AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં

માનવતાવાદી સહાય પ્રયાસોના ભાગરૂપે, ભારતે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો વિશાળ જથ્થો મોકલ્યો છે.

અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં
India will send wheat to afghanistan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 4:39 PM
Share

અફઘાનિસ્તાનના(Afghanistan)  લોકોની મદદ માટે ભારતે એક મોટું પગલુ ભર્યું છે. મંગળવારે પાકિસ્તાન (Pakistan) મારફતે 50,000 મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલશે. તમને જણાવવુ રહ્યુ કે,આ કન્સાઇનમેન્ટને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા (Foreign Secretary Harsh Vardhan Shringla)ફ્લેગ ઓફ કરશે. આ દરમિયાન ભારત આવેલા એક અફઘાન નાગરિકે કહ્યુ કે,’અમે અફઘાનિસ્તાનથી આવ્યા છીએ.. હું ખૂબ જ ખુશ છું.’ અત્યાર સુધીમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) લગભગ 7 મિલિયન અફઘાન લોકોની મદદ કરી ચૂક્યું છે.

ઈસ્લામાબાદને એક પ્રસ્તાવ મોકલ્યો

મળતી માહિતી મુજબ,પાકિસ્તાન સાથેની વાતચીત અનુસાર અનાજનો આ માલ અટારી-વાઘા લેન્ડ બોર્ડર થઈને પાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન પહોંચશે.તમને જણાવવુ રહ્યુ કે, ભારતે 7 ઓક્ટોબર 2021ના રોજ ઈસ્લામાબાદને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં 50,000 ટન ઘઉં પાકિસ્તાન મારફતે રોડ માર્ગે અફઘાનિસ્તાન મોકલવા ટ્રાન્ઝિટ સુવિધાની વિનંતી કરી હતી, જેનો તેને 24 નવેમ્બર, 2021ના રોજ સ્વીકાર થયો હતો. પાકિસ્તાન તરફથી મળેલા જવાબના આધારે બંને પક્ષોએ સાથે મળીને પરિવહન સંબંધિત તમામ વાતચીત નક્કી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તેના માનવતાવાદી સહાય પ્રયાસોના ભાગ રૂપે, ભારતે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં જીવનરક્ષક દવાઓ અને અન્ય તમામ આવશ્યક ચીજોનો વિશાળ જથ્થો મોકલ્યો છે. દવાઓનું છેલ્લું કન્સાઈનમેન્ટ ગયા શનિવારે જ આવ્યું હતું, જે ભારતથી અફઘાનિસ્તાન મોકલવામાં આવેલા માલનું પાંચમું કન્સાઈનમેન્ટ હતું.

ભારત લગભગ 70 લાખ અફઘાન લોકોને મદદ કરી ચૂક્યું છે

બે અઠવાડિયા પહેલા ભારતે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા હતા. યુએનએ પાકિસ્તાનને ભારતને જમીન માર્ગે અફઘાનિસ્તાનમાં 50,000 ટન ઘઉં મોકલવાની મંજૂરી આપવા જણાવ્યુ હતુ.ભારતમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના ડાયરેક્ટર બિશો પરજુલીએ કહ્યુ કે, ભારત વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા લગભગ 7 મિલિયન અફઘાન લોકોને મદદ કરી ચૂક્યું છે. ભારત સરકારની આ માનવતાવાદી સહાયની વિશ્વભરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ દેશની હાલત ખરાબ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Manipur Election: PM મોદીએ કહ્યુ, ‘ભાજપે અશક્યને શક્ય બનાવ્યું, કોંગ્રેસ લોકોની વેદનાને સમજી શકતી નથી’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">