AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્યમંત્રી યોગીએ ક્રિસમસ અને નવા વર્ષ માટે આપી કડક સૂચના, પાર્ટીઓ પર લાગી શકે છે પ્રતિબંધ

કોરોના સંક્ર્મણની નવી લહેરની આશંકાથી વહીવટીતંત્ર એલર્ટ પર છે અને માનવામાં આવે છે કે જો સંક્ર્મણ વધશે તો ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

Uttar Pradesh:  કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્યમંત્રી યોગીએ ક્રિસમસ અને નવા વર્ષ માટે આપી કડક સૂચના, પાર્ટીઓ પર લાગી શકે છે પ્રતિબંધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:33 AM
Share

દેશ અને દુનિયામાં કોરોનાના (Corona) નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો (Omicron) ખતરો જોઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ક્રિસમસ અને નવા વર્ષના અવસર પર કડક નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. જો કે, અગાઉ રાજ્ય સરકારે કહ્યું હતું કે રાજ્યમાં યોજાનાર કાર્યક્રમો કોરોના નિયમો હેઠળ યોજવામાં આવશે. કારણ કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યું છે અને રાજ્યમાં કોરોનાના કેસ સતત સામે આવી રહ્યા છે.

તો બીજી તરફ કોરોના સંક્ર્મણની નવી લહેરની આશંકાથી વહીવટીતંત્ર એલર્ટ પર છે અને માનવામાં આવે છે કે જો સંક્ર્મણ વધશે તો ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. હાલમાં યોજાનાર કાર્યક્રમોમાં પ્રશાસને તમામ જગ્યાએ સાવચેતી રાખવા અને પ્રોટોકોલનું પાલન કરવા સૂચના આપી છે.

નોંધનીય છે કે કોરોનાના વધતા સંક્રમણ અને ઓમિક્રોનના કેસ નોંધાયા બાદ દિલ્હી અને મહારાષ્ટ્રમાં નવા વર્ષની પાર્ટી અને ક્રિસમસના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ, જો રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થાય છે તો રાજ્યની યોગી સરકાર પણ આવા નિર્ણયો લઈ શકે છે.

તે જ સમયે, રાજધાની લખનૌમાં પણ કોરોના સંક્ર્મણના કેસ સામે આવી રહ્યા છે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને પુત્રી પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં કોરોનાના કેસને કારણે રેડ ઝોન બનાવવામાં આવ્યા છે.

કોરોના પ્રોટોકોલથી પાર્ટીનું આયોજન કરવા માટેની સૂચનાઓ હાલમાં, લખનૌ જિલ્લા પ્રશાસને આબકારી અને ખાદ્ય નિરીક્ષકોને હોટલ, રેસ્ટોરન્ટ, બાર અને રિસોર્ટમાં કોરોના પ્રોટોકોલના કડક નિયમો લાગુ કરવા સૂચના આપી છે. કારણ કે આ સ્થળોએ નવા વર્ષની પાર્ટી અને ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ભીડ જામી જવાની સંભાવના છે. તેથી આવી સ્થિતિમાં કોરોના વધવાનો ભય છે.

રેસ્ટોરન્ટ અને બાર સંચાલકોમાં નવા વર્ષ અને નાતાલને લઈને ઉત્સાહ મળતી માહિતી મુજબ, લખનૌની ઘણી હોટલ અને રેસ્ટોરન્ટમાં નવા વર્ષ અને ક્રિસમસ માટે બુકિંગ થઈ ગયું છે. સાથે જ હોટેલીયર્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે કોરોનાને કારણે પાર્ટીઓ બે વર્ષથી બંધ હતી. પરંતુ હવે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દેશમાં દસ્તક આપી છે.

આ પણ વાંચો : Paikstan news : ઈમરાન ખાનની તેમના જ દૂતાવાસે કાઢી ઇજ્જત? પોસ્ટ વાઈરલ થયા બાદ કરી ડિલીટ !

આ પણ વાંચો : સતર્ક મહારાષ્ટ્ર : વધતા કોરોના કેસને પગલે આજે રાજ્ય સરકાર જાહેર કરશે નવી ગાઈડલાઈન, શું ન્યુ યર પાર્ટી રહેશે ફિક્કી ?

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">