ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદીનો હુંકાર, “હવે તો વિપક્ષ પણ કહે છે NDA સરકાર 400 પાર”

ભારતીય જનતા પાર્ટીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું રવિવારે સમાપન થયુ. દિલ્હીના પ્ર઼ગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં તેનું આયોજન કરવામાં આવ્યુ છે. પીએમ મોદીએ સમાપન સત્રમાં સંબોધન કર્યુ.

Follow Us:
| Updated on: Feb 18, 2024 | 4:27 PM

ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનુ રવિવારે સમાપન થયુ. દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં તેનું આયોજન કરવામાં આવ્યુ છે. પીએમ મોદીએ સમાપન સત્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆતમાં જૈન મુનિ વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ આપી.

જૈન મુનિને શ્રદ્ધાંજલિ આપતા સમયે ભાવુ થયા પીએમ મોદી

આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા અને કહ્યુ આ મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. હું એમને અનેકવાર મળ્યો છુ. હજુ થોડા મહિના પહેલા મે મારા નિયત કાર્યક્રમને બદલ્યો અને સવાર-સવારમાં તેમને મળવા પહોંચી ગયો હતો. ત્યારે ખબર ન હતી કે હું તેમને ફરી ક્યારેય મળી નહીં શકુ. આજે સમગ્ર દેશવાસી તરફથી સંત શિરોમણી આચાર્ય 108 પૂજ્ય વિદ્યાસાગર મહારાજને શ્રદ્ધાપૂર્વક આદર નમન કરતા શ્રદ્ધાંજલિ આપુ છુ. આટલુ બોલતા પીએમ મોદીનું ગળુ ભરાઈ આવ્યુ અને ભાવુક થઈ ગયા થોડીવાર માટે તેમનુ સંબોધન પણ અટકાવી દીધુ હતુ.

આગામી 100 દિવસ સુધી વધુ જોશ અને ઉર્જા સાથે કરવાનુ છે કામ- PM મોદી

પીએમ મોદીએ આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓમાં જોશ ભરતા કહ્યુ ભાજપના કાર્યકર્તાઓ વર્ષના એકે એક દિવસ, 24 કલાક દેશની સેવામાં લાગેલા છે. પરંતુ હવે આગામી 100 દિવસ નવી ઉર્જા, નવી ઉમંગ, નવા ઉત્સાહ, નવો વિશ્વાસ અને નવા જોશ સાથે કામ કરવાનું છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

પીએમ મોદીએ કહ્યુ કે આજે 18 ફેબ્રુઆરી છે અને આ સમયમાં જે યુવાનો 18 વર્ષના પડાવ પર પહોંચ્યા છે. તેઓ દેશની 18મી લોકસભાની ચૂંટણી કરવાના છે. આગામી 100 દિવસ આપણે સહુએ લાગી જવાનુ છે. દરેક નવા મતદાતા. દરેક લાભાર્થી, દરેક વર્ગ, સમાજ, પરંપરા સહુની પાસે પહોંચવાનું છે. આપણે સહુનો વિશ્વાસ સંપાદિત કરવાનો છે. જ્યારે સહુનો પ્રયાસ હશે તો દેશની સેવા માટે સૌથી વધુ સીટો ભાજપને મળશે. આ બે દિવસોમાં જે ચર્ચા અને વિચાર વિમર્શ થયા છે. એ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણા સંકલ્પને વધુ દૃઢ કરનારી વાતો છે.

દેશ ના તો નાના સપના જોઈ શકે છે ના તો નાના સંકલ્પ લઈ શકે છે

પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા 10 વર્ષમાં ભારતે જે ગતિ હાંસલ કરી છે. મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવાનો જે નિર્ણય કર્યો છે. તે અભૂતપૂર્વ છે. ભારત આજે દરેક ક્ષેત્રમાં જે ઉંચાઈ હાંસિલ કરી છે તેણે દરેક દેશવાસીને એક મોટા સંકલ્પ સાથે જોડી દીધુ છે. આ સંકલ્પ છે વિકસીત ભારતનો. હવે દેશ ન તો નાના સપના જોઈ શકે છે ન તો નાના સંકલ્પ લઈ શકે છે. સપના પણ વિરાટ હશે અને સંકલ્પ વિરાટ હશે. આ અમારુ સપનુ પણ છે અને સંકલ્પ પણ છે કે અમે ભારતને વિકસીત કર્યુ છે. તેમણે કહ્યુ આજે વિપક્ષના નેતા પણ NDA સરકાર 400 પારના નારા લાગાવી રહ્યા છે અને NDAને 400 પાર કરાવવા માટે ભાજપ 370નો માઈલસ્ટોન પાર કરવો પડશે.

આ પણ વાંચો: છોટાઉદેપુરની 283 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, શું આવી રીતે ભણશે ગુજરાત? – વીડિયો

પીએમ મોદીએ કહ્યુ અમે તો છત્રપતિ શિવાજીને માનનારા લોકો છીએ. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો તો તેમણે એવુ ન વિચાર્યુ કે સત્તા મળી ગઈ તો ચાલો તેનો આનંદ લો. તેમણે મિશન જારી રાખ્યુ. હું મારા સુખ-વૈભવ માટે જીવનારો વ્યક્તિ નથી. હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ, સત્તા માટે નથી માગી રહ્યો. હું રાષ્ટ્રનો સંકલ્પ લઈને નીકળેલો વ્યક્તિ છું.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">