PM મોદી આજે મેરઠમાં વિશાળ જનસભાને સંબોધશે, સ્ટેજ પર સાથે હશે જયંત ચૌધરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મેરઠમાં રેલી કરવાના છે. મેરઠથી ભાજપે ટીવી સીરિયલ રામાયણના અભિનેતામાંથી રાજકારણી બનેલા રામ એટલે કે અરુણ ગોવિલને ઉમેદવાર બનાવ્યા છે. વડાપ્રધાન મોદી મેરઠમાં એક વિશાળ જનસભાને સંબોધશે અને જનતાને ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે.

PM મોદી આજે મેરઠમાં વિશાળ જનસભાને સંબોધશે, સ્ટેજ પર સાથે હશે જયંત ચૌધરી
PM Modi
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 8:57 AM

ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં મિશન 400ને પાર કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. દક્ષિણમાં મતદારોને રીઝવવા સાથે પીએમ ઉત્તર પ્રદેશ પર ફોકસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે પીએમ મોદીએ રાજ્યમાં પસંદગીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ અંતર્ગત પીએમ મોદી રવિવારથી ઉત્તર પ્રદેશમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મેરઠમાં રેલી કરવાના છે. મેરઠથી ભાજપે ટીવી સીરિયલ રામાયણના અભિનેતામાંથી રાજકારણી બનેલા રામ એટલે કે અરુણ ગોવિલને ઉમેદવાર બનાવ્યા છે. વડાપ્રધાન મોદી મેરઠમાં એક વિશાળ જનસભાને સંબોધશે અને જનતાને ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે. આ સાથે વિપક્ષી પાર્ટીઓ પીએમના નિશાના પર રહેશે.

રેલીમાં સામેલ થશે સહયોગી દળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે ભાજપના તમામ સહયોગી પક્ષોના પ્રમુખો પણ ભાગ લેશે. જેમાં આરએલડી પ્રમુખ જયંત ચૌધરી, અપના દળ-એસ પ્રમુખ અનુપ્રિયા પટેલ અને ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ સામેલ છે. સ્ટેજ પર દરેક વ્યક્તિ એકતાનો સંદેશ આપશે અને ભાજપના ઉમેદવારની જીત માટે અપીલ કરશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

યુપીની 80 સીટો પર ભાજપનું ફોકસ

કેન્દ્રીય સત્તા હાંસલ કરવામાં ઉત્તર પ્રદેશ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે ભાજપ ઉત્તર પ્રદેશ પર ઘણું ફોકસ કરી રહ્યું છે. ભાજપ ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે દરેક યુક્તિ અજમાવી રહી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ ઉત્તર પ્રદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર પાર્ટી એ જ કરિશ્માનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ ભાજપ માટે મોટો મુદ્દો છે, ઈન્ડિયા ગઠબંધન ભાજપના વિજય રથને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે માયાવતી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે. આવી સ્થિતિમાં ભાજપ રાજ્યમાં પોતાની 2019ની સ્ટાઈલ જાળવી શકશે કે કેમ તે જોવું રહ્યું.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">