AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB Scam: નીરવ મોદીની પ્રોપર્ટીમાંથી PNB લેણાં વસૂલ કરવામાં આવશે, ED 1000 કરોડની પ્રોપર્ટીની કરશે હરાજી

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે.

PNB Scam: નીરવ મોદીની પ્રોપર્ટીમાંથી PNB લેણાં વસૂલ કરવામાં આવશે, ED 1000 કરોડની પ્રોપર્ટીની કરશે હરાજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 4:00 PM
Share

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ મોદીની 1000 કરોડ રૂપિયાની સંપત્તિની હરાજી કરવાની છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત લગભગ 13,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી છે. પીએનબીના નાણાંની ઉચાપત કરીને નીરવ મોદી જાન્યુઆરી 2018માં લંડન ભાગી ગયો હતો. તેના પર લેટર ઓફ અંડરટેકિંગ્સ માટે બેંકના અધિકારીઓને લાંચ આપવાનો અને બેંક સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. મોદીની લંડનમાં 19 માર્ચ 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

માહિતી અનુસાર, હરાજી કરાયેલી મિલકતોમાં કાલા ઘોડામાં સ્થિત એક આઇકોનિક રિધમ હાઉસ, નેપિયન સી રોડ પરનો ફ્લેટ અને કુર્લામાં સ્થિત ઓફિસ બિલ્ડિંગ ઉપરાંત ઘરેણાંનો સમાવેશ થાય છે. રિધમ હાઉસ અને હેરિટેજ ઈમારત નીરવ મોદીના ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ દ્વારા 2017માં 32 કરોડમાં ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબ નેશનલ બેંકના લેણાં આ પ્રોપર્ટીની હરાજીમાંથી વસૂલ કરવામાં આવશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે મિલકતોની હરાજી માટે લિક્વિડેટરની પણ નિમણૂક કરી છે.

એજન્સીએ PNBને 6 કરોડ રૂપિયા સોંપ્યા

આમાંથી કેટલીક પ્રોપર્ટીની ED દ્વારા હરાજી થઈ ચૂકી છે. જ્યારે બાકીની મિલકતો હરાજી માટે બેંકને આપવામાં આવી રહી છે. તેમાં અહમદનગર જિલ્લામાં સ્થિત સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. એજન્સીએ પીએનબીને લગભગ રૂ. 6 કરોડ પણ આપ્યા છે, જે તેને અગાઉ મોદીની માલિકીની કાર, પેઇન્ટિંગ્સ અને અન્ય મોંઘી વસ્તુઓની હરાજીમાંથી પ્રાપ્ત થયા હતા.

20 ડિસેમ્બરે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, બેંકોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓની મિલકતો વેચીને 13,109.17 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

ભાગેડુઓની મિલકતો વેચીને બેંકોને 13 હજાર કરોડ મળ્યા

નિર્મલા સીતારમણે લોકસભામાં ‘ગ્રાન્ટ્સ માટેની પૂરક માંગણીઓ’ પર ચર્ચા દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, બેંકોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓની મિલકતો વેચીને 13,109.17 કરોડની વસૂલાત કરી છે. સરકારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા ઇડી પાસેથી આ માહિતી મળી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, જપ્તીની તાજેતરની યાદીમાં ભાગેડુ કિંગફિશર બિઝનેસમેન વિજય માલ્યાની સંપત્તિ છે, જે 16 જુલાઈના રોજ વેચવામાં આવી હતી અને તેમાંથી 792 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Follow Us
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
g clip-path="url(#clip0_868_265)">