AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વડાપ્રધાન મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, બગડતી સ્થિતિ પર તમામની નજર

યુક્રેન (Ukraine) અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ઉત્તર પ્રદેશનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને દિલ્હી પહોંચ્યા બાદ તેમણે યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વડાપ્રધાન મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, બગડતી સ્થિતિ પર તમામની નજર
Narendra Modi - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 11:17 PM
Share

યુક્રેન (Ukraine) અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ઉત્તર પ્રદેશનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને દિલ્હી પહોંચ્યા બાદ તેમણે યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. રશિયન હુમલા બાદ યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા છે, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ છે. ભારતે તેમને બહાર કાઢવાનું શરૂ કર્યું છે અને શનિવારથી 900 થી વધુ લોકોને પાછા લાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકી સાથે પણ વાત કરી છે. ભારતે તણાવ ઘટાડવા માટે વાતચીતની હાકલ કરી છે. તમને જણાવી દઈએ કે દુનિયાની નજર રશિયા અને યુક્રેનની બગડતી પરિસ્થિતિ પર ટકેલી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી, રશિયન સેના યુક્રેનમાં સતત અંદરની તરફ આગળ વધી રહી છે. રશિયાએ યુક્રેનના 471 સૈનિકોની ધરપકડ કરવાનો પણ દાવો કર્યો છે. આ ઉપરાંત, રશિયન સેનાએ કહ્યું છે કે તેણે યુક્રેનના 975 સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો છે. બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 4,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સાથે લગભગ 146 ટેન્ક, 27 એરક્રાફ્ટ અને 26 હેલિકોપ્ટર નષ્ટ થયા છે.

પીએમ મોદીએ આજે ​​યુપીમાં 3 રેલીઓ કરી હતી

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​યુપીમાં ત્રણ મોટી ચૂંટણી રેલીઓ કરી હતી. બસ્તી અને દેવરિયામાં રેલી બાદ મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ રેલી કરી હતી. પોતાની રેલીઓમાં વડાપ્રધાને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ એસપી પર પરિવારવાદ કરવાનો આરોપ લગાવ્યો.

પુતિને રશિયાના પરમાણુ વિરોધી દળોને ‘અલર્ટ’ રહેવા આદેશ આપ્યો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પરના હુમલા બાદ પશ્ચિમી દેશો સાથેના તણાવમાં વધારો થતાં દેશના પરમાણુ વિરોધી દળોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં, પુતિને રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાટોના મુખ્ય સભ્ય દેશોએ આક્રમક નિવેદનો કર્યા છે અને પશ્ચિમી દેશોએ તેમની (પુતિન) અને રશિયા સામે સખત આર્થિક પ્રતિબંધો લાદ્યા છે.

પુતિને રશિયાના સંરક્ષણ પ્રધાન અને ‘મિલિટરી જનરલ સ્ટાફ’ના વડાને પરમાણુ વિરોધી દળોને ‘યુદ્ધ સંબંધિત જવાબદારી માટે તૈયાર’ રાખવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને રાહુલ ગાંધીએ કહ્યું- આપણા દેશને કાર્યવાહીની જરૂર છે, પીએમ માત્ર ધ્યાન ભટકાવે છે

આ પણ વાંચો : Russia Ukraine War: ભારતીય દૂતાવાસ દ્વારા તેના નાગરિકોને અપીલ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો, સરહદ ચોકીઓ પર જવાનું ટાળો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">