AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનના ઉદયપુરમાં આવતીકાલથી કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર, સોનિયા અને રાહુલ સહિત 400 નેતાઓ ભાગ લેશે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા ઉદયપુરમાં યોજાનાર ત્રણ દિવસીય કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નવસંકલ્પ ચિંતન શિબિરની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

રાજસ્થાનના ઉદયપુરમાં આવતીકાલથી કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર, સોનિયા અને રાહુલ સહિત 400 નેતાઓ ભાગ લેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:26 PM
Share

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા ઉદયપુરમાં યોજાનાર ત્રણ દિવસીય કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નવસંકલ્પ ચિંતન શિબિરની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારે તૈયારીઓને આખરી ઓપ આપવા માટે દિલ્હીથી ઉદયપુર પહોંચી ગયા છે. ચિંતન શિબિર માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ટ્રેન દ્વારા ઉદયપુર જશે. માહિતી આપતા CWC સભ્ય રઘુવીર મીણાએ કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના 74 મોટા નેતાઓ સાથે ટ્રેન દ્વારા ઉદયપુર પહોંચશે.

કોંગ્રેસના વ્યૂહરચનાકારોનું કહેવું છે કે જ્યારે પણ પાર્ટીએ ચિંતન શિબિરનું આયોજન કર્યું છે, ત્યારે પાર્ટી નવા જોશ અને ઉત્સાહ સાથે પાછી ફરી છે. બીજી તરફ ચાર મોટા રાજ્યો રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અને 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.

પ્રિયંકા-સોનિયા પ્રાઈવેટ પ્લેન દ્વારા પહોંચશે

જણાવી દઈએ કે ચિંતન શિબિરમાં સામેલ થવા માટે, રાહુલ ગાંધી 12 મેની સાંજે હઝરત નિઝામુદ્દીનથી મેવાડ એક્સપ્રેસમાં સવાર થશે અને 13 મેના રોજ સવારે 7 વાગ્યે ઉદયપુર સિટી રેલવે સ્ટેશન પહોંચશે, ત્યારબાદ ઉદયપુરમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે.

આ પછી રાહુલ ગાંધી સિટી સ્ટેશનથી તેમના કાફલા સાથે કેમ્પ સાઈટ તાજ અરાવલી પહોંચશે, જ્યાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ સહિત 150 કોંગ્રેસી નેતાઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કોંગ્રેસના 350 નેતાઓ અનંતા રિસોર્ટ, ઓરિકા રિસોર્ટ સહિત અન્ય હોટલોમાં રોકાશે.

સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ચિંતન શિબિર માટે ખાનગી વિમાન દ્વારા ઉદયપુર પહોંચશે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારથી ઉદયપુર પહોંચી ગયા છે અને તેઓ 16 મે સુધી ઉદયપુરમાં જ રહેશે. બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા, પ્રદેશ પ્રભારી અજય માકન મંગળવારે જ ઉદયપુર પહોંચ્યા હતા.

કોંગ્રેસના 400 જેટલા નેતાઓ ચિંતન કરશે

કોંગ્રેસના નેતાઓની ઉદયપુર પહોંચવાની પ્રક્રિયા 8 મેથી શરૂ થઈ ગઈ છે. માનવામાં આવે છે કે ઉદયપુરમાં યોજાનાર કોંગ્રેસના ચિંતન શિબિરમાં લગભગ 400 નેતાઓ એકઠા થશે, જેમના માટે 6 હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ વર્ષ 2013માં કોંગ્રેસે જયપુરમાં ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત સર્વાનુમતે કરવામાં આવી હતી. જોકે, 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">