AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવામાં ભાજપ હેટ્રિક સાથે જીત નોંધાવશે, તમામ 40 બેઠકો પર ચૂંટણી લડશે- પાર્ટીના મહાસચિવ સીટી રવિએ કર્યો દાવો

ગોવાની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે રસાકસીભરી સ્પર્ધા જોવા મળી શકે છે. 40 સીટોવાળી ગોવા વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે સમાપ્ત થશે.

ગોવામાં ભાજપ હેટ્રિક સાથે જીત નોંધાવશે, તમામ 40 બેઠકો પર ચૂંટણી લડશે- પાર્ટીના મહાસચિવ સીટી રવિએ કર્યો દાવો
CT Ravi - National General Secretary Of BJP
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 5:30 PM
Share

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ અને ગોવાના પાર્ટી પ્રભારી સીટી રવિએ (CT Ravi) મંગળવારે દાવો કર્યો હતો કે, આગામી ગોવા વિધાનસભા ચૂંટણીમાં (Goa Assembly Election) ભાજપ હેટ્રિક કરશે. તેમણે કહ્યુ કે, ભાજપ ચોક્કસપણે ગોવામાં હેટ્રિક જીત મેળવશે. તમામ સર્વે દર્શાવે છે કે પાર્ટી ફરી સત્તામાં આવશે અને આગામી ચૂંટણી જીતશે. સામાજિક સમરસતા, કાયદો અને વ્યવસ્થા અને વિકાસ જેવા મુદ્દાઓ પર અમે ગોવામાં ચૂંટણી લડીશું અને ફરી એકવાર સત્તામાં આવીશું.

તમામ સીટો જીતવાનો પ્રયાસ કરીશું

બીજેપી નેતા રવિએ કહ્યું, અમે 40 સીટો પર ચૂંટણી લડીશું અને તમામ સીટો જીતવાનો પ્રયાસ કરીશું. અમારી કેડર તેના પર કામ કરી રહી છે અને તેમનું નેટવર્ક સારું છે. દરેક વિધાનસભા મતવિસ્તારના સમાવેશના આધારે અમે 100 ટકા જીતનો લક્ષ્યાંક હાંસલ કરી શકીશું. ગોવા વિધાનસભા સત્રમાં આમ આદમી પાર્ટી (AAP) મુખ્ય વિપક્ષ હોવા અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, તેમની પાસે જમીન પર કંઈ નથી.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને AAP માત્ર પોસ્ટરોમાં જ દેખાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ કંઈ કરી રહ્યા નથી, નેતાઓ પણ નહીં. ગોવામાં આમ આદમી પાર્ટી શું છે? તે નેતા વિનાનો પક્ષ છે, મતદાર વિનાનો પક્ષ છે. તેઓ કેવી રીતે જીતી શકે? ભાજપ કેડર આધારિત પાર્ટી છે, અમારી પાસે મતદારો પણ છે. અમે કામ કર્યું છે અને સારું કામ કરી રહ્યા છીએ, તેથી અમે નંબર વન પર છીએ. વિપક્ષમાં કોણ આવશે તે મને ખબર નથી, પરંતુ ભાજપ સત્તામાં આવશે અને મને તેના વિશે 100% ખાતરી છે.

ગોવાના લોકો ટીએમસીના બંગાળ મોડલને સ્વીકારશે નહીં

તેમણે TMC પર વધુ નિશાન સાધતા કહ્યું કે, ગોવાના લોકો પશ્ચિમ બંગાળ મોડલને સ્વીકારશે નહીં. રવિએ કહ્યું, ટીએમસી પશ્ચિમ બંગાળ મોડલમાં ગોવામાં પહોંચી છે, મને લાગે છે કે પશ્ચિમ બંગાળ મોડલને ગોવાના લોકો સ્વીકારશે નહીં. તેમનું અરાજકતાનું મોડેલ એક ભ્રષ્ટ મોડેલ છે. એક સંસ્કારી નાગરિક તેને ક્યારેય સ્વીકારશે નહીં.

ગોવામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી છે

રવિએ કહ્યું, ભાજપને વિશ્વાસ છે કે પાર્ટી સરકાર બનાવી રહી છે કારણ કે અમે કર્યું છે અને અમે સારું કામ કરી રહ્યા છીએ. 50 વર્ષમાં થયેલા વિકાસ કરતા છેલ્લા 10 વર્ષમાં થયેલા વિકાસના કામો વધુ હતા અને તેના આધારે અમે ચૂંટણી જીતીશું.

ડૉ. પ્રમોદ સાવંતના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’નો મુદ્દો લઈને અમે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે. અગાઉ મનોહર પર્રિકર હતા અને તેમણે વિકાસનું સારું કામ કર્યું છે. ગોવાની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે રસાકસીભરી સ્પર્ધા જોવા મળી શકે છે. 40 સીટોવાળી ગોવા વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે સમાપ્ત થશે.

આ પણ વાંચો : કોરોના-ઓમિક્રોન સંકટ વચ્ચે આવતીકાલે મોદી કેબિનેટની મહત્વની બેઠક, મંત્રીઓ બેઠકમાં વર્ચ્યુઅલી સામેલ થશે

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પર કોરોનાનું ગ્રહણ, ચૂંટણી પંચ રેલીઓના નિયમો કડક કરી શકે છે, મતદારોને મળશે છૂટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">