AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day 2022: આકાશમાં જોવા મળશે વાયુસેનાની તાકાત, ભારતીય ઈતિહાસમાં પહેલીવાર ઉડશે 75 વિમાન

મંત્રાલયે કહ્યું કે પ્રથમ વખત ભારતીય વાયુસેનાએ ફ્લાઈપાસ્ટ દરમિયાન કોકપિટનો વીડિયો દેખાડવા માટે દુરદર્શનની સાથે કોર્ડિનેશન કર્યુ છે.

Republic Day 2022: આકાશમાં જોવા મળશે વાયુસેનાની તાકાત, ભારતીય ઈતિહાસમાં પહેલીવાર ઉડશે 75 વિમાન
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 7:11 AM
Share

કોરોના મહામારી (Covid 19)ની વચ્ચે ભારત આજે પોતાનો 73મો ગણતંત્ર દિવસ  (73th Republic Day) મનાવવા જઈ રહ્યો છે. ગણતંત્ર દિવસની ઉજવણીનો અવાજ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુંજી રહ્યો છે. આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ સમારોહમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાંથી ઘણા કાર્યક્રમ પ્રથમ વખત જોવા મળશે. આ વખતે ભારતીય વાયુસેનાના 75 વિમાન આકાશમાં પ્રથમ વખત ઉડાન ભરતા નજરે આવશે. આ રાજપથ પર યોજાનારી અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાઈપાસ્ટ હશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ગ્રેન્ડ ફિનાલે અને પરેડના સેક્શન ફ્લાઈપાસ્ટમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાના 75 વિમાન ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગના રૂપે ઉડાન ભરતા નજરે આવશે.

મંત્રાલયે કહ્યું કે પ્રથમ વખત ભારતીય વાયુસેનાએ ફ્લાઈપાસ્ટ દરમિયાન કોકપિટનો વીડિયો દેખાડવા માટે દુરદર્શનની સાથે કોર્ડિનેશન કર્યુ છે. રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડકોટા જેવા જુના અને હાલના આધુનિક વિમાન ફ્લાઈ પાસ્ટમાં રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિત અલગ અલગ ફોર્મેશનનું પ્રદર્શન કરશે. મંત્રાલયે કહ્યું કે પ્રથમ વખત પરેડ દરમિયાન રાજપથ પર 75 મીટર લંબાઈ અને 15 ફૂટ ઉંચાઈના 10 સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે સ્ક્રોલ સુરક્ષા અને સંસ્કૃતિ મંત્રાલયો દ્વારા સંયુક્ત રીતે આયોજિત ‘કલાકુંભ’ કાર્યક્રમ દરમિયાન તૈયાર કરવામાં આવ્યા હતા.

દેશના 73મા પ્રજાસત્તાક દિવસ 2022ના (Republic Day 2022) અવસર પર દિલ્હીના રાજપથ પર ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાની ઝલક જોવા મળશે. રાજપથ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રિરંગો ફરકાવશે. આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ સમારોહમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાંઆવ્યું છે. જેમાંથી ઘણા કાર્યક્રમ પ્રથમ વખત જોવા મળશે. આ વખતે ભારતીય વાયુસેનાના 75 વિમાન આકાશમાં પ્રથમ વખત ઉડાન ભરતા નજરે આવશે.

સમારોહ દરમિયાન, રાજપથ પર પરેડ વહેલી સવારે 10 વાગ્યાને બદલે 10:30 વાગ્યે શરૂ થશે. ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શકો માટેની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે માત્ર 5,000 થી 8,000 લોકોને જ હાજરી આપવાની મંજૂરી છે.

આ પણ વાંચો: Budget 2022 : 5 રાજ્યની ચૂંટણીની બજેટમાં અસર દેખાશે? શું છે નિષ્ણાંતોનું અનુમાન

આ પણ વાંચો: Republic Day Celebration 2022 LIVE: રાજપથ પર જોવા મળશે આજે દેશની સૈન્ય શક્તિ, અનેકવિધ કાર્યક્રમનું આયોજન

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">