ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના

TV9 GUJARATI

|

Updated on: Oct 01, 2021 | 4:54 PM

AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આગામી 6 થી 8 અઠવાડિયા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જો આપણે આગામી દો અઢી મહિના સુધી તકેદારી અને સાવધાની રાખીએ તો કોરોના સંક્રમણના કેસો ઘટશે.

ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના
Dr. Randeep Guleria
Follow us

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજુ ચાલુ છે. રાહતની વાત એ છે કે, દેશમાં છેલ્લા એક સપ્તાહથી રોજના 30 હજારથી પણ ઓછા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જો કે, આગળ તહેવારોની મોસમ આવી રહી છે, જે કોરાનાની ત્રીજી લહેર (Corona Third Wave) માટે જોખમી સાબિત થાય તેમ છે. AIIMS ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે આગામી 6 થી 8 સપ્તાહ ખૂબ મહત્વના છે. જો આ સમયગાળા દરમિયાન અગાઉ જેવી જ સાવચેતી દાખવવામાં આવે, કોઈ બેદરકારી ના દાખવવામાં આવે તો, કોરોનાના કેસ હાલ જે આવી રહ્યાં છે તેમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.

ગુલેરિયાએ કહ્યું, ‘આપણે તહેવારોના સમયગાળામાં સાવધ અને સાવચેત રહેવું પડશે. જો આપણે આગામી 6-8 અઠવાડિયા સુધી જાગ્રત રહીશું, તો આપણે ત્યાં જોવા મળતા કોરોનાના કેસોમાં ઘટાડો જોઈ શકીશુ. એમ્સના ડિરેક્ટરની આ ચેતવણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે તહેવારો દરમિયાન દરેક શહેરોના મુખ્ય બજારોમાં ઘણી ભીડભાડ હોય છે, જે કોરાનાના વાયરસના ફેલાવા માટે સૌથી અનુકૂળ છે. આગામી એક કે બે મહિનામાં નવરાત્રી, દુર્ગાપુજા, દશેરા, દિવાળી, છઠ, ક્રિસમસ જેવા ઘણા તહેવારો આવી રહ્યાં છે.

શુક્રવારે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 26,727 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 28,246 દર્દીઓ સ્વસ્થ બન્યા અને 277 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં આ આંકડા આપવામાં આવ્યા છે. દેશમાં હાલમાં કોરોનાના 275224 સક્રિય કેસ છે. આ કુલ કેસોના 0.82 ટકા છે, જે છેલ્લા 196 દિવસોમાં સૌથી ઓછા છે.

કોરોના મહામારીમાંથી ભારતનો સાજા થવાનો દર હવે 97.86 ટકા પર પહોંચી ગયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 32 દિવસથી દૈનિક પોઝીટીવ કેસનો દર 3 ટકાથી ઓછો અને સતત 115 દિવસો માટે 5 ટકાથી ઓછો રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 64,40,451 રસીના ડોઝ સાથે, ભારતનું કુલ કોરોના રસીકરણ કવરેજ 89,02,08,007 પર પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ

Harnaaz Sandhu : મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી, જાણો આ બ્યુટી પેઝન્ટ વિશે

આ પણ વાંચોઃ

ત્રિશુલ પર્વત સર કરવા ગયેલી ભારતીય નૌકાદળની ટીમ હિમપ્રપાતની ચપેટમાં આવી, 5 પર્વતારોહક લાપતા, રેસ્ક્યુ ટીમ રવાના

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati