મધ પર સવાલ, CSEની તપાસમાં પતંજલિ-ડાબર સહિત 13 કંપનીના મધમાં ભેળસેળ જણાઈ, પતંજલિના બાલકૃષ્ણ બોલ્યા, આ બદનામ કરવાનું ષડયંત્ર
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)એ દેશભરમાં વેચાતા સિલબંધ મધની તપાસ કરી છે.. જેમાં પતંજલિ, ડાબર, બૈધનાથ અને ઝંડુ જેવી પ્રખ્યાત કંપનીઓના જે તે બ્રાન્ડના મધ પણ ટેસ્ટમાં ફેલ થયાં છે. CSEની તપાસમાં આ કંપનીઓના મધમાં 77 ટકા જેટલી મિલાવટ મળી આવી છે. મિડીયા રિપોર્ટ મુજબ એવી વાત પણ આવી છે કે કેટલાકમાં તો ખાંડ […]
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)એ દેશભરમાં વેચાતા સિલબંધ મધની તપાસ કરી છે.. જેમાં પતંજલિ, ડાબર, બૈધનાથ અને ઝંડુ જેવી પ્રખ્યાત કંપનીઓના જે તે બ્રાન્ડના મધ પણ ટેસ્ટમાં ફેલ થયાં છે. CSEની તપાસમાં આ કંપનીઓના મધમાં 77 ટકા જેટલી મિલાવટ મળી આવી છે. મિડીયા રિપોર્ટ મુજબ એવી વાત પણ આવી છે કે કેટલાકમાં તો ખાંડ પણ ભેળવવામાં આવી છે. જ્યારે ડાબર અને પતંજલિએ આ તપાસ પર જ સવાલ ઉઠાવ્યાં છે.
કંપનીઓનું કહેવું છે કે આ તપાસનો ઉદ્દેશ અમારી બ્રાન્ડની છબી ખરાબ કરવાનો છે. જે પૂર્વઆયોજીત છે. કંપનીઓએ દાવો કર્યો છે કે અમે ભારતમાં જ પ્રાકૃતિક રીતે મળનારા મધને એકઠું કરીએ છીએ અને તેને જ વેંચીએ છીએ. જેને ખાંડ કે અન્ય કોઇ વસ્તુની મિલાવટ વગર જ પેક કરવામાં આવે છે. કંપનીઓએ કહ્યું હતું કે મધની તપાસ માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ( FSSAI ) ના નિયમોને અને ધોરણોને માન્ય રખાય છે.. ડાબરના એક પ્રવક્તાએ કહ્યું હતું કે અમારૂ મધ 100 ટકા શુદ્ધ અને દેશી છે. જે રિપોર્ટ આવ્યો છે તે પૂર્વઆયોજીત લાગે છે.
લાખો ખેડુતોને સાઈડલાઈન કરવાનું ષડયંત્ર- બાલકૃષ્ણ પતંજલી આયુર્વેદના મેનેજીંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે- ભારતમાં પ્રાકૃતીક મધ બનાવતી ઇન્ડસ્ટ્રીઝને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. જેથી પ્રોસેસ્ટ મધને પ્રમોટ કરી શકાય. આ વિલેજ કમીશન અને ખાદી દ્વારા લાખો ગ્રામીણ ખેડુતો દ્વારા બનાવાતુ મધ છે.. તેની જગ્યાએ પ્રોસેસ્ડ, આર્ટીફિશ્યલ, વેલ્યુ એડેડ મધને લાવવાનું ષડયંત્ર છે.. અમે 100 ટકા પ્રાકૃતિક મધ બનાવીએ છીએ. આ તો FSSAI ના 100 થી વધુ ધારાધોરણો પર પણ સવાલ છે.
CSEની તપાસમાં ચાઈનીઝ મીલાવટનું કનેક્શન તપાસમાં સામે આવ્યું છે કે અલીબાબા જેવા ચાઈનીઝ પોર્ટલ પર એવા સિરપ વેંચાઈ રહ્યાં છે. જે ટેસ્ટને સરપાસ કરી શકે છે. ચીની કંપનીઓ ફ્રકટોઝના નામ પર આ સીરપ ભારતને એક્સપોર્ટ કરી રહી છે. જ્યારે બીજી તરફ મધમાં આ જ સીરપની મીલાવટના પણ પ્રમાણ મળ્યાં છે. CSEએ કહ્યું છે કે 2003 અને 2006માં સોફ્ટ ડ્રિંકમાં તપાસ દરમ્યાન જે મિલાવટ મળી હતી તેનાથી પણ ખતરનાક મીલાવટ મધમાં મળી છે. આ મીલાવટ આપણા સ્વાસ્થ્યને વધુ નુકશાન પહોંચાડનારી છે.
CSEએ કહ્યું કે- અમારા રિસર્ચમાં સામે આવ્યું છે કે બજારમાં વેંચાતા મધ ભેળસેળ વાળા છે. મધની સરખામણીએ લોકો ખાંડ વધુ ખાઈ રહ્યાં છે. તેનાથી કોવિડનું જોખમ પણ વધી ગયું છે. કારણ કે, ખાંડ એ સીધો મોટાપા સાથે સંબંધ ધરાવતો મામલો છે. પાછલા વર્ષે FSSAI એ આયાતકારો અને રાજ્યોના ખાધ કમિશ્નરને ચેતવણી આપી હતી કે ગોલ્ડન સિરપ, ઇનવર્ટ શુગર સિરપ અને રાઈસ સિરપને ઇમ્પોર્ટ કરીને મધમાં ભેળસેળ કરાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો