AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા

તેમણે ગૃહને જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાન્યુઆરીથી જ ભારતીય નાગરિકો માટે નોંધણી શરૂ કરી હતી, જેમાં 20,000 ભારતીયોએ નોંધણી કરાવી હતી, જેમાંથી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરી રહ્યા હતા.

રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, 'ઓપરેશન ગંગા' હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા
External Affairs Minister S Jaishankar - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 4:33 PM
Share

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (Russia Ukraine War) આજે 20મા દિવસે પણ ચાલુ છે. બંને દેશો વચ્ચેના યુદ્ધે યુક્રેનમાં માનવીય સંકટ સર્જ્યું છે. લોકો પાસેથી તેમનું ઘર આંચકી લેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) હેઠળ યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા 22 હજારથી વધુ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. આજે, વિદેશ મંત્રી એસ જયશંકરએ (EAM S Jaishankar) રાજ્યસભામાં ભારતીયોના સુરક્ષિત સ્થળાંતરના મુદ્દાઓ પર પોતાનું નિવેદન આપ્યું હતું. જયશંકરે કહ્યું કે, ગંભીર સંઘર્ષના કારણે ઊભા થયેલા પડકારો છતાં, અમે સુનિશ્ચિત કર્યું કે લગભગ 22,500 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ભારત પરત ફરે.

તેમણે કહ્યું, વડાપ્રધાન મોદીના નિર્દેશ પર, અમે ઓપરેશન ગંગા શરૂ કર્યું, જે આ સંઘર્ષની પરિસ્થિતિ દરમિયાન હાથ ધરવામાં આવેલા સૌથી મુશ્કેલ ઓપરેશનમાંથી એક હતું. જેમાંથી 76 સિવિલિયન ફ્લાઈટ્સ અને 14 આઈએએફ ફ્લાઈટ્સ હતી. ઇવેક્યુએશન ફ્લાઇટ્સ રોમાનિયા, પોલેન્ડ, હંગેરી અને સ્લોવાકિયાની હતી. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ પણ મદદ કરી હતી. એટલું જ નહીં, ઘણી ખાનગી એરલાઈન્સે પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દૂતાવાસે 15 ફેબ્રુઆરીના રોજ એક એડવાઈઝરી જાહેર કરી

જયશંકરે કહ્યું, પ્રધાનમંત્રી દ્વારા રોજેરોજ અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયમાં, અમે 24/7 ધોરણે સ્થળાંતર કામગીરી પર નજર રાખી હતી. અમને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, NDRF, IAF, ખાનગી એરલાઇન્સ સહિત તમામ સંબંધિત મંત્રાલયો અને સંસ્થાઓ તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું. અત્યાર સુધી તે સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે. યુક્રેનમાંથી 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

તેમણે ગૃહને જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાન્યુઆરીથી જ ભારતીય નાગરિકો માટે નોંધણી શરૂ કરી હતી, જેમાં 20,000 ભારતીયોએ નોંધણી કરાવી હતી, જેમાંથી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરી રહ્યા હતા. દૂતાવાસે 15 ફેબ્રુઆરીના રોજ એક એડવાઈઝરી જાહેર કરી હતી.

જેમાં સલાહ આપવામાં આવી હતી કે જેમણે યુક્રેનમાં રહેવું નથી તેઓ દેશ છોડી દે. તેના માટે ઓપરેશન ગંગા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન ગંગા હેઠળ માત્ર ભારતીયો જ નહીં પરંતુ નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક વિદ્યાર્થીઓને પણ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો : BJP Parliamentary Party meeting : પીએમ મોદીએ કાશ્મીર ફાઇલ્સના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર લાવવા માટે આવી ફિલ્મો બનવી જોઈએ

આ પણ વાંચો : 5 States Assembly Election: ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદી અને જેપી નડ્ડાનું થયુ સન્માન

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">