AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

IIT MBA Course admission 2022: બિઝનેસ કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે MBA કોર્સમાં પ્રવેશની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.

MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ
MBA Admissions 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 6:09 PM
Share

IIT MBA Course admission 2022: બિઝનેસ કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે MBA કોર્સમાં પ્રવેશની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. તમે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એટલે કે આઈઆઈટીમાંથી એમબીએનો અભ્યાસ પણ કરી શકો છો. IIT ગુવાહાટીમાં આગામી શૈક્ષણિક સત્ર 2022-23થી MBA પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે. સંસ્થાએ આની જાહેરાત કરી છે. આ માટે IIT ગુવાહાટીમાં બિઝનેસ સ્કૂલ પણ શરૂ કરવામાં આવી છે.

IIT ગુવાહાટીએ માહિતી આપી છે કે, સંસ્થામાં MBA પ્રવેશની પ્રક્રિયા જાન્યુઆરી 2022થી શરૂ થશે. પ્રથમ બેચ જુલાઈ 2022 માં શરૂ થઈ શકે છે. આ કોર્સમાં પ્રવેશ CAT પરીક્ષા દ્વારા આપવામાં આવશે. MBA પ્રોગ્રામ માટે શરૂ કરાયેલી IIT ગુવાહાટી બિઝનેસ સ્કૂલની વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે. તમે iitg.ac.in/sob પર જઈને વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

આ શેડ્યૂલ હશે

ઓનલાઈન અરજી – CAT 2021 પરિણામની ઘોષણા પછી શરૂ થશે અરજી કરવાની છેલ્લી તારીખ – અરજીની શરૂઆતથી 21 દિવસ સુધી ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટિંગ – ફેબ્રુઆરી 2022ના પ્રથમ અઠવાડિયે પર્સનલ ઇન્ટરવ્યુની તારીખ – 15 થી 19 માર્ચ 2022 અંતિમ પસંદગી યાદી – મે 2022 ના પ્રથમ અઠવાડિયે

શું હશે પ્રવેશ પ્રક્રિયા

IIT ગુવાહાટી એમબીએ કોર્સમાં પ્રવેશની પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અરજીઓના આધારે શોર્ટલિસ્ટિંગ થશે. પછી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. આ પછી અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

CAT 2021 સ્કોર પર પ્રવેશ આપવામાં આવશે

IIT ગુવાહાટીએ જણાવ્યું છે કે, પ્રવેશ પ્રક્રિયા એ જ હશે જે રીતે MBA પ્રોગ્રામમાં પ્રવેશ માટે અન્ય IIT અનુસરે છે. જાન્યુઆરી 2022 માટે, ઉમેદવારો CAT 2021 સ્કોરના આધારે અરજી કરી શકે છે.

IIT ગુવાહાટી સ્કૂલ ઓફ બિઝનેસની વેબસાઈટ અનુસાર, હાલમાં અહીં ત્રણ પ્રકારના પ્રોગ્રામ/કોર્સ ઓફર કરવામાં આવે છે – માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) ડોક્ટર ઓફ ફિલોસોફી એટલે કે પીએચડી માઈનોર પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ B.Tech અને B.Design સ્ટૂડેન્ટ્સ

આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">