રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતરામાં ! કયા નિયમો છે કે જેના હેઠળ થઈ શકે છે કડક કાર્યવાહી?

ભારતીય સંસદના ઈતિહાસ તરફ નજર કરીએ તો 1976માં તત્કાલિન રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીને યુકે, યુએસ અને કેનેડામાં ભારત વિશે કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ બદલ ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતરામાં ! કયા નિયમો છે કે જેના હેઠળ થઈ શકે છે કડક કાર્યવાહી?
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 9:18 AM

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભારતની સંસદ અને લોકશાહી પર કરેલી ટિપ્પણીને લઈને તેઓ સતત ભાજપના નિશાના પર છે. બીજેપી ઈચ્છે છે કે રાહુલ ગાંધી વિદેશમાં આપેલા પોતાના નિવેદનો માટે માફી માંગે. પહેલા કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પર આકરી ટીપ્પણી કરી હતી અને હવે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પેશિયલ કમિટી બનાવવાની માંગ કરી છે. ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પર ખતરો મંડરાઈ રહ્યો છે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલના સંસદ, લોકશાહી અને સંસ્થાઓનું અપમાન કરતા નિવેદનો બદલ તેમની વિરુદ્ધ વિશેષ સમિતિની રચના કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે 2005માં ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડમાં પણ સંસદની વિશેષ સમિતિએ સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાના આરોપમાં 11 સાંસદોની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી અને તેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લોકસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમ 223 હેઠળ લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે રાહુલ ગાંધીની ‘અપમાનજનક’ ટિપ્પણીની તપાસ કરવા અને તેમને ગૃહમાંથી હાંકી કાઢવા પર વિચાર કરવા માટે વિશેષ સંસદીય સમિતિની માંગણી કરી છે. દુબેએ દલીલ કરી છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવમાં તેમના ભાષણ દરમિયાન ત્રણ વિશેષાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. જણાવી દઈએ તો નિયમ 223 (સંસદીય વિશેષાધિકાર) વિશેષાધિકારને સમજાવે છે. ત્યારે ચાલો જાણીયે શું છે આ નિયમ.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

સંસદીય વિશેષાધિકાર શું છે?

ભારતીય બંધારણની કલમ 105 એ મુક્તિ અને વિશેષાધિકારોને વ્યાખ્યાયિત કરે છે જે સંસદના બંને ગૃહોના સભ્યો માટે ઉપલબ્ધ છે. આ જોગવાઈ સાંસદોને તેમની નાગરિક જવાબદારીમાંથી મુક્તિ આપે છે, જેને ફોજદારી ન કહેવાય. આને સંસદીય વિશેષાધિકારો તરીકે ઓળખવામાં આવે છે.

સંસદમાં ચાર મુખ્ય વિશેષાધિકારોનો આનંદ માણવામાં આવે છે – સંસદમાં વાણીની સ્વતંત્રતા, ધરપકડથી સ્વતંત્રતા, કાર્યવાહીના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર અને અજાણ્યાઓને બહાર રાખવાનો અધિકાર (જે ગૃહના સભ્યો નથી). કોઈપણ સાંસદને ગંભીરતાના આધારે ચેતવણી આપી શકાય છે, કાર્યવાહીની ભલામણ કરી શકાય છે અને આ વિશેષાધિકારોનું ઉલ્લંઘન કરવા અથવા અનૈતિક લાભ લેવા બદલ તેમને જેલની સજા પણ થઈ શકે છે.

નિયમ 223 શું કહે છે?

આ નિયમ સભ્ય અથવા સમિતિ દ્વારા વિશેષાધિકારના ભંગના કિસ્સામાં સ્પીકરની સંમતિથી (નિયમ 222 હેઠળ) સંસદમાં પ્રશ્ન ઉઠાવવાની મંજૂરી આપે છે. આવી બાબતોને વિચાર-વિમર્શ અને વધુ તપાસ માટે વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવી શકે છે. આ કમિટી સમગ્ર મામલે બંને પક્ષોને સાંભળ્યા બાદ રિપોર્ટ તૈયાર કરે છે અને જરૂર પડ્યે પગલાં લેવાની ભલામણ કરે છે.

રાહુલ ગાંધીનું સભ્યપદ જઈ શકે?

ભારતીય સંસદના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1976માં તત્કાલિન રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીને યુકે, યુએસ અને કેનેડામાં ભારત વિશે કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ બદલ ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

નિશિકાંત દુબેએ પણ પૂર્વ માહિતી વિના સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરીને નિયમ 352 તોડવાની દલીલ કરી છે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી રિજિજુએ રાહુલ ગાંધી પર લંડનમાં ‘જૂઠું બોલવાનો’ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમણે દેશનું ‘અપમાન’ કર્યું છે. તેણે તેને ભારત વિરોધી શક્તિઓને હવા આપવાનું ગણાવ્યું છે. રિજિજુએ કહ્યું કે, “રાષ્ટ્ર સાથે જોડાયેલી કોઈપણ બાબત બધા માટે ચિંતાનો વિષય છે અને જો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દેશનું અપમાન કરે તો અમે ચૂપ રહી શકીએ નહીં.”

ભાજપના નેતા અને મંત્રીના આવા દાવાઓને પણ IPCની કલમ 124A હેઠળ લાવી શકાય છે. આ વિભાગ રાજદ્રોહને વ્યાખ્યાયિત કરે છે. જાણકારોના મતે જો આ મામલો આગ પકડી લે અને વિશેષાધિકાર સમિતિ ભલામણ કરે તો રાહુલ ગાંધીનું સભ્યપદ જોખમમાં આવી શકે છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">