ્રવણ નક્ષત્ર, વ્યતિપાદ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. જોકે સામાન્ય રીતે પણ સર્વાર્થ સિદ્ધિ યોગ વિશેષ હોય છે, પરંતુ કુંભ દરમિયાન આ યોગ થવાથી તેનું મહત્વ ઓર વધી ગયું છે.

આ પણ વાંચો : બિહારમાં સામે આવ્યો વિચિત્ર કિસ્સો : આ તાંત્રિક પોતાના એન્જિનિયર પુત્રની આપવા માંગે છે બલિ, આખરે કેમ ? તાંત્રિકની શોધમાં લાગ્યું તંત્ર : જુઓ VIDEO

સોમવતી અમાવસ્યાએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ વખતે 71 વર્ષ બાદ આ મહાયોગ બની રહ્યો છે. ગ્રહોનો અદ્ભુત સંયોગ અમાવસ્યાને વધુ વિશેષ બનાવી રહ્યો છે.

1948માં સર્જાયો હતો આવો યોગ

જ્યોતિષીય ગણના મુજબ કુંભ દરમિયાન મહોદય યોગ 71 વર્ષ પહેલા 9 ફેબ્રુઆરી, 1948ના રોજ સર્જાયો હતો. એટલું જ નહીં, અમૃતનો ગ્રહ ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં હશે. દેવ ગુરુ અને દૈત્ય ગુરુ વચ્ચે સુંદર સંબંધ જળવાઈ રહેશે. રાહુ તથા બૃહસ્પતિ એક સાથે હશે અને શનિ તથા સૂર્યના સંબંધના કારણે મૌની અમાવસ્યા પર્વ લાભકારી સિદ્ધ થશે.

આ પણ વાંચો : આતંકીઓ સામે ઘૂંટણિયે પડી રહેમની ભીખ માંગતી રહી ઇશરત, પણ ક્રૂર નરાધમ આતંકીઓને ન આવી દયા અને ગોળીઓથી વીંધી નાખી ઇશરતને : VIDEO

અમાવસ્યાની તિથિ 3 ફેબ્રુઆરીની રાત્રે 11.50 વાગ્યે જ શરુ થઈ જશે કે જે 5 ફેબ્રુઆરીની રાત્રે 2.30 વાગ્યા સુધી રહેશે. સૂર્યોદય કાળ 4 ફેબ્રુઆરીએ થશે, તેથી સ્નાન-દાન કરવું 4 ફેબ્રુઆરીએ જ શુભ ગણાશે. મૌની અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ તથા પિતૃ શ્રાદ્ધ પણ અક્ષય ફળ આપે છે. ચંદ્રનું નક્ષત્ર શ્રવણ છે અને ચંદ્રનો દિવસ સોમવાર છે. આ વખતે આ સંયોગ આ છે કે મૌની અમાવસ્યાના દિવસે ભગવાન ભાસ્કર પણ ચંદ્રના નક્ષત્રમાં પ્રવેશ કરી સિદ્ધિ યોગ બનાવશે.

આ દિવસે કરો આ ઉપાયો

મૌની અમાવસ્યાના દિવસે કીડીઓને ખાંડથી ગૂંથેલો લોટ ખવડાવો. તેનાથી આપની મનોકામના પૂરી થશે. આ દિવસે સવારે સ્નાન આદિ કર્યા બાદ લોટની ગોળીઓ બનાવો. ત્યાર બાદ કોઇક તળાવ કે નદીમાં જઈ આ લોટની ગોળીઓ માછલીઓને ખવડાવી દો. આ ઉપાયથી આપના જીવનની અનેક મુશ્કેલીઓ, સંકટો અને કષ્ટોનો અંત આવી શકે છે. સાંજના સમયે ઘરના ઈશાન ખૂણે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. બાતીમાં રૂના સ્થાને લાલ રંગના ધાગાનો ઉપયોગ કરો.

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">