AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022 : 5 રાજ્યની ચૂંટણીની બજેટમાં અસર દેખાશે? શું છે નિષ્ણાંતોનું અનુમાન

ઉત્તર પ્રદેશ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડશે.

Budget 2022 : 5 રાજ્યની ચૂંટણીની બજેટમાં અસર દેખાશે?  શું છે નિષ્ણાંતોનું અનુમાન
Budget 2022 માં 5 રાજ્યની ચૂંટણીની અસર દેખાઈ શકે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:20 AM
Share

Budget 2022 : 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આ વખતે સરકારનું ફોકસ ગામ તરફ કેન્દ્રિત રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં કિસાન આંદોલન બાદ નિર્મલા સીતારામન(finance minister of india nirmala sitharaman) ખેડૂતો ઉપર વર્ચસ્વ વધારવા માટે ગ્રામીણ ભારત માટે કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.

ઉત્તર પ્રદેશ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડશે. કિસાન આંદોલન પછી ખેડૂતોમાં ખાસ કરીને પશ્ચિમ યુપીના ના ખેડૂતોમાં પાર્ટીનું વર્ચસ્વ કંઈક અંશે નબળું પડી ગયું છે. હવે બજેટ ખેડૂતોને આકર્ષવાની સારી તક છે.

વચનોની ભરમાર રહેશે

અર્થશાસ્ત્રી પ્રણવ સેન કહે છે કે આ બજેટમાં મોટી સંખ્યામાં વચનો હશે તેમાં કોઈ શંકા નથી. યુપીમાં ભાજપનું સૂત્ર ડબલ એન્જિન છે. તેથી બજેટમાં કેટલીક કેન્દ્રીય યોજનાઓની જાહેરાત થઈ શકે છે જેનો ફાયદો યુપી જેવા ચૂંટણી વાળા રાજ્યમાં શાસક સરકારને થશે.

માંગ વધારવા પર ભાર

ડેલોઈટ ઈન્ડિયાના અર્થશાસ્ત્રી રુમકી મજુમદાર કહે છે “માગ સર્જનની જરૂરિયાતને જોતાં સરકાર રોજગાર સર્જન અને કાર્યક્ષમ કાર્યબળ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે” તે બજેટ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને સ્થિરતા જાળવવાનો પ્રયાસ કરવાની આશા રાખે છે. હવે ધારીએ કે સીતારામન ગ્રામીણ યુવાનો માટે જોબ સ્કીમની જાહેરાત કરે છે અથવા હાલની યોજનાઓ માટે સબસિડીમાં વધારો કરે છે તે આચારસંહિતાને કારણે વધુ વિગતમાં જશે નહીં. તેનાથી યુપી અને ઉત્તરાખંડના યુવાનોને ફાયદો થશે. આમાં માત્ર મેસેજનો સમાવેશ થશે અને કેમપેઇન મેનેજર સંલગ્ન સૂત્ર આગળ વધારશે.

ત્રીજી લહેરની અસર મર્યાદિત હોઈ શકે છે

એક અખબારી અહેવાલ અનુસાર નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે કોવિડ ત્રીજી લહેર ઝડપથી વધી રહી છેઅને તે પણ ઝડપથી ઘટશે. આ કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તેની આર્થિક અસર મર્યાદિત રહી શકે છે. રાજીવ કુમારનું માનવું છે કે આ વખતે અવરોધો ઘણા ઓછા છે. 2021-22 માટે જીડીપી વૃદ્ધિ 9-9.2 ટકા રહેશે જે અપેક્ષા કરતાં થોડી ઓછી છે.

આ પણ વાંચો : Budget 2022 : બજેટમાં જીડીપીના 6 ટકાની ફાળવણી શિક્ષણ માટે હોવી જોઈએ

આ પણ વાંચો : Budget 2022: આ બજેટમાં સુરત માટે ટેક્સ્ટાઈલ પાર્કની જાહેરાતની વેપારીઓને અપેક્ષા, બે જગ્યાનું પ્રપોઝલ મુકાયું

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">