AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modiએ જાણ્યા મુલાયમ સિંધના ખબર અંતર, અખિલેશને ફોન કરીને કહ્યું કે કોઈ જરૂર હોય તો હું હાજર છું

એસપીના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવ(Mulayam Singh Yadav)ની તબિયત લથડતા તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફોન પર અખિલેશ યાદવ સાથે વાત કરી અને નેતાજીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

PM Modiએ જાણ્યા મુલાયમ સિંધના ખબર અંતર, અખિલેશને ફોન કરીને કહ્યું કે કોઈ જરૂર હોય તો હું હાજર છું
Prime Minister Narendra Modi with Netaji Mulayam Singh Yadav (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 6:38 AM
Share

સમાજવાદી પાર્ટી(Samajwadi Party) વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે વધુ લથડી હતી. તેને તાત્કાલિક ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. માહિતી મળતા જ તેમના પુત્ર અખિલેશ યાદવ(Akhilesh yadav) અને પુત્રવધૂ ડિમ્પલ યાદવ પણ મેદાંતા પહોંચી ગયા હતા. મેદાન્તામાં શિવપાલ, પ્રતિક અને અપર્ણા પણ હાજર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narnedra Modi)અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ મુલાયમ સિંહ યાદવને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓએ અખિલેશ યાદવને ફોન કરીને મુલાયમ સિંહની હાલત જાણવા મળી હતી. વડાપ્રધાને અખિલેશને કહ્યુ હતું કે કોઈ પણ કામ હોય તો તો ઉપસ્થિત છે.

મુલાયમ સિંહ યાદવની તબિયતને લઈને સમાજવાદી પાર્ટી દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે નેતાજી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે, તેમની સ્થિતિ સ્થિર છે. તેમની સારવાર વરિષ્ઠ ડોક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.  મેદાંતા હોસ્પિટલના પીઆરઓએ પણ એક નિવેદન જારી કરીને મુલાયમ સિંહના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મુલાયમ સિંહને યુરિન ઈન્ફેક્શનની સાથે બ્લડ પ્રેશરની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.

રવિવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આખરે ડોક્ટરોએ તેને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકી દીધો. મેદાંતા હોસ્પિટલ કોઈ હેલ્થ બુલેટિન જારી કરી રહી નથી. અખિલેશ યાદવને તમામ માહિતી આપવામાં આવી છે.

મુલાયમ લાંબા સમયથી બીમાર છે

તમને જણાવી દઈએ કે, સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની હાલત અત્યંત ગંભીર છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. આજે તેમની તબિયત બગડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. હાલમાં જ તેને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુલાયમ સિંહ યાદવને પેટમાં દુખાવો અને યુરિનરી ઈન્ફેક્શનની ફરિયાદ હતી. તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ ફરીથી એ જ સમસ્યા થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુલાયમ, જેમને મેદાન્તામાં ઘણી વખત દાખલ કરવામાં આવ્યા છે

જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવની તબિયત આ પહેલા પણ ઘણી વખત બગડી હતી. ગયા વર્ષે પણ 1 જુલાઈના રોજ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અસ્વસ્થતા અનુભવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં જ તેમની તબિયત અચાનક બગડી હતી. ડોક્ટરોની સલાહ બાદ તેને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં જ તેમને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Follow Us
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">