AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઓઈલ કંપનીઓએ જાહેર કરી એડવાઈઝરી, શું ખરેખર દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ છે?

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા અવરોધો વચ્ચે ભારતમાં ઈંધણની અછતની અફવાઓએ જોર પકડ્યું છે. ગભરાટમાં આવીને લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે દેશની દિગ્ગજ ઓઈલ કંપનીઓએ સત્તાવાર નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે.

Breaking News: ઓઈલ કંપનીઓએ જાહેર કરી એડવાઈઝરી, શું ખરેખર દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ છે?
Image Credit source: Tv9Gujarati
| Updated on: Mar 25, 2026 | 5:53 PM
Share

છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણના પુરવઠાને લઈને ફેલાયેલી ચિંતાઓને પગલે ભારત પેટ્રોલિયમ (BPCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ઇન્ડિયન ઓઈલે મોરચો સંભાળ્યો છે. કંપનીઓએ સોશિયલ મીડિયા દ્વારા જનતાને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

અફવાઓ પર પૂર્ણવિરામ

  • BPCL: કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલની અછતની વાતો તદ્દન ખોટી છે. દરેક લોકેશન પર અનિરુદ્ધ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે.

  • HPCL: કંપનીએ ખાતરી આપી છે કે પેટ્રોલ, ડીઝલ અને LPG નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ગ્રાહકોએ ‘પેનિક બાઈંગ’ (ગભરાટમાં ખરીદી) કરવાનું ટાળવું જોઈએ.

  • Indian Oil: ઇન્ડિયન ઓઈલે રીયલ-ટાઇમ અપડેટ્સ શેર કરીને બતાવ્યું છે કે તેમના આઉટલેટ્સ પર કોઈ ભીડ નથી અને બધું સામાન્ય રીતે કાર્યરત છે.

ભાવ વધારો અને સપ્લાય ચેઈન

જોકે, મિડલ ઈસ્ટ સંકટની અસર કિંમતો પર જોવા મળી છે. તાજેતરમાં પ્રીમિયમ પેટ્રોલ (95-ઓક્ટેન) ના ભાવમાં લિટર દીઠ ₹2 અને ઈન્ડસ્ટ્રીયલ ડીઝલમાં ₹22 નો વધારો થયો છે. પરંતુ સામાન્ય જનતા જે પેટ્રોલ-ડીઝલ વાપરે છે તેના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અધિકારીઓએ નોંધ્યું છે કે પ્રીમિયમ પેટ્રોલ વાપરનારા ગ્રાહકો માત્ર 5% જ છે.

LPG બુકિંગના નિયમોમાં કોઈ ફેરફાર નહીં

સોશિયલ મીડિયા પર એવી અફવા પણ હતી કે LPG બુકિંગના દિવસોમાં ફેરફાર થયો છે, પરંતુ ઇન્ડિયન ઓઈલે સ્પષ્ટ કર્યું છે કે:

  • શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનો હાલનો નિયમ યથાવત છે.
  • ગેસનો પુરવઠો પણ દેશભરમાં પૂરતો છે, તેથી એડવાન્સ બુકિંગ માટે ઉતાવળ ન કરવી.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ થઈ રહી છે, પરંતુ ભારત પાસે અત્યારે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જનતાએ માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવો જોઈએ જેથી સિસ્ટમ કાર્યક્ષમ રીતે ચાલતી રહે.

શું તમે પણ દરરોજ માઉથવોશ અને દાંત ચમકાવવાની પ્રોડક્ટ્સ વાપરો છો ? જાણો ડોક્ટરની ચેતવણી!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">