AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતરામાં ! કયા નિયમો છે કે જેના હેઠળ થઈ શકે છે કડક કાર્યવાહી?

ભારતીય સંસદના ઈતિહાસ તરફ નજર કરીએ તો 1976માં તત્કાલિન રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીને યુકે, યુએસ અને કેનેડામાં ભારત વિશે કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ બદલ ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતરામાં ! કયા નિયમો છે કે જેના હેઠળ થઈ શકે છે કડક કાર્યવાહી?
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 9:18 AM
Share

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભારતની સંસદ અને લોકશાહી પર કરેલી ટિપ્પણીને લઈને તેઓ સતત ભાજપના નિશાના પર છે. બીજેપી ઈચ્છે છે કે રાહુલ ગાંધી વિદેશમાં આપેલા પોતાના નિવેદનો માટે માફી માંગે. પહેલા કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પર આકરી ટીપ્પણી કરી હતી અને હવે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પેશિયલ કમિટી બનાવવાની માંગ કરી છે. ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પર ખતરો મંડરાઈ રહ્યો છે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલના સંસદ, લોકશાહી અને સંસ્થાઓનું અપમાન કરતા નિવેદનો બદલ તેમની વિરુદ્ધ વિશેષ સમિતિની રચના કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે 2005માં ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડમાં પણ સંસદની વિશેષ સમિતિએ સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાના આરોપમાં 11 સાંસદોની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી અને તેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લોકસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમ 223 હેઠળ લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે રાહુલ ગાંધીની ‘અપમાનજનક’ ટિપ્પણીની તપાસ કરવા અને તેમને ગૃહમાંથી હાંકી કાઢવા પર વિચાર કરવા માટે વિશેષ સંસદીય સમિતિની માંગણી કરી છે. દુબેએ દલીલ કરી છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવમાં તેમના ભાષણ દરમિયાન ત્રણ વિશેષાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. જણાવી દઈએ તો નિયમ 223 (સંસદીય વિશેષાધિકાર) વિશેષાધિકારને સમજાવે છે. ત્યારે ચાલો જાણીયે શું છે આ નિયમ.

સંસદીય વિશેષાધિકાર શું છે?

ભારતીય બંધારણની કલમ 105 એ મુક્તિ અને વિશેષાધિકારોને વ્યાખ્યાયિત કરે છે જે સંસદના બંને ગૃહોના સભ્યો માટે ઉપલબ્ધ છે. આ જોગવાઈ સાંસદોને તેમની નાગરિક જવાબદારીમાંથી મુક્તિ આપે છે, જેને ફોજદારી ન કહેવાય. આને સંસદીય વિશેષાધિકારો તરીકે ઓળખવામાં આવે છે.

સંસદમાં ચાર મુખ્ય વિશેષાધિકારોનો આનંદ માણવામાં આવે છે – સંસદમાં વાણીની સ્વતંત્રતા, ધરપકડથી સ્વતંત્રતા, કાર્યવાહીના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર અને અજાણ્યાઓને બહાર રાખવાનો અધિકાર (જે ગૃહના સભ્યો નથી). કોઈપણ સાંસદને ગંભીરતાના આધારે ચેતવણી આપી શકાય છે, કાર્યવાહીની ભલામણ કરી શકાય છે અને આ વિશેષાધિકારોનું ઉલ્લંઘન કરવા અથવા અનૈતિક લાભ લેવા બદલ તેમને જેલની સજા પણ થઈ શકે છે.

નિયમ 223 શું કહે છે?

આ નિયમ સભ્ય અથવા સમિતિ દ્વારા વિશેષાધિકારના ભંગના કિસ્સામાં સ્પીકરની સંમતિથી (નિયમ 222 હેઠળ) સંસદમાં પ્રશ્ન ઉઠાવવાની મંજૂરી આપે છે. આવી બાબતોને વિચાર-વિમર્શ અને વધુ તપાસ માટે વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવી શકે છે. આ કમિટી સમગ્ર મામલે બંને પક્ષોને સાંભળ્યા બાદ રિપોર્ટ તૈયાર કરે છે અને જરૂર પડ્યે પગલાં લેવાની ભલામણ કરે છે.

રાહુલ ગાંધીનું સભ્યપદ જઈ શકે?

ભારતીય સંસદના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1976માં તત્કાલિન રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીને યુકે, યુએસ અને કેનેડામાં ભારત વિશે કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ બદલ ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

નિશિકાંત દુબેએ પણ પૂર્વ માહિતી વિના સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરીને નિયમ 352 તોડવાની દલીલ કરી છે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી રિજિજુએ રાહુલ ગાંધી પર લંડનમાં ‘જૂઠું બોલવાનો’ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમણે દેશનું ‘અપમાન’ કર્યું છે. તેણે તેને ભારત વિરોધી શક્તિઓને હવા આપવાનું ગણાવ્યું છે. રિજિજુએ કહ્યું કે, “રાષ્ટ્ર સાથે જોડાયેલી કોઈપણ બાબત બધા માટે ચિંતાનો વિષય છે અને જો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દેશનું અપમાન કરે તો અમે ચૂપ રહી શકીએ નહીં.”

ભાજપના નેતા અને મંત્રીના આવા દાવાઓને પણ IPCની કલમ 124A હેઠળ લાવી શકાય છે. આ વિભાગ રાજદ્રોહને વ્યાખ્યાયિત કરે છે. જાણકારોના મતે જો આ મામલો આગ પકડી લે અને વિશેષાધિકાર સમિતિ ભલામણ કરે તો રાહુલ ગાંધીનું સભ્યપદ જોખમમાં આવી શકે છે.

Follow Us
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">