AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Politics: સિદ્ધુ ફરી વિફર્યા, કહ્યું ભાજપનાં વફાદાર સીએમ કેપ્ટન અમરિંદર, ED કંટ્રોલ કરે છે

નવજોત સિંહ સિદ્ધુ(Navjot Singh Siddhu)એ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarinder Singh)પર નિશાન સાધ્યું છે, તેમણે અમરિંદર સિંહને ભાજપના વફાદાર મુખ્યમંત્રી ગણાવ્યા

Punjab Politics: સિદ્ધુ ફરી વિફર્યા, કહ્યું ભાજપનાં વફાદાર સીએમ કેપ્ટન અમરિંદર, ED કંટ્રોલ કરે છે
Sidhu lashes out on Capt Amarinder
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 5:53 PM
Share

Punjab Politics:પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ(Navjot Singh Siddhu)એ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarinder Singh)પર નિશાન સાધ્યું છે તેમણે અમરિંદર સિંહને ભાજપના વફાદાર મુખ્યમંત્રી ગણાવ્યા છે. આ સાથે તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે ED અમરિંદર સિંહને નિયંત્રિત કરે છે. તેમણે ટ્વીટ કર્યું, “અમે કોંગ્રેસના 78 ધારાસભ્યો, અમને જે મળ્યું તે ક્યારેય વિચાર્યું પણ નહોતું, EDએ પંજાબના ભાજપના વફાદાર મુખ્યમંત્રીને નિયંત્રિત કર્યા, જેમણે પોતાની ચામડી બચાવવા પંજાબના હિતોને વેચી દીધા! તમે પંજાબના ન્યાય અને વિકાસને અટકાવનાર નકારાત્મક શક્તિ હતા.” 

નવજોત સિંહ સિદ્ધુએ વધુમાં કહ્યું, “તમે મારા દરવાજા બંધ કરવા માંગતા હતા, કારણ કે હું લોકોનો અવાજ ઉઠાવી રહ્યો હતો, સત્તા માટે સાચું બોલી રહ્યો હતો. છેલ્લી વખત જ્યારે તમે તમારો પક્ષ બનાવ્યો હતો, ત્યારે તમે માત્ર 856 મત મેળવીને તમારો મત ગુમાવ્યો હતો. પંજાબના હિત સાથે સમાધાન કરવા બદલ પંજાબના લોકો ફરીથી તમને સજા કરવાની રાહ જોઈ રહ્યા છે.

અમરિંદર સિંહે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી

નવજોત સિંહ સિદ્ધુનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘હું પાર્ટી બનાવી રહ્યો છું. હવે પ્રશ્ન એ છે કે પાર્ટીનું નામ શું છે, હું તમને આ કહી શકતો નથી કારણ કે હું પોતે જ જાણતો નથી. જ્યારે ચૂંટણી પંચ પાર્ટીના નામ અને ચિહ્નને મંજૂરી આપશે, ત્યારે હું તમને જણાવીશ. 

થોડા સમય પહેલા કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા નવી પાર્ટી બનાવવાની વાત કરી હતી અને ભાજપ સાથે ગઠબંધનના સંકેત પણ આપ્યા હતા. આ એપિસોડમાં તેણે હવે પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે નવજોત સિંહ સિદ્ધુ વિશે કહ્યું કે તેઓ જ્યાં પણ લડશે, અમે તે સીટ પરથી લડીશું. કેપ્ટન અમરિન્દર સિંહે વધુમાં કહ્યું કે, “પંજાબમાં અમે તમામ 117 સીટો પર ચૂંટણી લડીશું, પછી ભલે લડાઈ ગઠબંધનમાં હોય કે પોતાના દમ પર.

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">