AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદીએ MSME માટે નવી સ્કીમ શરૂ કરી, કહ્યું- 18 હજાર નાના ધંધાર્થીઓને 500 કરોડ ટ્રાન્સફર કર્યા

'આંત્રપ્રેન્યોર ઈન્ડિયા' ફંક્શનમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવી રહ્યા છીએ. અમારી સરકારે MSME સેક્ટર માટે ઘણાં પગલાં લીધાં છે. અમારી સરકારે 18,000 MSME ને 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

PM નરેન્દ્ર મોદીએ MSME માટે નવી સ્કીમ શરૂ કરી, કહ્યું- 18 હજાર નાના ધંધાર્થીઓને 500 કરોડ ટ્રાન્સફર કર્યા
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 2:00 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) નાના વેપારીઓ માટે નવી યોજના શરૂ કરી છે. PM મોદીએ MSMEs માટે Raising & Accelerating MSME પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમએ કહ્યું કે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ( Micro, Small and Medium Enterprises – MSME) સેક્ટરને સશક્ત બનાવવું મહત્વપૂર્ણ છે. સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવી. અમારી સરકારે MSME સેક્ટર માટે ઘણાં પગલાં લીધાં છે. અમારી સરકારે 18,000 MSME ને 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. MSME ક્ષેત્રના વિસ્તરણ પર અભૂતપૂર્વ ભાર આપવામાં આવી રહ્યો છે. જેનાભાગરૂપે, આજે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ MSME ક્ષેત્રની ગુણવત્તા અને પ્રગતિ સાથે સંબંધિત છે.

MSME ને મહત્તમ સમર્થન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, MSME સેક્ટરને મજબૂત કરવા માટે, છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે. એટલે કે, અમારા માટે MSME નો અર્થ છે – MSME ને મહત્તમ સમર્થન. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) હેઠળ કેન્દ્ર સરકારે MSME માટે 3.5 લાખ કરોડ રૂપિયાની ખાતરી આપી છે, જેથી લગભગ 1.5 કરોડ નોકરીઓ બચી શકે, જે એક મોટો આંકડો છે.

PMO માટે GeM પોર્ટલ પરથી તામિલનાડુના ગામડાથી થર્મોસ મંગાવ્યું

PM એ કહ્યું, જો તમે પણ થર્મોસ વેચવા માંગતા હોવ તો સરકાર તેને GeM પોર્ટલ પરથી ખરીદી શકે છે. મને મારી ઓફિસમાં થર્મોસની જરૂર હતી, અમે GeM પોર્ટલ પર ગયા જ્યાં તમિલનાડુના એક ગામની એક મહિલાએ થર્મોસ આપ્યું. તામિલનાડુના ગામડાથી પીએમઓમાં થર્મોસ આવ્યો, તેમને પૈસા મળ્યા અને મને ગરમ ચા મળી. આ GeM પોર્ટલનો ફાયદો હતો.

આ પણ વાંચો

8 વર્ષમાં ખાદીનું વેચાણ 4 ગણું વધ્યું

તેમણે કહ્યું કે, પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂ. 1 લાખ કરોડને વટાવી ગયું છે. આ શક્ય બન્યું છે કારણ કે અમારી બહેનોએ ગામડાઓમાં અમારા નાના સાહસિકો દ્વારા ખૂબ જ મહેનત કરી છે. છેલ્લા 8 વર્ષમાં ખાદીના વેચાણમાં 4 ગણો વધારો થયો છે.

g clip-path="url(#clip0_868_265)">