AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન સંકટને પગલે ભારતની ઝુંબેશ તેજ, ખાર્કિવથી 256 ભારતીય વિદ્યાર્થીઓ આજે વતન પરત ફરશે

ભારતે આજથી ભારત-યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. આજે 22 ફેબ્રુઆરીએ સવારે એર ઈન્ડિયાનું વિશેષ વિમાન યુક્રેન માટે રવાના કરવામાં આવ્યું છે.

યુક્રેન સંકટને પગલે ભારતની ઝુંબેશ તેજ, ખાર્કિવથી 256 ભારતીય વિદ્યાર્થીઓ આજે વતન પરત ફરશે
256 indian students will return from ukraine(file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 5:37 PM
Share

Russia Ukraine Conflict: યુક્રેન સંકટ વચ્ચે ભારતે રાજધાની ખાર્કિવમાંથી (Kharkiv) તેના વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લાવવાની ઝુંબેશ તેજ કરી છે. આજે રાત્રે 256 ભારતીય વિદ્યાર્થીઓ (indian Student) ઘરે પરત ફરશે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકો રહે છે. ભારતે આજથી ભારત-યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. આજે સવારે એર ઈન્ડિયાનું વિશેષ વિમાન યુક્રેન(Ukraine)  માટે રવાના કરવામાં આવ્યું છે.

ભારતે આ સ્પેશિયલ ઓપરેશન માટે 200થી વધુ સીટવાળા ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટને તૈનાત કર્યા છે. જેને ધ્યાનમાં લઈને એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે 22, 24 અને 26 ફેબ્રુઆરીના રોજ ભારત-યુક્રેન (બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ) 3 ફ્લાઈટ્સનું સંચાલન કરશે, એર ઈન્ડિયા બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર્સ અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ કરશે.

ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે દેશ છોડવા માટે કહેતા તણાવ વધ્યો

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે દેશ છોડવા માટે કહેતા તણાવ વધી ગયો છે. યુક્રેનમાં મેડિકલ એજ્યુકેશન ઓફર કરતી યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન અભ્યાસ અંગે ભારતીય વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબમાં દૂતાવાસે કહ્યું કે તેઓ આ મામલે સંબંધિત સત્તાવાળાના સંપર્કમાં છે.

વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની સલાહ આપી

ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર,’દૂતાવાસને મેડિકલ એજ્યુકેશન ઓફર કરતી યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન અભ્યાસને લઈને ઘણા બધા કોલ આવ્યા છે. આ સંદર્ભમાં તેણે જણાવ્યુ કે, અમે ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સંબંધિત સત્તાધિકારીના સંપર્કમાં છીએ. તેઓએ યુનિવર્સિટી તરફથી સત્તાવાર શબ્દની રાહ જોવાને બદલે અસ્થાયી રૂપે યુક્રેન છોડવું જોઈએ. આ સાથે ભારતે યુક્રેનમાં દૂતાવાસના કર્મચારીઓના પરિવારના સભ્યોને સ્વદેશ પરત ફરવા જણાવ્યુ હતુ.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">