AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Kedarnath Visit: PM મોદી આજે કરશે બાબા કેદારનાથના દર્શન, જાણો વડા પ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ

બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે

PM Modi Kedarnath Visit: PM મોદી આજે કરશે બાબા કેદારનાથના દર્શન, જાણો વડા પ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 8:08 AM
Share

PM Modi Kedarnath Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કેદારનાથ ધામ (Kedarnath Dham)ની મુલાકાતે જશે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પાંચમી વખત કેદારનાથ આવી રહ્યા છે. પીએમ મોદીની મુલાકાત માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને મંદિર પરિસરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે.

બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. વાસ્તવમાં આ પ્રતિમા 2013માં કેદારનાથમાં થયેલી દુર્ઘટનામાં નષ્ટ થઈ ગઈ હતી. તે જ સમયે, તીવ્ર ઠંડી વચ્ચે બાબા કેદારના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી છે અને દર્શનાર્થીઓ સતત દર્શન માટે આવી રહ્યા છે.

જો કે, પીએમ મોદીની મુલાકાતને લઈને સમગ્ર કેમ્પસમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી બુધવારે જ કેદારનાથ પહોંચ્યા હતા અને ત્યાર બાદ ગુરુવારે પણ તેઓ કેદારધામ પહોંચ્યા હતા અને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પીએમની મુલાકાતની તૈયારીઓને લઈને અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા પણ આપી છે.

આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ 11 જ્યોતિર્લિંગમાં પ્રસારિત થશે મળતી માહિતી મુજબ કેદારધામ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. શંકરાચાર્યની સમાધિ સ્થળ પર પહોંચ્યા બાદ પીએમ મોદી પ્રતિમાનું અનાવરણ કરશે.

આ દરમિયાન દેશના અન્ય 11 જ્યોતિર્લિંગોમાં તેનું પ્રસારણ કરવામાં આવશે. તેનું પ્રસારણ સીધું સોમનાથ, જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર, મલ્લિકાર્જુન ભીમશંકર વિશ્વનાથ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પરથી થશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને કેટલીક યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. અહીં ઘાટ, પુલ અને ધર્મશાળાઓ બનાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ચારસો કરોડ રૂપિયાની યોજનાઓનું આજે લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવશે.

પીએમ મોદી આ કામોનું ઉદ્ઘાટન કરશે -આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ અને પ્રતિમા – તીર્થ પુરોહિતોના નિવાસ – સરસ્વતી નદીના કિનારે પૂર સંરક્ષણ અને ઘાટનું નિર્માણ

– મંદાકિની નદી કિનારે પૂર સંરક્ષણ માટે લોડ કેરિયર દીવાલ – મંદાકિની નદી પર ગરુડચટ્ટીનો પુલ -પીએમ મોદી આ કામોનો શિલાન્યાસ કરશે

– શ્રી કેદારનાથ ધામ ખાતે સંગમ ઘાટ અને વરસાદી આશ્રય શેડનો પુનઃવિકાસ -પ્રાથમિક સારવાર અને પ્રવાસી સુવિધા કેન્દ્ર -મંદાકિની આસ્થા પાથ લાઇન મેનેજમેન્ટ, મંદાકિની વોટર એટીએમ અને મંદાકિની પ્લાઝા

– વહીવટી કચેરી અને હોસ્પિટલ બિલ્ડીંગ – કેદારનાથ તીર્થસ્થળ પર સંગ્રહાલય સંકુલ – સરસ્વતી નાગરિક સુવિધા ભવન

આ પણ વાંચો: ગ્રેડ પે આંદોલનમાં 500 થી વધુ પોલીસકર્મીઓ સામે ફરિયાદ! ધારાસભ્ય કિરીટ પટેલે ફરિયાદ રદ કરવા CM ને લખ્યો પત્ર

આ પણ વાંચો: Diwali 2021: PM મોદીએ ગુજરાતીમાં કર્યું ‘નૂતન વર્ષાભિનંદન’, જો બાઈડેન સહિત વિશ્વના પ્રમુખ નેતાઓએ આપી દિવાળી શુભેચ્છા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">