લોકસભામાં PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું- વિપક્ષના નેતાઓ ચૂંટણી લડવાની તાકાત ગુમાવી ચુક્યા છે
PM મોદીએ કહ્યું કે વિપક્ષના નોતાઓ ચૂંટણી લડવાની તાકાત ગુમાવી ચુક્યા છે. જેથી વિપક્ષ લાંબા સમય સુધી વિપક્ષમાં જ રહેશે. વધુમાં PM મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે આગામી ચૂંટણીમાં તમે લોકો ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા જોવા મળશે. કેટલાક લોકો પોતાની સીટ બદલવાનું પણ વિચારી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી અને અધીર રંજનનું નામ લીધા વગર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કોંગ્રેસ પર પરિવારવાદ પર આકરા પ્રહારો કર્યા હતા.
વધુમાં PM મોદીએ કહ્યું કે વિપક્ષના નોતાઓ ચૂંટણી લડવાની તાકાત ગુમાવી ચુક્યા છે. જેથી વિપક્ષ લાંબા સમય સુધી વિપક્ષમાં જ રહેશે. વધુમાં PM મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આગામી ચૂંટણીમાં તમે લોકો ઓડિયન્સ ગેલેરીમાં જ બેઠેલા જોવા મળશો. કેટલાક લોકો પોતાની સીટ બદલવાનું પણ વિચારી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ખાસ કરીને વિપક્ષ દ્વારા લેવામાં આવેલા ઠરાવની પ્રશંસા કરું છું. તેમના ભાષણના દરેક શબ્દથી મને અને દેશને આત્મવિશ્વાસ થઈ ગયો છે, કે તમે લાંબા સમય સુધી વિપક્ષમાં જ રહેવાનો સંકલ્પ કર્યો છે. જેમ તમે ઘણા દાયકાઓ સુધી (સત્તામાં) બેઠા હતા, તેમ હવે ઘણા દાયકાઓ સુધી વિરોધમાં બેસવાનો સંકલ્પ કર્યો છે.
તેમણે કહ્યું કે, આ તમે (વિપક્ષ) લોકો જે રીતે મહેનત કરી રહ્યા છો, મને દ્રઢપણે વિશ્વાસ છે કે ભગવાનના રૂપમાં લોકો તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે. તમે જે ઉંચાઈએ છો તેના કરતા પણ વધુ ઉંચાઈએ પ્રેક્ષક ગેલરીમાં જોવા મળશો. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું જોઈ રહ્યો છું કે તમારામાંથી ઘણાએ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. મેં સાંભળ્યું છે કે ગયા વખતે પણ ઘણા લોકોએ તેમની સીટ બદલી હતી અને આ વખતે પણ તેઓ તેમની સીટ બદલવાની યોજના બનાવી રહ્યા છે. મેં સાંભળ્યું છે કે, કેટલાક લોકો લોકસભામાંથી રાજ્યસભામાં જવાના છે.