PM મોદીએ ત્રિપુરાને આપી 3 ભેટ, કહ્યું- ‘ત્રિપુરા ડાયમંડ મોડલ પર તેની કનેક્ટિવિટી વધારી રહ્યું છે.’

|

Jan 04, 2022 | 6:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગરીબી અને પછાતતા ત્રિપુરાના ભાગ્ય સાથે જોડાયેલી છે. આજે ત્રિપુરા ડાયમંડ મોડલ પર તેની કનેક્ટિવિટી વધારી રહ્યું છે.

PM મોદીએ ત્રિપુરાને આપી 3 ભેટ, કહ્યું- ત્રિપુરા ડાયમંડ મોડલ પર તેની કનેક્ટિવિટી વધારી રહ્યું છે.
PM Narendra Modi

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ત્રિપુરા (Tripura)ના અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર નવા ઇન્ટિગ્રલ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને મુખ્ય પ્રધાન ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના અને વિદ્યાજ્યોતિ સ્કૂલ પ્રોજેક્ટ મિશન (Vidyajyoti School Project Mission)ની 100 મુખ્ય પહેલ શરૂ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે માતા ત્રિપુરા સુંદરીના આશીર્વાદથી ત્રિપુરાને વર્ષની શરૂઆતમાં ત્રણ ભેટ મળી રહી છે. કનેક્ટિવિટીની પ્રથમ ભેટ, મિશન 100 વિદ્યા જ્યોતિ શાળાઓની બીજી ભેટ અને ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજનાની ત્રીજી ભેટ.

પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીનું ભારત સૌને સાથે લઈને, સૌનો વિકાસ અને સૌના પ્રયાસોથી જ આગળ વધશે. કેટલાક રાજ્યો પાછળ રહ્યા, કેટલાક રાજ્યો પાયાની સુવિધાઓ માટે ઝંખતા રહ્યા, આ અસંતુલિત વિકાસ સારો નથી. ત્રિપુરાના લોકોએ દાયકાઓથી અહીં આ જ જોયું છે. અગાઉ ભ્રષ્ટાચારની ગાડી અહી અટકવાનું નામ નથી લેતી અને વિકાસની ગાડી પર બ્રેક લાગેલી હતી. અગાઉ અહીં જે સરકાર હતી તેની પાસે ત્રિપુરાના વિકાસનું ન તો કોઈ વિઝન હતુ કે ન તો તેનો ઈરાદો. ત્રિપુરાના ભાગ્યમાં ગરીબી અને પછાતપણું જોડાઇ ગયું હતું. આજે ત્રિપુરા ડાયમંડ મોડલ પર તેની કનેક્ટિવિટી વધારી રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે ડબલ એન્જિનની સરકારનો કોઈ મેળ નથી. ડબલ એન્જિન સરકાર એટલે સંસાધનોનો યોગ્ય ઉપયોગ. ડબલ એન્જિનની સરકાર એટલે સંવેદનશીલતા. ડબલ એન્જિન સરકાર એટલે પ્રજાની શક્તિનો પ્રચાર. ડબલ એન્જિનની સરકાર એટલે સેવા. ડબલ એન્જિન સરકાર એટલે સંકલ્પોની પરિપૂર્ણતા અને ડબલ એન્જિન સરકાર એટલે સમૃદ્ધિ તરફ સંયુક્ત પ્રયાસો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ત્રિપુરા મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પીએમ

પ્રધાનમંત્રીએ કહ્યું કે 21મી સદીમાં ભારતને આધુનિક બનાવનારા યુવાનો મળ્યા, તેના માટે દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક ભાષામાં અભ્યાસ પર પણ એટલો જ ભાર આપવામાં આવી રહ્યો છે. હવે ત્રિપુરાના વિદ્યાર્થીઓને પણ મિશન-100, ‘વિદ્યા જ્યોતિ’ અભિયાનની મદદ મળવા જઈ રહી છે. ત્રિપુરા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અહીં બનેલી વાંસની સાવરણી, વાંસની બોટલો, આવા ઉત્પાદનો માટે દેશમાં એક વિશાળ બજાર ઉભું થઈ રહ્યું છે. જેના કારણે હજારો સાથીદારોને વાંસની વસ્તુઓના ઉત્પાદનમાં રોજગાર, સ્વરોજગારી મળી રહી છે.

નવા સંકલિત ટર્મિનલ પર 450 કરોડનો ખર્ચ થયો

આશરે રૂ. 450 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ મહારાજા બીર બિક્રમ એરપોર્ટનું નવું સંકલિત ટર્મિનલ બિલ્ડીંગ, આધુનિક સુવિધાઓ સાથે 30,000 ચો.મી.માં ફેલાયેલી અત્યાધુનિક ઇમારત છે અને અદ્યતન આઇટી નેટવર્ક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ દ્વારા સપોર્ટેડ છે. નવા ટર્મિનલ બિલ્ડીંગનો વિકાસ સમગ્ર દેશના તમામ એરપોર્ટ પર આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની વડાપ્રધાનની પહેલને અનુરૂપ છે.

વિદ્યાજ્યોતિ શાળાઓનું પ્રોજેક્ટ મિશન 100 શું છે

વિદ્યાજ્યોતિ સ્કૂલ પ્રોજેક્ટ મિશન 100નો ઉદ્દેશ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને 100 વર્તમાન ઉચ્ચ માધ્યમિક શાળાઓને અત્યાધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે વિદ્યાજ્યોતિ વિદ્યાલયમાં રૂપાંતરિત કરવાનો છે. આ પ્રોજેક્ટમાં નર્સરીથી 12મા ધોરણ સુધીના લગભગ 1.2 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે અને આગામી ત્રણ વર્ષમાં આશરે રૂ. 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

શું છે મુખ્ય પ્રધાન ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના

મુખ્ય પ્રધાન ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામ્ય સ્તરે મુખ્ય વિકાસ ક્ષેત્રોમાં સેવા વિતરણ માટે બેન્ચમાર્ક ધોરણો સુધી પહોંચવાનો છે. આ યોજના માટે પસંદ કરાયેલા મુખ્ય ક્ષેત્રોમાં ઘરના નળના જોડાણ, ઘરેલું વીજળી જોડાણ, દરેક ઋતુને અનુકુળ રસ્તાઓ, દરેક ઘર માટે શૌચાલય, દરેક બાળક માટે ભલામણ કરેલ રસીકરણ, સ્વ-સહાય જૂથોમાં મહિલાઓની ભાગીદારી વગેરેનો સમાવેશ થાય છે. આ યોજના ગામડાઓને વિવિધ ક્ષેત્રોમાં સેવા વિતરણ માટેના માપદંડો સુધી પહોંચવામાં મદદ કરીને અને પાયાના સ્તરે સેવા વિતરણમાં સુધારો કરવા માટે ગામડાઓમાં તંદુરસ્ત સ્પર્ધાની ભાવના પેદા કરીને લાભ કરશે.

આ પણ વાંચો: ગોવામાં ભાજપ હેટ્રિક સાથે જીત નોંધાવશે, તમામ 40 બેઠકો પર ચૂંટણી લડશે- પાર્ટીના મહાસચિવ સીટી રવિએ કર્યો દાવો

આ પણ વાંચોઃ કોરોના-ઓમિક્રોન સંકટ વચ્ચે આવતીકાલે મોદી કેબિનેટની મહત્વની બેઠક, મંત્રીઓ બેઠકમાં વર્ચ્યુઅલી સામેલ થશે

Next Article