વિદેશ મંત્રી એસ જયશંકરના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યુ- વિદેશી ધરતી પર રાહુલે ચીનના વખાણ કર્યા અને ભારતને નકાર્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીની ચીન પર કરેલી ટિપ્પણી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને ચીનના વખાણ કર્યા અને ભારતને નીચા બતાવવાનો પ્રયાસ કર્યો. કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીની ચીન પરની ટિપ્પણીઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા તેમણે કહ્યું કે એક ભારતીય તરીકે જ્યારે કોઈ ભારતને નકારતા ચીનના વખાણ કરે છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થાય છે.

વિદેશ મંત્રી એસ જયશંકરના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યુ- વિદેશી ધરતી પર રાહુલે ચીનના વખાણ કર્યા અને ભારતને નકાર્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 1:40 PM

રાહુલ ગાંધીના લંડનના નિવેદન પર વિદેશ મંત્રી જયશંકરે એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે રાહુલ ગાંધી યુકે જાય છે અને ચીનના વખાણ કરે છે પરંતુ ભારતની ઉપલબ્ધિઓને નકારી કાઢે છે. તેમણે કહ્યું કે રાહુલ ચીનના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની પ્રશંસા કરે છે પરંતુ મેક ઈન ઈન્ડિયાને નકારે છે. કોંગ્રેસીઓએ દેશમાં બનેલી કોવેક્સિનને નકામી ગણાવી છે.

જયશંકરે 2011માં મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી એક કિસ્સો કહીને રાહુલને સંદેશો પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે વિપક્ષના નેતા હોવા છતાં મોદી ચીનમાં એવું કંઈ કહેવા માંગતા ન હતા જે દેશની વિરુદ્ધ હોય. વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી સરહદ પર તણાવ દૂર નહીં થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય નહીં થાય.

રાહુલે ચીનના વખાણ કર્યા પણ ભારતને નકાર્યું

જયશંકરે કહ્યું કે રાહુલ ગાંધીએ જે કહ્યું તે મોટા ભાગનું રાજકીય હતું. વિદેશ મંત્રીએ કહ્યું કે મને એક નાગરિક તરીકે સમસ્યા છે કે કોઈ ચીન વિશે વાત કરે છે અને ભારતને નકારે છે. જયશંકરે કહ્યું કે ચીનને લઈને રાહુલ ગાંધીનો એક શબ્દ આશ્ચર્યજનક છે – હાર્મની. તેઓ ચીન માટે ‘હાર્મની’ શબ્દનો ઉપયોગ કરે છે. રાહુલ ગાંધી ચીનના મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીના જોરદાર વખાણ કરે છે, પરંતુ મેક ઈન ઈન્ડિયાને નકારે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રાહુલ ગાંધીની ચીન પરની ટિપ્પણી રાજકીય રીતે પ્રેરિત: એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીની ચીન પર કરેલી ટિપ્પણી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને ચીનના વખાણ કર્યા અને ભારતને નીચા બતાવવાનો પ્રયાસ કર્યો. કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીની ચીન પરની ટિપ્પણીઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા તેમણે કહ્યું કે એક ભારતીય તરીકે જ્યારે કોઈ ભારતને નકારતા ચીનના વખાણ કરે છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થાય છે.

જયશંકરે કહ્યું, જ્યારે રાહુલ ગાંધી ચીન વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે તમે જાણો છો, તેમના મગજમાં કયો એક શબ્દ આવ્યો?- હાર્મની. ચીનના વખાણ કરતા તેઓ કહેતા હતા કે કેવી રીતે ચીન સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે અને આ સત્ય પણ છે. પરંતુ જ્યારે ભારતમાં ઉત્પાદનની વાત આવે છે, ત્યારે તેઓએ તેને દરેક સંભવિત રીતે ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા સફળ નથી થયું. જ્યારે અમે કોવેક્સિન બનાવ્યું ત્યારે પણ કોંગ્રેસે કહ્યું કે કોવેક્સિન કામ કરતું નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">