વડાપ્રધાન મોદીએ ‘મન ની વાત’માં અમરનાથ યાત્રાના મુસાફરોની સેવા કરવા માટે કાશ્મીરના લોકોનો આભાર માન્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડીયો કાર્યક્રમ ‘મનની વાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. તે દરમિયાન વડાપ્રધાને જળ સંરક્ષણ પર કહ્યું કે અમારી સરકાર જળનીતિ માટે કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર અને NGO જળસંરક્ષણ માટે યુદ્ધ સ્તર પર કઈક કરી રહ્યા છે. તેનું શાનદાર ઉદાહરણ ઝારખંડનું આરા કેરમ ગામ છે. ત્યારે મેઘાલય દેશનું એવુ […]

વડાપ્રધાન મોદીએ 'મન ની વાત'માં અમરનાથ યાત્રાના મુસાફરોની સેવા કરવા માટે કાશ્મીરના લોકોનો આભાર માન્યો
Follow Us:
| Updated on: Jul 28, 2019 | 6:50 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડીયો કાર્યક્રમ ‘મનની વાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. તે દરમિયાન વડાપ્રધાને જળ સંરક્ષણ પર કહ્યું કે અમારી સરકાર જળનીતિ માટે કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર અને NGO જળસંરક્ષણ માટે યુદ્ધ સ્તર પર કઈક કરી રહ્યા છે. તેનું શાનદાર ઉદાહરણ ઝારખંડનું આરા કેરમ ગામ છે.

ત્યારે મેઘાલય દેશનું એવુ પ્રથમ રાજ્ય બની ગયું છે, જેને તેમની જળનીતિ તૈયારી કરી છે. તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારને શુભેચ્છાઓ આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હરિયાણામાં તે પાકોની ખેતીનો વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓછા પાણીની જરૂરિયાત રહે છે અને ખેડૂતને પણ કોઈ નુકસાન થતું નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાન મોદીએ દેશના ચેમ્પિયનોને શુભેચ્છાઓ આપતા કહ્યું કે આપણા દેશના 10 ચેમ્પિયન્સે ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા. તેમાં ઘણા ખેલાડીઓએ તો એકથી વધારે રમતોમાં મેડલ જીત્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દેશ માટે ગૌરવની વાત છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં પણ મુશ્કેલીઓ સામે લડવાની હિંમત હોય છે. આકાશની બહાર અને અંતરિક્ષમાં ભારતની સફળતા ગર્વનું પ્રતીક છે. વડાપ્રધાન મોદીએ દેશના વિદ્યાર્થીઓ માટે રસપ્રદ સ્પર્ધાની જાણકારી આપી. વડાપ્રધાને કહ્યું કે ક્વિઝ સ્પર્ધા દ્વારા સૌથી વધારે નંબર મેળવનારા બાળકને 7 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા લઈ જવામાં આવશે અને ચંદ્રયાન-2ની લેન્ડિંગ જોવાની તક આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડાપ્રધાન મોદીએ અમરનાથ યાત્રાની સફળતા માટે જમ્મૂ-કાશ્મીરના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે કાશ્મીરના લોકો અમરનાથ યાત્રાના મુસાફરોની સેવા અને મદદ કરે છે. આ વખતે અમરનાથ યાત્રામાં છેલ્લા 4 વર્ષમાં સૌથી વધારે મુસાફરો સામેલ થયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">