Capt Amarinder Singh: શું તમે અમરિંદર સિંહની કારકિર્દી વિશે આ વાત જાણો છો, યુદ્ધમાં પણ ભાગ લઈ ચૂક્યા છે

કેપ્ટન અમરિંદર સિંહની ગણતરી કોંગ્રેસના સૌથી મજબૂત પ્રાદેશિક નેતાઓમાં કરવામાં આવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં જ પાર્ટીએ 117માંથી 77 બેઠકો જીતી અને 10 વર્ષ પછી કોંગ્રેસને પુન: જીવિત કરી.

Capt Amarinder Singh: શું તમે અમરિંદર સિંહની કારકિર્દી વિશે આ વાત જાણો છો, યુદ્ધમાં પણ ભાગ લઈ ચૂક્યા છે
Captain Amarinder Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 7:40 PM

Capt Amarinder Singh: પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ અટકવાનું નામ નથી લઈ રહી. કેપ્ટન અમરિંદર સિંહે મંત્રીમંડળ સાથે તેમનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે.

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુની(Navjot Singh Siddhu) પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ ત્યારથી કોંગ્રેસમાં અંદરોઅંદર ઝઘડા વધવા લાગ્યા અને તે વધતા ગયા. એક બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ(Punjab CM Captain Amrindar Singh)હતા અને બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધુ છે. રાજકીય વિશ્લેષકોના મતે આ ઝઘડાને મહત્વાકાંક્ષાની લડાઈ તરીકે વર્ણવવામાં આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વિધાનસભાની ચૂંટણીના બરાબર છ મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ, કેપ્ટન વિરુદ્ધ બળવાનું નેતૃત્વ કરતા જોવા મળે છે. કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ પાર્ટીના ટોચના નેતૃત્વને પત્ર લખીને કેપ્ટનને હટાવવાની માંગ કરી છે. તે જ સમયે ઘણા ધારાસભ્યો અને નેતાઓનું જૂથ કેપ્ટનની તરફેણમાં ઉભા છે. શનિવારે સાંજે કોંગ્રેસ ભવન ખાતે વિધાનસભા પક્ષની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં કેપ્ટન અમરિંદર સિંહે (Punjab CM Captain Amrindar Singh) જવાની ના પાડી દીધી છે.

અનુમાન ગમે તે હોય પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે પંજાબમાં કોંગ્રેસને જીવ આપનાર ‘કેપ્ટન’ને હળવાશથી ન લેવા જોઈએ. નવજોત સિંહ સિદ્ધુ ભલે બળવાખોર વલણ માટે જાણીતા હોય, પરંતુ કેપ્ટનનો રાજકારણમાં મોટો આધાર છે.

પંજાબમાં કોંગ્રેસને નવું જીવન આપ્યું

કેપ્ટન અમરિંદર સિંહની ગણતરી કોંગ્રેસના સૌથી મજબૂત પ્રાદેશિક નેતાઓમાં કરવામાં આવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં જ પાર્ટીએ 117માંથી 77 બેઠકો જીતી અને 10 વર્ષ પછી કોંગ્રેસ (Congress)ને પુન:જીવિત કરી. પછી પાર્ટીએ માત્ર શિરોમણી અકાલી દળને જ હરાવ્યો ન હતો પણ આમ આદમી પાર્ટીના સપનાઓને પણ ચકનાચૂર કરી દીધા હતા.

સૈનિકો પૃષ્ઠભૂમિના છે, લડાઈ કેવી રીતે બંધ કરશું?

સીએમ અમરિંદર સિંહ (CM Amarinder Singh) પટિયાલાના સ્વર્ગસ્થ મહારાજા યાદવિંદર સિંહના પુત્ર છે. જુલાઈ 1959માં લોરેન્સ સ્કૂલ સનાવર અને દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી પોતાનું સ્કુલિંગ પૂરું કર્યા પછી તેમણે એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો.

ડિસેમ્બર 1963માં ત્યાંથી સ્નાતક થયા અને પછી 1963માં ભારતીય સેનામાં જોડાયા. તે 2જી બટાલિયન શીખ રેજિમેન્ટમાં તૈનાત હતા, જેમાં તેના પિતા અને દાદાએ સેવા આપી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે કેપ્ટન, જે લશ્કરી પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તે એટલી ઝડપથી હાર માનનાર નથી.

લડવૈયા રહ્યા કેપ્ટન, યુદ્ધ પણ કર્યું

અમરિંદરે બે વર્ષ સુધી ફિલ્ડ એરિયા-ઈન્ડો-તિબેટીયન બોર્ડર પર સેવા આપી છે. જોકે સેનામાં તેમની કારકિર્દી ટૂંકી હતી. તેમણે પિતાની ઈટલી (Italy)માં રાજદૂત તરીકે નિમણૂક કર્યા પછી 1965ની શરૂઆતમાં સૈન્યમાંથી રાજીનામું આપ્યું કારણ કે તેમને ઘરે જરૂર હતી. જો કે, પાકિસ્તાન (Pakistan)સાથે યુદ્ધ ફાટી નીકળ્યા પછી તરત જ તે ફરીથી સેનામાં જોડાયા અને યુદ્ધ મિશનમાં ભાગ લીધો. યુદ્ધ સમાપ્ત થયા બાદ તેમણે 1966ની શરૂઆતમાં ફરી રાજીનામું આપ્યું.

કેપ્ટન રાજકીય જીવનમાં સ્વાભિમાની રહ્યા છે

તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત જાન્યુઆરી 1980માં સાંસદ તરીકે થઈ હતી. સ્વાભિમાની સ્વભાવ ધરાવતા અમરિંદર 1984માં ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ (Operation Blue Star) દરમિયાન સુવર્ણ મંદિરમાં સેનાના પ્રવેશથી દુખી થયા હતા. તેમણે વિરોધમાં લોકસભા સભ્યપદ અને કોંગ્રેસ પાર્ટી (Congress Party) બંનેમાંથી રાજીનામું આપ્યું.

તેઓ ઓગસ્ટ 1985માં અકાલી દળમાં જોડાયા અને ત્યારબાદ 1995ની ચૂંટણીમાં લોંગોવાલના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ સુરજીત સિંહ બરનાલાની સરકારમાં કૃષિ મંત્રી પણ હતા. બાદમાં તેમણે પંથિક અકાલી દળની રચના કરી, જે 1997માં કોંગ્રેસમાં ભળી ગઈ. જોકે, 1998માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર પટિયાલાથી સંસદીય ચૂંટણી(Parliamentary elections)હારી ગયા હતા.

લાંબા સમયથી કોંગ્રેસની કમાન સંભાળી છે

1999થી 2002 સુધી તે કોંગ્રેસના પંજાબ એકમના ચીફ હતા. 2002માં પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી (Assembly elections)જીતી અને તેઓ 2002થી 2007 સુધી મુખ્યમંત્રી (CM) રહ્યા. જમીન ટ્રાન્સફર કેસમાં કથિત અનિયમિતતા માટે સપ્ટેમ્બર 2008માં તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. જોકે, 2010માં સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપતા તેમની હકાલપટ્ટી ગેરબંધારણીય જાહેર કરી હતી.

ત્યારબાદ વર્ષ 2013 સુધી તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા. 2014માં મોદી લહેર હોવા છતાં તેમણે લોકસભા ચૂંટણીમાં અમૃતસર બેઠક પરથી ભાજપ (BJP)ના નેતા અરુણ જેટલીને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. 2017માં પાર્ટીએ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી અને ત્યારથી તેઓ મુખ્યમંત્રી રહ્યા છે. તેમના યુદ્ધ સંસ્મરણો ઉપરાંત, તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે.

આ પણ વાંચો : Punjab CM Captain Amarinder Singh : પંજાબના CM પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યુ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">