ramnavmi2021: રામ નવમી પર કેવી રીતે કરશો ભગવાન શ્રીરામની પૂજા, જાણો વ્રત સાથે જોડાયેલી કામની વાતો

ramnavmi2021: રામ નવમીનું પાવન પર્વ મર્યાદા પુરષોત્તમ શ્રીરામ નાં જન્મોત્સવનો શુભ તહેવાર છે. રામજીનો જન્મ ચૈત્ર મહિનાની નવમી તિથિએ ત્રેતાયુગમાં થયો હતો, એટલેજ દર વર્ષની ચૈત્ર શુક્લ નવમીનાં દિવસને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.

ramnavmi2021: રામ નવમી પર કેવી રીતે કરશો ભગવાન શ્રીરામની પૂજા, જાણો વ્રત સાથે જોડાયેલી કામની વાતો
ramnavmi2021: રામ નવમી પર કેવી રીતે કરશો ભગવાન શ્રીરામની પૂજા
Follow Us:
| Updated on: Apr 21, 2021 | 9:29 AM

ramnavmi2021: રામ નવમીનું પાવન પર્વ મર્યાદા પુરષોત્તમ શ્રીરામ નાં જન્મોત્સવનો શુભ તહેવાર છે. રામજીનો જન્મ ચૈત્ર મહિનાની નવમી તિથિએ ત્રેતાયુગમાં થયો હતો, એટલેજ દર વર્ષની ચૈત્ર શુક્લ નવમીનાં દિવસને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાનીની પૂજા પણ કરે છે. રામનવમીનાં દિવસે અયોધ્યા સહિત તમામ રામ મંદિરોમાં જન્મોત્સવ મનાવવામાં આવશે. જો કે કોરોનાનો આ વખતે દુષપ્રભાવ હોવાને લઈ સાર્વજનિક જગ્યા પર જવાનું ટાળવું જોઈએ અને ઘરમાંજ આ ઉત્સવને મનાવવો જોઈએ.

રામ નવમી પૂજા મુહૂર્ત 2021

ત્રેતાયુગમાં લંકાનાં રાજા રાવણનો વધ કરીને અને પૃથ્વીને તેના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. ચૈત્ર શુક્લ નવમીએ અયોધ્યામાં મહારાજા દશરથનાં ઘરે પ્રભુ રામનો જન્મ થયો હતો. તેમની માતા કૌશલ્યાએ તેમને બપોરનાં સમયે જન્મ આપ્યો હતો એવામાં રામ જન્મોત્સવનું મુહૂર્ત પણ બપોરનાં સમયે જ હોય છે. આ વર્ષે રામ જન્મોત્સવ દિવસે 11 વાગીને 02 મિનિટ અને બપોરે 01 વાગીને 38 મિનિટ સુધી મનાવી શકાશે. ચૈત્ર શુક્લની નવમી તિથિનો પ્રારંભ 20 એપ્રિલે મોડી રાતે 12.43 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે કે જે 21 એપ્રિલે મોડી રાતે 12.35 વાગ્યા સુધી રહેશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રામનવમીનાં જાણો કઈ રીતે રાખશો વ્રત અને શું રાખશો સાવધાનીરામનવમીનું વ્રત અને પૂજા વિધિ

રામનવમીનાં દિવસે સ્નાન વગેરેથી પરવારીને ચોખ્ખા કપડા પહેરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. પૂજા સ્થાન પર રામજીની નાનપણની મૂર્તિ અથવાતો તસવીર પણ રાખી શકાય છે. બાદમાં તેમના પર ગંગા જળથી અભિષેક કરવો જોઈએ. રોલી, ચંદન, ચોખા, ધૂપ, અષ્ટગંધ, ફુલ વગેરેથી પૂજા કરવી જોઈએ. ફળ અને ઘરમાં બનાવવામાં આવેલી મીઠાઈ કે પકવાન તેમને અર્પણ કરવા જોઈએ અને તેમનો ભોગ લગાવવો જોઈએ. રામરક્ષાસ્તોત્રનો પાઠ કરો અને અંતમાં રામજીની આરતી કરવી જોઈએ. જન્મોત્સવ મુહૂર્તમાં તેમની મૂર્તિને પારણામાં કેટલાક સમય સુધી ઝુલાવવામાં આવે છે. પૂજા સમાપન બાદ પ્રસાદ લોકોમાં વહેચી દેવો જોઈએ. ફળાહાર કરીને વ્રત કરવું જોઈએ. વ્રત વાળા દિવસે રામચરિત માનસ અને રામાયણનો પાઠ કરવો જોઈએ, બીજા દિવસે સૂર્યોદય પછી પારણા કરીને વ્રતને પુરૂ કરવું જોઈએ.

તમામ મનોકામના પુરી કરે છે શ્રીરામ

રામનવમીનું વ્રત રાખવા પર પ્રભુ રામની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. રામરક્ષાસ્તોત્રનો પાઠ કરવાથી પણ તમામ દુખો દુર થાય છે.

વ્રતમાં ધ્યાન રાખવા જેવી વાત

  1. વ્રત પહેલા માસ મદિરાનું સેવન ન કરવું જોઈએ
  2. ડુંગળી અને લસણનું સેવન વર્જીત ગણવામાં આવે છે
  3. વ્રત માટે સ્વયંને મન, કર્મ અને વચનથી પવિત્ર કરવામાં આવે
  4. કોરોના મહામારીનાં આ દોરમાં મંદિર જવાથી બહેતર છે કે ઘરમાંજ રહીને પૂજા કરવામાં આવે
  5. ભગવાન રામને ખીર, કેસર, ભાતનો ભોગ ધરાવવો જોઈએ
  6. પ્રભુ રામને બરફી, ગુલાબ જાંબુ, કલાકંદનો પણ ભોગ લગાવી શકાય છે

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">