AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Women’s Day પર 29 મહિલાઓનું સન્માન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કર્યા

જેમાં 2020 માટે 14 અને 2021 માટે 14 પુરસ્કારોનો સમાવેશ થાય છે. નારી શક્તિ પુરસ્કાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલ હેઠળ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.

International Women's Day પર 29 મહિલાઓનું સન્માન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કર્યા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 5:19 PM
Share

Nari Shakti Puraskar: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) નિમિત્તે 29 મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યો. મહિલા સશક્તિકરણમાં સૌથી વધુ યોગદાન આપનાર 29 મહિલાઓને 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર (Nari Shakti Puruskar) આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આમાં 2020 માટે 15 અને 2021 માટે 14 એવોર્ડ સામેલ છે.

નારી શક્તિ પુરસ્કાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલ હેઠળ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.

2020નો એવોર્ડ સમારોહ 2021માં કોરોના રોગચાળાને કારણે ઉદ્ભવતા સંજોગોને કારણે થઈ શક્યો ન હતો. વર્ષ 2020 માટે નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓમાં ઉદ્યોગસાહસિકતા, કૃષિ, નવીનતા, સામાજિક કાર્ય, કલા, હસ્તકલા, STEMM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, દવા અને ગણિત) અને વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2021માં મહિલાઓને મળ્યા હતા

વર્ષ 2021 માટે નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓમાં એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે ભાષાશાસ્ત્ર, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, સામાજિક કાર્ય, કલા, હસ્તકલા, મર્ચન્ટ નેવી, STEMM, શિક્ષણ, સાહિત્ય, વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી.

શા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે

મહિલાઓને સન્માન આપવા દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સિદ્ધિઓ માટે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવાનો હેતુ તે મહિલાઓની સિદ્ધિઓ, તેમનો જુસ્સો, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો છે. દર વર્ષે મહિલા દિવસ કોઈને કોઈ થીમ પર આધારિત હોય છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 (IWD 2022)ની થીમ છે ‘જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો’ એટલે કે મજબૂત ભવિષ્ય માટે લિંગ સમાનતા જરૂરી છે.

આ પણ વાંચો : Uttar Pradesh: ચૂંટણી પરિણામ પહેલા અખિલેશ યાદવે ચૂંટણી પંચને લખ્યો પત્ર, જાણો શું છે મામલો

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">