જેલ કે ફાંસીની સજા નહીં, બળાત્કારીઓને નપુંસક બનાવી નાખવા જોઈએ- જુઓ રાજસ્થાનના રાજ્યપાલનો વીડિયો
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉએ કહ્યું કે, બળાત્કારીઓને નપુંસક કરીને છોડી દેવા જોઈએ. તેમણે કહ્યું કે આમ કરવાથી બળાત્કારના મામલા ઘટશે કારણ કે અન્ય લોકો આ પ્રકારનો ગુનો કરવાથી ડરશે.

ભારતમાં નિર્ભયા દિલ્હી રેપ, કોલકાતા ડોક્ટર રેપ અને મર્ડર કેસ, ગુજરાતમાં વાધોડિયા સામૂહિક બળાત્કાર જેવા જઘન્ય અપરાધિક કિસ્સાઓ સામે આવ્યા પછી પણ બળાત્કારની ઘટનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. આવી સ્થિતિમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ કહ્યું કે જે લોકો બળાત્કાર કરે છે તેમને નપુંસક બનાવી દેવા જોઈએ.
આ કરવું જરૂરી છે જેથી અન્ય લોકો આવા ગુના કરવાનું ટાળે. રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે, ભરતપુરમાં જિલ્લા બાર એસોસિએશનના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. તેમના સંબોધન દરમિયાન રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં એક નગર પંચાયત છે. ત્યાં ઘણા શ્વાન હતા અને તેમની સંખ્યા વધી રહી હતી, તેથી તેમની સંખ્યા ઘટાડવા માટે કાસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે બળાત્કારીઓ સામે પણ આવા જ પગલાં લેવા જોઈએ. તેમને નપુંસક કરો અને તેમને આ રીતે જીવવું પડશે અને જ્યારે અન્ય લોકો તેને જોશે, ત્યારે તેઓને યાદ આવશે કે આ વ્યક્તિએ બળાત્કાર કર્યો હતો. રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, બળાત્કાર કરનારાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે.
તેમને નિયંત્રિત કરવું જરૂરી છે
રાજ્યપાલે કહ્યું કે આવા ગુનેગારોને નાથવા ખૂબ જ જરૂરી છે. જો તેઓને નિયંત્રિત કરવામાં નહીં આવે, તો તેઓ સમાજ માટે ખતરો બની રહેશે. તેમણે એવા કેટલાક વીડિયોની આકરી ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું કે પીડિતાને મદદ કરવાને બદલે કેટલાક લોકો મહિલાઓની ઉત્પીડન અથવા તેના જેવી જ અન્ય કોઈ ઘટનાનો વીડિયો બનાવે છે. તેમના આ કૃત્ય પર તેમને પોતાને જ શરમ આવવી જોઈએ.
તેમણે કહ્યું કે જ્યાં સુધી આપણે આપણી વિચારસરણી અને વિચારો નહીં બદલીએ ત્યાં સુધી બળાત્કાર જેવી ઘટનાઓ અટકશે નહીં. તેમણે લોકોને આગળ આવવા અને પીડિતાઓને મદદ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ તમામ મામલામાં તાત્કાલિક ન્યાય મળવો જોઈએ.
બળાત્કારની ઘટનાઓમાં આવી પ્રક્રિયાઓ પર કેવી રીતે ભાર મૂકવો તે અંગે, રાજ્યપાલે, કાર્યક્ર્મમાં ઉપસ્થિત વકીલોને વિનંતી કરી કે તેઓ સામાન્ય લોકોને સમયસર અને સરળ ન્યાય આપવા માટે તેમના જ્ઞાન અને કૌશલ્યનો યોગ્ય ઉપયોગ કરે. રાજ્યપાલે એમ પણ કહ્યું કે, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે દરેક વ્યક્તિએ આવી ઘટનાઓમાંથી પાઠ શીખવાની જરૂર છે.