AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM CARES for Children Scheme : કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને PM મોદી આજે કરશે આર્થિક મદદ, સ્કોલરશિપ પણ આપશે

PM CARES for Children : પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ, કોરોનાકાળમાં અનાથ થયેલા દરેક પીડિત બાળકને રૂપિયા 10 લાખની નાણાકીય સહાય આપવામાં આવશે.

PM CARES for Children Scheme : કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને PM મોદી આજે કરશે આર્થિક મદદ, સ્કોલરશિપ પણ આપશે
PM Narendra Modi ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 8:26 AM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સોમવારે કોરોના રોગચાળાને કારણે અનાથ થયેલા બાળકોને PM Cares for Children હેઠળ નાણાકીય સહાય જાહેર કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે (Ministry of Women and Child Development) જણાવ્યું કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લાભાર્થી બાળકો તેમના પાલક માતા-પિતા અને સંબંધિત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે હાજર રહેશે. સરકારે ગયા વર્ષે 29 મેના રોજ PM Cares for Children યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, 11 માર્ચ, 2020 થી 28 ફેબ્રુઆરી, 2022 વચ્ચે કોરોના રોગચાળાને કારણે તેમના માતાપિતા, કાનૂની વાલી, દત્તક માતાપિતા અથવા માતાપિતામાંથી એકને ગુમાવનારા બાળકોને નાણાકીય સહાય આપવામાં આવે છે.

20 હજારની શિષ્યવૃત્તિ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું છે કે વડાપ્રધાન શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ અર્પણ કરશે. આ અંતર્ગત દરેક બાળકને 20 હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે. આ ઉપરાંત આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન પાસબુક અને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ, સરકારને 23 રાજ્યોના 611 જિલ્લામાંથી 9,042 અરજીઓ મળી હતી. તેમાંથી 31 રાજ્યોના 557 જિલ્લાઓમાં 4,345 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. બાળકોના ખાવા-પીવાથી લઈને તેમના ભણતર સુધીનું ધ્યાન સરકાર લે છે.

દરેક પીડિત બાળકને 10 લાખની સહાય

આ યોજના હેઠળ દરેક પીડિત બાળકને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. બાળકોને આ રકમ 23 વર્ષની ઉંમર થવા પર મળશે. આ ઉપરાંત સરકાર અનાથ બાળકોના શિક્ષણની સાથેસાથે તેમના રહેવાની વ્યવસ્થા પણ કરે છે. સરકાર આવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન આપશે. દરેક બાળકને 5 લાખ રૂપિયાનું વીમા કવચ પણ આપવામાં આવ્યું છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">