PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના) નો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ 2016માં કરવામાં આવ્યો હતો.

PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 2:32 PM

PMUY Ujjwala Yojana 2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 10 ઓગસ્ટના રોજ ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના)નો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો છે. વડાપ્રધાને  ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરીને બાયોફ્યુઅલનું મહત્વ સમજાવ્યું હતું.

વર્ષ 2016 માં જ્યારે ઉજ્જવલા 1.0 લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે ગરીબી રેખાની (BPL)નીચે આવતા 5 કરોડ મહિલાઓને એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ (LPG)જોડાણ પૂરુ પાડે છે. આપને જણાવવું રહ્યું કે,આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે.

PMએ સંબોધન દરમિયાન જણાવ્યું હતુ કે, હવે દેશ મૂળભૂત સુવિધાઓ પૂરી કરીને વધુ સારા જીવનના સ્વપ્નને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યો છે. વધુમાં કહ્યું કે,આપણે સાથે મળીને સક્ષમ ભારતના(India) આ સંકલ્પને સાબિત કરવાનો છે. જેમાં બહેનોની ખાસ ભૂમિકા હશે.

બાયોફ્યુઅલ વિકાસના એન્જિનને વેગ આપવાનું એક માધ્યમ

ઉપરાંત કહ્યું કે,બાયોફ્યુઅલ (bio Fuel) માત્ર સ્વચ્છ બળતણ જ નથી, પરંતુ તેના દ્વારા બળતણમાં આત્મનિર્ભરતાના એન્જિનને, દેશના વિકાસનું એન્જિન અને ગામના વિકાસના એન્જિનને વેગ આપવાનું એક માધ્યમ પણ છે. બાયોફ્યુઅલએ એક એવી એનર્જી છે જે આપણે ઘર અને ખેતરના કચરામાંથી, છોડમાંથી, બગડેલા અનાજમાંથી મેળવી શકીએ છીએ.

આ પણ વાંચો: Indian Air Force: વાયુસેનાએ તૈયાર કર્યો દુનિયાનો સોથી ઉંચો ‘મોબાઈલ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર’ , લદ્દાખમાં હેલીકોપ્ટર અને વિમાનને કરશે કંટ્રોલ

આ પણ વાંચો: Farmer Alert: 24 કલાકમાં આ રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ, પાંચ દિવસ હવામાનની જાણો શું રહેશે અસર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">