AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાગાલેન્ડમાં સેનાના ફાયરિંગમાં 14ના મોત પર રાજકારણ શરૂ, TMC પીડિત પરિવારોને મળશે, રાહુલ ગાંધીએ કહ્યુ સરકાર સાચો જવાબ આપે

અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્ય સરકારે IGP નાગાલેન્ડની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની વિશેષ તપાસ માટે ટીમ (SIT)ની રચના કરી છે.'

નાગાલેન્ડમાં સેનાના ફાયરિંગમાં 14ના મોત પર રાજકારણ શરૂ, TMC પીડિત પરિવારોને મળશે, રાહુલ ગાંધીએ કહ્યુ સરકાર સાચો જવાબ આપે
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 9:02 AM
Share

Civilian Killings: નાગાલેન્ડના મોન જિલ્લામાં કથિત સૈન્ય ગોળીબાર (Army firing)ની ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો સાથે એકતા દર્શાવવા માટે તૃણમૂલ કોંગ્રેસનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ સોમવારે રાજ્યની મુલાકાત લેશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી (West Bengal Chief Minister )અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી (Mamata Banerjee)એ નાગાલેન્ડમાં બનેલી ઘટનાની સંપૂર્ણ તપાસની માગ કરી છે.

રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક (IGP) સ્તરના અધિકારીની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરીય વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો પણ નિર્ણય લીધો છે. નાગાલેન્ડ સરકારે કથિત ગોળીબારમાં માર્યા ગયેલા 14 લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

તૃણમૂલ કોંગ્રેસે (Trinamool Congress) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તૃણમૂલ કોંગ્રેસનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ (સોમવારે) નાગાલેન્ડની મુલાકાત લેશે અને મોન કે ઓટિંગની હૃદયદ્રાવક ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો સાથે એકતા દર્શાવશે.” ચાર સાંસદો – પ્રસૂન બેનર્જી, સુષ્મિતા દેવ, અપરૂપા પોદ્દાર અને શાંતનુ સેન – અને પાર્ટીના પ્રવક્તા બિશ્વજીત દેવનો સમાવેશ થાય છે.

આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું, ‘નાગાલેન્ડથી ચિંતાજનક સમાચાર. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. અમારે આ ઘટનાની વિગતવાર તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ. આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ પીડિતોને ન્યાય મળે.

એક સૈનિક પણ શહીદ થયો

નાગાલેન્ડના મોન જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા ગોળીબારની ત્રણ ઘટનાઓમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારની પ્રથમ ઘટના કદાચ ખોટી ઓળખનો મામલો છે. ત્યારબાદ થયેલા રમખાણોમાં એક સૈનિક શહીદ થયો.

ફાયરિંગની પ્રથમ ઘટના ત્યારે બની જ્યારે કોલસાની ખાણના કેટલાક કામદારો શનિવારે સાંજે પીકઅપ વાનમાં ગીત ગાતા ઘરે પરત ફરી રહ્યા હતા. સેનાના જવાનોને પ્રતિબંધિત સંગઠન નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-કે (NSCN-K)ના યુંગ ઓંગ જૂથના આતંકવાદીઓની હિલચાલ વિશે માહિતી મળી હતી અને આ ગેરસમજમાં, આ વિસ્તારમાં કાર્યરત સૈન્યના જવાનોએ કથિત રીતે વાહન પર ગોળીબાર કર્યો હતો. જેમાં છ મજૂરોએ જીવ ગુમાવ્યો હતો.

આર્મીની કારને ઘેરી લેવામાં આવી, આગ લગાડી

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે મજૂરો તેમના ઘરે ન પહોંચ્યા ત્યારે સ્થાનિક યુવકો અને ગ્રામજનો તેમની શોધમાં નીકળી પડ્યા અને આ લોકોએ સેનાના વાહનોને ઘેરી લીધા. આ દરમિયાન ઝપાઝપી અને અથડામણમાં એક સૈનિક શહીદ થયો હતો અને સેનાના વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પછી, સૈનિકો દ્વારા સ્વરક્ષણ ગોળીબારમાં વધુ સાત લોકોએ જીવ ગુમાવ્યો.

આ ઘટના સામે ઉગ્ર વિરોધ અને રમખાણો રવિવારે બપોરે ચાલુ રહ્યા કારણ કે ગુસ્સે થયેલા ટોળાએ કોન્યાક યુનિયન અને આસામ રાઈફલ્સ કેમ્પની ઓફિસોમાં તોડફોડ કરી અને તેના કેટલાક ભાગોને આગ ચાંપી દીધી. હુમલાખોરો પર સુરક્ષા દળોએ કરેલા જવાબી ગોળીબારમાં ઓછામાં ઓછા એક વધુ નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.

જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ, ડેટા સેવા પર પ્રતિબંધ

રોષે ભરાયેલા ટોળાએ ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા સુરક્ષાકર્મીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી હતી. નાગાલેન્ડ સરકારે, એક સૂચના દ્વારા, ભડકાઉ વીડિયો, ફોટોગ્રાફ્સ અથવા લેખિત સામગ્રીના ફેલાવાને રોકવા માટે જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ અને ડેટા સેવાઓ તેમજ બહુવિધ SMS પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ હોવા છતાં, જો કે, સોમમાં કોન્યક યુનિયન ઓફિસ અને આસામ રાઈફલ્સ કેમ્પમાં ટોળા દ્વારા તોડફોડ કરવાના વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. મુખ્ય પ્રધાન નેફિયુ રિયો સોમવારે અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત લેશે.

બેની હાલત ગંભીર છે

પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં માર્યા ગયેલા લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ઘાયલોમાં બેની હાલત ગંભીર છે અને તેમને સારી સારવાર માટે આસામ મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીના લોકોની સારવાર ચાલી રહી છે.

આ ઘટના અંગે ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપતાં સેનાએ કહ્યું કે, આ દરમિયાન સેનાના એક જવાનનું મોત થયું હતું અને અન્ય ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. તેણે કહ્યું કે આ ઘટના અને તે પછી જે બન્યું તે “અત્યંત ગંભીર” છે અને જાનહાનિની ​​કમનસીબ ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે.

કર્નેલે કહ્યું- ઘટના ખૂબ જ ગંભીર છે

અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય સરકારે IGP નાગાલેન્ડની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. સંરક્ષણ જનસંપર્ક અધિકારી (કોહિમા) લેફ્ટનન્ટ. કર્નલ સુમિત શર્માએ જણાવ્યું હતું કે, “નાગાલેન્ડના મોન જિલ્લામાં તિરુ ખાતે આતંકવાદીઓની સંભવિત હિલચાલની વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, આ વિસ્તારમાં એક વિશેષ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના અને તેના પછી જે બન્યું તે અત્યંત ગંભીર છે.

મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસનું વચન આપ્યું હતું અને સમાજના તમામ વર્ગોને શાંતિ જાળવવા વિનંતી કરી હતી. સોમ મ્યાનમાર સરહદની નજીક સ્થિત છે, જ્યાંથી NSCN-K ના યુંગ ઓંગ જૂથ તેની આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ એમએમ નરવણેને આ ઘટનાની જાણ કરવામાં આવી છે.

ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો

આસામ અને નાગાલેન્ડના ગવર્નર જગદીશ મુખીએ શાંતિની અપીલ કરતા નિવેદનમાં જણાવ્યું હતું કે, “એસઆઈટી તમામ ખૂણાઓથી ઘટનાની તપાસ કરશે જ્યારે સામેલ લશ્કરી કર્મચારીઓ સામે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની રચના કરવામાં આવી છે.”

મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ ટ્વિટ કર્યું, ‘સોમના ઓટિંગમાં સામાન્ય લોકોના મૃત્યુની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત નિંદનીય છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. આ મામલે SIT દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે અને કાયદા મુજબ ન્યાય કરવામાં આવશે. હું તમામ વર્ગોને શાંતિ જાળવવા વિનંતી કરું છું.

ગૃહમંત્રી અમિત શાહે પણ શોક વ્યક્ત કર્યો અને ટ્વીટ કરીને આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. “રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ઉચ્ચ સ્તરીય SIT ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે જેથી કરીને શોકગ્રસ્ત પરિવારોને ન્યાય સુનિશ્ચિત કરી શકાય,” તેમણે કહ્યું.

રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવ્યા હતા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી અને ટ્વીટ કર્યું હતું કે, “તે દિલ તોડી નાખનારું છે. ભારત સરકારે સાચો જવાબ આપવો જોઈએ. ગૃહ મંત્રાલય વાસ્તવમાં શું કરી રહ્યું છે, જ્યારે સામાન્ય નાગરિકો કે સુરક્ષાકર્મીઓ આપણી જ ધરતીમાં સુરક્ષિત નથી?’

‘ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન’ (ENPO) એ પ્રદેશના છ આદિવાસી સમુદાયોને આ ઘટનાના વિરોધમાં રાજ્યના સૌથી મોટા પર્યટન ઈવેન્ટ ‘હોર્નબિલ’ ફેસ્ટિવલમાંથી તેમની સહભાગિતા પાછી ખેંચી લેવા વિનંતી કરી છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ અંધાધૂંધ ગોળીબારમાં ઓટીંગ ગામ અને આ ઘટનાની સખત નિંદા કરે છે.

ENPO એ છ આદિવાસીઓને રાજ્યની રાજધાની નજીકના કિસામામાં હોર્નબિલ ઉત્સવ સ્થળ ‘નાગા હેરિટેજ વિલેજ’ ખાતે તેમના સંબંધિત ‘મોરુંગ્સ’ ખાતે આ ઘટના સામે કાળા ધ્વજ ઉઠાવવા જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમામ સંબંધિતોએ સમજવું જોઈએ કે આ આદેશ/પગલાં રાજ્ય સરકાર વિરુદ્ધ નથી, પરંતુ તે સુરક્ષા દળો સામે નારાજગી વ્યક્ત કરવા અને છ આદિવાસી સમુદાયો સાથે એકતા દર્શાવવા માટે છે.’

AFSPA પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

દરમિયાન, નાગાલેન્ડમાં સુરક્ષા દળો દ્વારા ગોળીબારમાં નાગરિકોની જાનહાનિને પગલે પૂર્વોત્તરમાંથી સશસ્ત્ર દળો (વિશેષાધિકારો) અધિનિયમ, 1958 પાછો ખેંચવાની માંગ રવિવારે નવી વેગ પકડવા લાગી. ‘મણિપુર વુમન ગન સર્વાઈવર્સ નેટવર્ક’ અને ‘ગ્લોબલ એલાયન્સ ઑફ ઈન્ડિજિનિયસ પીપલ્સ’ના સ્થાપક બિનલક્ષ્મી નેપ્રમે સરકાર પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે પ્રદેશના નાગરિકો અને સ્થાનિકોની હત્યામાં સામેલ કોઈપણ સુરક્ષા દળ પર ક્યારેય આરોપ લગાવવામાં આવ્યો ન હતો

AFSPAને “વસાહતી કાયદો” તરીકે વર્ણવતા, નેપ્રમે કહ્યું કે, તે સુરક્ષા દળોને “મારવા માટેનું લાઇસન્સ” આપે છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા ઉત્પલ બોરપુજારીએ જણાવ્યું હતું કે “ખોટી બાતમી”ના આધારે નાગરિકોની હત્યા કરવામાં આવી હોય તો પણ, AFSPA ગુનેગારોને મુક્તિ આપે છે.

આ પણ વાંચો : નાગાલેન્ડમાં સુરક્ષા દળોના ગોળીબારમાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા વધીને 14 થઈ, ઈન્ટરનેટ સેવા સ્થગિત

g clip-path="url(#clip0_868_265)">