AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022 : 5 રાજ્યની ચૂંટણીની બજેટમાં અસર દેખાશે? શું છે નિષ્ણાંતોનું અનુમાન

ઉત્તર પ્રદેશ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડશે.

Budget 2022 : 5 રાજ્યની ચૂંટણીની બજેટમાં અસર દેખાશે?  શું છે નિષ્ણાંતોનું અનુમાન
Budget 2022 માં 5 રાજ્યની ચૂંટણીની અસર દેખાઈ શકે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:20 AM
Share

Budget 2022 : 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આ વખતે સરકારનું ફોકસ ગામ તરફ કેન્દ્રિત રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં કિસાન આંદોલન બાદ નિર્મલા સીતારામન(finance minister of india nirmala sitharaman) ખેડૂતો ઉપર વર્ચસ્વ વધારવા માટે ગ્રામીણ ભારત માટે કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.

ઉત્તર પ્રદેશ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડશે. કિસાન આંદોલન પછી ખેડૂતોમાં ખાસ કરીને પશ્ચિમ યુપીના ના ખેડૂતોમાં પાર્ટીનું વર્ચસ્વ કંઈક અંશે નબળું પડી ગયું છે. હવે બજેટ ખેડૂતોને આકર્ષવાની સારી તક છે.

વચનોની ભરમાર રહેશે

અર્થશાસ્ત્રી પ્રણવ સેન કહે છે કે આ બજેટમાં મોટી સંખ્યામાં વચનો હશે તેમાં કોઈ શંકા નથી. યુપીમાં ભાજપનું સૂત્ર ડબલ એન્જિન છે. તેથી બજેટમાં કેટલીક કેન્દ્રીય યોજનાઓની જાહેરાત થઈ શકે છે જેનો ફાયદો યુપી જેવા ચૂંટણી વાળા રાજ્યમાં શાસક સરકારને થશે.

માંગ વધારવા પર ભાર

ડેલોઈટ ઈન્ડિયાના અર્થશાસ્ત્રી રુમકી મજુમદાર કહે છે “માગ સર્જનની જરૂરિયાતને જોતાં સરકાર રોજગાર સર્જન અને કાર્યક્ષમ કાર્યબળ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે” તે બજેટ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને સ્થિરતા જાળવવાનો પ્રયાસ કરવાની આશા રાખે છે. હવે ધારીએ કે સીતારામન ગ્રામીણ યુવાનો માટે જોબ સ્કીમની જાહેરાત કરે છે અથવા હાલની યોજનાઓ માટે સબસિડીમાં વધારો કરે છે તે આચારસંહિતાને કારણે વધુ વિગતમાં જશે નહીં. તેનાથી યુપી અને ઉત્તરાખંડના યુવાનોને ફાયદો થશે. આમાં માત્ર મેસેજનો સમાવેશ થશે અને કેમપેઇન મેનેજર સંલગ્ન સૂત્ર આગળ વધારશે.

ત્રીજી લહેરની અસર મર્યાદિત હોઈ શકે છે

એક અખબારી અહેવાલ અનુસાર નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે કોવિડ ત્રીજી લહેર ઝડપથી વધી રહી છેઅને તે પણ ઝડપથી ઘટશે. આ કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તેની આર્થિક અસર મર્યાદિત રહી શકે છે. રાજીવ કુમારનું માનવું છે કે આ વખતે અવરોધો ઘણા ઓછા છે. 2021-22 માટે જીડીપી વૃદ્ધિ 9-9.2 ટકા રહેશે જે અપેક્ષા કરતાં થોડી ઓછી છે.

આ પણ વાંચો : Budget 2022 : બજેટમાં જીડીપીના 6 ટકાની ફાળવણી શિક્ષણ માટે હોવી જોઈએ

આ પણ વાંચો : Budget 2022: આ બજેટમાં સુરત માટે ટેક્સ્ટાઈલ પાર્કની જાહેરાતની વેપારીઓને અપેક્ષા, બે જગ્યાનું પ્રપોઝલ મુકાયું

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">