AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rath yatra 2022: પુરીના જગન્નાથ મંદિરનું 1100 વર્ષ જૂનું દુનિયાનું સૌથી મોટું રસોડું, જાણો ઇતિહાસ અને વિશેષતા

Rath yatra 2022: જગન્નાથ મંદિરનું રસોડું 11મી સદીમાં રાજા ઇન્દ્રવર્માના સમયે શરૂ થઈ હોવાનું કહેવાય છે. ત્યારે જૂનું રસોડું મંદિરની પાછળ દક્ષિણ દિશામાં આવેલું હતું. જે જગ્યા નાની હોવાના કારણે, હાલનું રસોડું 1682થી 1713ના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું છે.

Rath yatra 2022:  પુરીના જગન્નાથ મંદિરનું 1100 વર્ષ જૂનું દુનિયાનું સૌથી મોટું રસોડું, જાણો ઇતિહાસ અને વિશેષતા
Rathyatra 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 8:02 PM
Share

Rath yatra 2022: આજે અષાઢી બીજનો પાવન પર્વ છે. આજે અષાઢી બીજના દિવસે જગન્નાથ પુરીમાં (Jagannath Puri) ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા છે. આ રથયાત્રા સાથે જોડાયેલી અનેક માન્યતા અને પરંપરાઓ જાણવી રસપ્રદ બની રહે છે. પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. ત્યારે રથયાત્રામાં જોડાતા ભક્તો અને ભાવિકોના ભોજન અને પ્રસાદને (Bhojan-prasad)લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને, લાખો ભક્તોના પ્રસાદ માટે અહીં ખાસ રસોડું (kitchen)વરસોથી ચાલે છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને આ રસોડાની વિશેષતા અંગે માહિતી આપી રહ્યા છીએ.

જગન્નાથ પુરીના મંદિરના રસોડામાં લાખો લોકોનો પ્રસાદ બનાવવામાં આવે છે. કહેવાય છેકે આ રસોડું દુનિયાનું સૌથી મોટું રસોડું છે. જ્યાં દરરોજ લગભગ 1 લાખ લોકોનું ભોજન બનાવવામાં આવે છે. આ સાથે આ મંદિરમાં ભગવાનને દરરોજ 6 વખત ભોગ ધરાવવામાં આવે છે. જેમાં 56 પ્રકારના પકવાન ભગવાનને પ્રસાદરૂપે ધરાવવામાં આવે છે. ભગવાનને પ્રસાદનો ભોગ ધરાવ્યા પછી આ મહાપ્રસાદ મંદિર પાસે જ રહેલ આનંદ બજારમાં વેચાય જાય છે.

જગન્નાથ મંદિરના રસોડાનો ભવ્ય ઇતિહાસ

જગન્નાથ મંદિરનું રસોડું 11મી સદીમાં રાજા ઇન્દ્રવર્માના સમયે શરૂ થઈ હોવાનું કહેવાય છે. ત્યારે જૂનું રસોડું મંદિરની પાછળ દક્ષિણ દિશામાં આવેલું હતું. જે જગ્યા નાની હોવાના કારણે, હાલનું રસોડું 1682થી 1713ના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું છે. તે સમયના રાજા દિવ્ય સિંહદેવે આ રસોડું બનાવ્યું હતું. ત્યારથી જ આ રસોડામાં ભોજન અને પ્રસાદ બનાવવામાં આવે છે.

જગન્નાથ મંદિરના રસોડાની ખાસિયત

પુરીના જગન્નાથ મંદિરના નવા રસોડાની ખાસિયત જોઇએ તો આ રસોડું 8000 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે. અને આ રસોડામાં કુલ 240 ચુલામાં રસોઇ બને છે. આ રસોડાની ઉંચાઇ 20 ફૂટ છે, રસોડાની પહોળાઇ 80 ફૂટ અને લંબાઇ 100 ફૂટ છે. આ રસોડું મંદિરની દક્ષિણ-પૂર્વ દિશામાં છે. આ રસોડામાં ઉત્તરમાં ગંગા-યમુના નામના બે કુવા છે. આ કુવાના પાણીથી જ ભોજન તૈયાર કરાય છે. આ ભોજન તૈયાર કરવા માટે મોટા-મોટા 10 જ વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ રસોડામાં અનેક બ્રાહ્મણ પરિવારો પેઢીઓથી માત્ર ભોજન-પ્રસાદ બનાવવાનું જ કામ કરી રહ્યા છે. 800 લોકોની દેખરેખ હેઠળ ભોજન બને છે. અને, ભોજન બનાવવા 500 રસોઇયા છે. આ સાથે 300 સહયોગીઓ પ્રસાદ તૈયાર કરે છે. થોડાક જ લોકો મહાપ્રસાદ બનાવવા માટે માટીના વાસણ બનાવે છે. કેમ કે આ રસોડામાં બનાવવામાં આવતા શુદ્ધ અને સાત્વિક ભોજન માટે દરરોજ નવા વાસણનો ઉપયોગ કરવાની પરંપરા છે.

દરરોજ 700 હાંડીઓમાં કેવી રીતે પ્રસાદ બને છે ?

દરરોજ 700 હાંડીઓમાં પ્રસાદ તૈયાર કરાય છે. જેમાં 4 મોટી હાંડી, 6 મીડિયમ કદની હાંડી, 5 નાની હાંડી, 3 પ્રકારના વાટકા અને 3 પ્રકારની પ્લેટ હોય છે. એક મોટી હાંડીમાં 100 લોકો જમી શકે તેટલા ચોખા તૈયાર થઇ શકે છે.પ્રસાદ તૈયાર થઇ ગયા બાદ હાંડીઓને તોડી નાંખવામાં આવે છે. અને, નવા દિવસે નવી હાંડીઓમાં પ્રસાદ તૈયાર થાય છે. આ રસોડામાં માત્ર 15 જ મિનિટમાં 17 હજાર લોકોનું ભોજન તૈયાર થતું હોય છે.

ભોજનની શુદ્ધતા

દરરોજ 6 પ્રકારના રસનો ભોગ, આયુર્વેદ પ્રમાણે ભગવાનના ભોગમાં 6 રસનું ધ્યાન રખાય છે. ભોગમાં બનાવવામાં આવતું ભોજન મીઠું, ખાટું, નમકીન, તીખું અને કડવું જેવા સ્વાદનું હોય છે. જેમાં તીખા અને કડવા સ્વાદવાળા ભોજનનું નૈવેદ્ય ભગવાનને ધરાવવામાં આવતું નથી.

ભગવાનને દરરોજ 56 ભોગ અને 10 પ્રકારની મિઠાઇ બને છે, શાકભાજીમાં મૂળો, દેશી બટાકા, કેળા, રીંગણ, સફેજ અને લાલ કદુ, કંદમૂળ, પરવળ, બોર અને અળવીનો ઉપયોગ કરવામાં આવે છે. દાળમાં માત્ર મગ, તુવેર, અડદ અને ચણાની દાળ બનાવાય છે. ભોગ સંપૂર્ણ રીતે સાત્વિક હોય છે. એટલે લવિંગ, બટાકા, ટામેટા, લસણ, ડુંગળી અને ફલાવરનો ઉપયોગ કરવામાં આવતો નથી.

મસાલાઓમાં જીરૂ, ધાણા, મરી, વરિયાળી, તમાલ પત્ર, તજ અને સરસિયાનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠાઈ માટે ખાંડની જગ્યાએ સારી ગુણવત્તાવાળા ગોળનો ઉપયોગ થાય છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">