AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, ડોકટર શાહિન તબીબોનું બ્રેઈન વોશ કરતી હતી

દિલ્હી વિસ્ફોટની NIA દ્વારા કરાતી તપાસમાં કાવનારો ખુલાસા થયા છે. ડોકટર શાહીનને લઈને એક ખુલાસો એવો થયો છે કે, ડો. શાહીન ડોક્ટરોનું બ્રેઈન વોશ કરતી હતી. જેથી તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરી શકાય. NIA પૂછપરછમાં ખુલાસો થયો કે તેણીને ખાસ તાલીમ મળી હતી.

NIA પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, ડોકટર શાહિન તબીબોનું બ્રેઈન વોશ કરતી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2025 | 12:24 PM
Share

દિલ્હી વિસ્ફોટ બાદ, દેશભરની વિવિધ એજન્સીઓ તપાસમાં રોકાયેલી છે. દરેક એજન્સી આરોપીઓની પુછપરછ અને પુરાવાઓને સાંકળીને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે 1,000 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સેંકડો લોકોની ધરપકડ કરી છે. દિલ્હી વિસ્ફોટ કેસમાં ધરપકડ કરાયેલા મુઝમ્મિલ, ડોકટર શાહીન અને ડોકટર આદિલ હાલમાં પોલીસ રિમાન્ડ પર છે. પૂછપરછ દરમિયાન, તેઓએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ડોકર શાહીનને ઉત્તર પ્રદેશમાં ડોક્ટરોનું બ્રેઈન વોશ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે ડોકટર શાહીનને ઉત્તર પ્રદેશમાં ડોક્ટરોનું બ્રેઈન વોશ કરવા માટે ઔપચારિક રીતે તાલીમ આપવામાં આવી હતી. ધીમે ધીમે તેમને કાશ્મીર મોડ્યુલના ભાગ રૂપે કામ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. કાનપુર અને સહારનપુરના ત્રણ ડોક્ટરો ડોકટર શાહીનના સંપર્કમાં હતા. આ ત્રણ ડોક્ટર શાહીનના સંગઠનમાં જોડાવાના હતા ત્યારે આ કેસમાં ઝડપી કાર્યવાહીથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી.

શાહીન ઉત્તર પ્રદેશમાં ડોક્ટરોનું બ્રેઈન વોશ કરતી હતી

યુપી એટીએસ અને એનઆઈએ દ્વારા પૂછપરછ દરમિયાન કાનપુર અને સહારનપુરના ત્રણ ડોક્ટરો ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ, તપાસ એજન્સીઓ ઝડપથી આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. તપાસ એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુઝમ્મિલ અને ડોકટર આદિલે ડોકટર. શાહીનનું બ્રેઈન વોશ કર્યું હતું. તેમને અન્ય ડોક્ટરોને પ્રભાવિત કરવા માટે ડોકટર શાહિતને તાલીમ આપી હતી. તેણીને તેના સમુદાયના ડોક્ટરોને કેવી રીતે ઉશ્કેરવા અને તેમને ભારત વિરુદ્ધ તૈયાર કરવા તે અંગે સૂચના આપવામાં આવી હતી.

શાહીન ત્રણ ડોક્ટરોના સંપર્કમાં હતી. આ હેતુ માટે તેણીને વીડિયો પૂરા પાડવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે સહારનપુર અને કાનપુરના ત્રણ ડોક્ટરો તેના પ્રભાવમાં આવ્યા હતા. જોકે, તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે કોઈ વાસ્તવિક માહિતી આપવામાં આવી ના હતી. શાહીન આ ડોક્ટરો સાથે ત્રણ-ચાર વખત મળી હતી. તે તેમને આતંકવાદી સંગઠન સાથે જોડે તે પહેલાં, તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ત્રણ પાસપોર્ટ, પાકિસ્તાન-થાઇલેન્ડનો પ્રવાસ કરનાર આતંકી ડોકટર શાહિનની પુછપરછમાં D-6 કોડનો થયો ચોંકાવનારો ખુલાસો

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">