AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોડ, બંદર, એરપોર્ટ બધું અદાણીને કેવી રીતે ? રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પાડી પસ્તાળ

સંસદમાં રાહુલ ગાંધી સરકાર પર સીધા પ્રહારો કરતા કહ્યું કે, જો કોઈ વ્યક્તિ એરપોર્ટના વ્યવસાયમાં ના હોય, તો તેઓ એરપોર્ટ લઈ ના શકે. પરંતુ ભારત સરકારે આ નિયમ બદલ્યો છે. નિયમ કોણે બનાવ્યો એ મહત્ત્વનું નથી, કોણે બદલ્યો એ મહત્ત્વનું છે.

રોડ, બંદર, એરપોર્ટ બધું અદાણીને કેવી રીતે ? રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પાડી પસ્તાળ
Rahul Gandhi in lokshabha
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 3:26 PM
Share

રાહુલ ગાંધીએ આજે લોકસભામાં અદાણી મુદ્દે સરકાર પર પસ્તાળ પાડી હતી. તેમણે ગૌતમ અદાણીને લઈને સરકારને અનેક વેધક સવાલો પૂછ્યા. લોકસભાના અધ્યક્ષે તેમને વારંવાર સંયમ રાખવા જણાવતા રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં ઘણી યોજનાઓ બોલાઈ, પરંતુ અગ્નિવીર માત્ર એક જ વાર બોલાયું. રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી અને મોંઘવારીનો કોઈ શબ્દ નહોતો કે નહોતી કોઈ વાત. જનતા કંઈક કહી રહી છે, પરંતુ રાષ્ટ્રપતિના સંબોધનમાં તે બાબતોની કોઈ વાતનો ઉલ્લેખ નથી.

રાહુલે કહ્યું કે કેરળ, તમિલનાડુ અને આખા ભારતમાં દરેક જગ્યાએ એક જ નામ સંભળાય છે અને તે માત્ર અદાણીનું. જ્યારે લોકો મારી સાથે આ નામ વિશે વાત કરતા હતા ત્યારે તેઓ બે-ત્રણ સવાલ પૂછતા હતા, આ અદાણી કોઈપણ વ્યવસાયમાં પ્રવેશ કરે છે અને સફળતા મેળવે છે, આ કેવી રીતે થઈ રહ્યું છે. યુવાનો મને પૂછતા હતા કે તેઓ પણ જાણવા માગે છે કે તેઓ આટલા સફળ કેવી રીતે થઈ રહ્યા છે.

ચાલો હું તમને અદાણી વિશે થોડું કહું…

રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગ્યું કે આજના રાષ્ટ્રપતિના સંબોધનમાં પીએમ મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો વિશે થોડું કહેવું જોઈએ. બંને વચ્ચેના સંબંધો લાંબા સમય પહેલા શરૂ થયા હતા, જ્યારે મોદીજી ગુજરાતના સીએમ હતા. બંને સાથે સાથે ચાલતા. તેઓ મોદીને ગુજરાત વિશેના વિચારો આપતા હતા.

વાઈબ્રન્ટ ગુજરાતથી શરુ થયો ખેલ

તેમણે કહ્યું કે જો તમે ઉદ્યોગપતિઓને સાથે લઈ જશો તો ગુજરાતને વાઈબ્રન્ટ બનાવી શકશો અને રાજ્ય આગળ વધશે. ત્યારથી રમત શરૂ થઈ. મોદીજી 2014માં દિલ્હી આવે છે અને ખરી રમત ત્યાંથી શરૂ થાય છે. 2016માં તે 609માં નંબરે હતા અને થોડા વર્ષોમાં તે બીજા નંબરે હતા. થોડાં વર્ષો પહેલાં ભારતનાં એરપોર્ટને વિકસાવવા માટે સરકારનો તે સમયે નિયમ હતો કે જેને એરપોર્ટ બનાવવાનો અનુભવ ના હોય તે એરપોર્ટ બનાવી શકે નહીં.

ભારત સરકારે નિયમ બદલ્યો

જો કોઈ વ્યક્તિ એરપોર્ટના વ્યવસાયમાં ના હોય, તો તેઓ એરપોર્ટ લઈ ના શકે. ભારત સરકારે આ નિયમ બદલ્યો છે. નિયમ કોણે બનાવ્યો એ મહત્ત્વનું નથી, કોણે બદલ્યું એ મહત્ત્વનું છે. તે સમયે મીડિયામાં તેની ચર્ચા થઈ હતી અને અદાણીજીને દેશના 6 એરપોર્ટ આપવામાં આવ્યા હતા.

EDનુ દબાણ સર્જીને અદાણીને એરપોર્ટ અપાયું

સરકાર પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ઈડીનું દબાણ સર્જીને ભારતના સૌથી નફાકારક એરપોર્ટ અદાણીને સોંપવામાં આવ્યા છે. અદાણી ભારતના એરપોર્ટ ટ્રાફિકનો 24 ટકા હિસ્સો અહીંથી કાઢે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ આના માટેના જરૂરી પુરાવા આપશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">