ફરી આ રાજ્યમાં વીજસંકટના એંધાણ, પૂરતી માત્રામાં કોલસો ન મળતા અધિકારીઓએ આપી ચેતવણી

કોલસાની (Coal) સતત અછતને કારણે ફરી એક વાર વીજળીનું સંકટ વધુ ઘેરી બન્યું છે. રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પદન નિગમ લિમિટેડના અધિકારીઓએ પાવર કટોકટી અંગે ચેતવણી આપી છે.

ફરી આ રાજ્યમાં વીજસંકટના એંધાણ, પૂરતી માત્રામાં કોલસો ન મળતા અધિકારીઓએ આપી ચેતવણી
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 8:11 AM

કોલસાની સતત અછતને (Coal Crisis) કારણે રાજસ્થાનમાં વીજળીનું સંકટ વધુ ઘેરી બન્યું છે. રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પદન નિગમ લિમિટેડના સીએમડી આરકે શર્માએ (RK Sharma) જણાવ્યું હતું કે જો છત્તીસગઢના કોલ બ્લોકમાંથી કોલસો મેળવવામાં રાજસ્થાન નિષ્ફળ જશે તો તે ગંભીર વીજ સંકટમાં ડૂબી જશે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જૂન સુધી કોલસાનો પૂરતો પુરવઠો બાકી છે. જો કોલસો ખરીદવામાં નહીં આવે તો રાજસ્થાનમાં 4340 મેગાવોટના 2 યુનિટને વીજ સંકટનો સામનો કરવો પડશે.

શું રાજસ્થાન વિજળીની ગંભીર કટોકટીમાં ડૂબી જશે ?

રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પદન નિગમ લિમિટેડના સીએમડી આરકે શર્માએ (RK Sharma) મંગળવારે છત્તીસગઢના સુરગુજાના રાજ્ય અધિકારીઓને મળ્યા હતા અને તેમને પારસા પૂર્વ કેન્ટે બેસિન ફેઝ 2 કોલસાની ખાણમાંથી કોલસાનું ઉત્પાદન શરૂ કરવા વિનંતી કરી હતી અન્યથા રાજ્ય ગંભીર વીજ સંકટમાં આવી જશે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા શર્માએ કહ્યું, “જો રાજસ્થાન છત્તીસગઢમાં(Chhattisgarh) તેના કોલ બ્લોકમાંથી કોલસો મેળવવામાં નિષ્ફળ જશે તો રાજસ્થાન ગંભીર વીજ સંકટમાં આવી જશે.”

“ખોટી માહિતી ફેલાવવાના કારણે વીજળીની કટોકટી ઊભી થઈ”

ઉપરાંત શર્માએ આરોપ લગાવ્યો હતો કે છત્તીસગઢમાં કેટલાક પ્રોફેશનલ વર્કર્સ દ્વારા ફેલાવવામાં આવેલી ખોટી માહિતીને કારણે રાજસ્થાન વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ઘણા કામદારો ગ્રામજનોને ગેરમાર્ગે દોરે છે. શર્માએ કહ્યું કે કાર્યકરો વિચિત્ર દલીલો આપી રહ્યા છે કે રાજસ્થાનના કોલ બ્લોકને કારણે હસદેવ એરંડાના જંગલની જૈવવિવિધતા પર ખરાબ અસર પડશે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં 8 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે જેથી પીઇકેબી બ્લોકને દેશમાં એક ખાસ ખાણ તરીકે જોવામાં આવે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

શર્માએ કહ્યું કે છત્તીસગઢના વન વિભાગે 60 લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે અને વૃક્ષોની સંખ્યા વધી રહી છે. શર્માએ વધુમાં કહ્યું કે અમે પારસા ગામના સ્થાનિક લોકોને નોકરી, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપીને તેમનું જીવન બદલી નાખ્યું છે. અમે સુરગુજામાં સ્થાનિક લોકો માટે 100 બેડની હોસ્પિટલ પણ શરૂ કરી રહ્યા છીએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">