AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 લાખની આવક પર વેરામુક્તિ અંગે PM મોદી બોલ્યા, અમે ઘા ભરતા ગયા, પાટાપીંડી બાકી હતી તે પણ થઈ ગઈ

વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આવકવેરા ઘટાડીને અમે મધ્યમ વર્ગની બચત વધારવાનું કામ કર્યું છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ નહીં લાગે. અમે વચ્ચેના સમયગાળામાં પણ આ સતત કર્યું છે. ઘા રૂઝાવા લાગ્યો, હવે જે પાટાપીંડી બાકી હતી તે થઈ ગઈ છે.

12 લાખની આવક પર વેરામુક્તિ અંગે PM મોદી બોલ્યા, અમે ઘા ભરતા ગયા, પાટાપીંડી બાકી હતી તે પણ થઈ ગઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2025 | 7:30 PM
Share

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં અમે આવકવેરો ઘટાડીને મધ્યમ વર્ગની બચત વધારવાનું કામ કર્યું છે. 2014 પહેલા કેટલાક બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને ગોળીઓ ચલાવવામાં આવી હતી કે દેશવાસીઓના જીવ તબાહ થઈ ગયા હતા. અમે લોકોના ઘા રૂઝાયા. પહેલા 2 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સમાં છૂટ આપવામાં આવતી હતી અને હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ નથી લાગતો. અમે વચ્ચેના સમયગાળામાં પણ આ સતત કર્યું છે. ઘા રૂઝાવા લાગ્યો, હવે પાટાપીંડી બાકી હતી તે થઈ ગઈ છે.

રાષ્ટ્રપતિના સંબોધન પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકારમાં કૌભાંડોની ગેરહાજરીને કારણે લાખો કરોડો રૂપિયાની બચત થઈ છે. અગાઉ દરરોજ એવી વાતો થતી હતી કે આટલા લાખનું કૌભાંડ થયું છે. અમારી સરકારના 10 વર્ષ થઈ ગયા, કોઈ કૌભાંડ ના થવાને કારણે દેશના લાખો કરોડ રૂપિયા બચ્યા છે. આ પૈસાનો ઉપયોગ દેશના લોકોની સેવા માટે કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે લીધેલા વિવિધ પગલાઓને કારણે લાખો કરોડો રૂપિયાની બચત થઈ. પરંતુ બચેલા રૂપિયા અમે શીશમહેલ બનાવવા માટે નથી વાપર્યા. તેના બદલે, અમે તે પૈસા દેશના નિર્માણમાં વાપર્યા છે. કેટલાક નેતાઓ જેકુઝી, સ્ટાઇલિશ શાવર પર ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ અમારું ધ્યાન દરેકના ઘર સુધી પાણી પહોંચાડવા પર છે.

પીએમ મોદીએ કહ્યું, સરકારી તિજોરીમાં બચત એક વસ્તુ છે. પરંતુ અમે એ પણ ધ્યાનમાં રાખ્યું છે કે લોકોને બચતનો લાભ પણ મળે. આયુષ્માન ભારત યોજનામાંથી દેશવાસીઓ પાસે 1 લાખ 20 કરોડ રૂપિયા બચ્યા છે. અમારા સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી અને શું ના કહેવાયું. તમને જણાવી દઈએ કે, તાજેતરના વર્ષોમાં સરકારી ઓફિસોમાંથી વેચાયેલા જંકમાંથી 2,300 કરોડ રૂપિયા મળ્યા છે, જે દેશની તિજોરીમાં જમા કરાયા છે.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">