અફઘાનિસ્તાન પર ભારતની સતત નજર, હિન્દુ અને શીખ સમુદાયના નેતાઓ સીધા સંપર્કમાંઃ એસ જયશંકર
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે કાબુલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારત પાછા ફરવા ઈચ્છતા લોકોની ચિંતા સમજાય છે. મુખ્ય પડકાર એરપોર્ટનું સંચાલન છે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar ) મંગળવારે કહ્યું કે કાબુલ તાલિબાનના નિયંત્રણમાં આવ્યા બાદ, ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકાર કાબુલમાં રહેતા ભારતીય નાગરિકો અને શીખ તેમજ હિન્દુ સમુદાયના નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે.
શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે કાબુલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારત પાછા ફરવા ઈચ્છતા લોકોની ચિંતા સમજાય છે. મુખ્ય પડકાર એરપોર્ટનું સંચાલન છે. આ બાબતે સહયોગીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે કાબુલમાં શીખ અને હિન્દુ સમુદાયના નેતાઓ સાથે સતત સીધા સંપર્કમાં છીએ. અમારી પ્રાથમિકતા તેમની સંભાળ લેવાની અને તેમને સલામત રીતે સ્થળાંતર કરાવવાની છે.
We are in constant touch with the Sikh and Hindu community leaders in Kabul. Their welfare will get our priority attention. @capt_amarinder @HardeepSPuri
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 16, 2021
ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી હેલ્પલાઇન
અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. હેલ્પલાઇન નંબર +919717785379 વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે, MEAHelpdeskIndia@gmail.com ઇમેઇલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બંને દ્વારા, ભારતના લોકો અફઘાનિસ્તાનમાં રહેતા તેમના સગા સબંધીઓ અને નજીકના મિત્રો વિશે જરૂરી માહીતી મેળવી શકે છે અને માહિતી આપી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાલિબાનોએ રવિવારે કાબુલમાં પ્રવેશતાની સાથે જ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી લીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર બેઠક યોજી હતી. યુએનએસસીના પ્રમુખ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે સુરક્ષા પરિષદના સભ્યોએ અફઘાનિસ્તાનમાં હિંસાનો તાત્કાલિક અંત લાવવાની, સુરક્ષાની સ્થિતિ પુન સ્થાપના કરવા અને નાગરિક તેમજ બંધારણીય વ્યવસ્થા જાળવવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ Afghanistan Crisis: અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ, અમે હિંમત નથી હાર્યા – યુએસ પ્રમુખ જો બાઈડન
આ પણ વાંચોઃ PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે કરી વાત, બંને દેશોએ ટેકનોલોજી અને ઈનોવેશન પર દર્શાવી સહમતિ