Gujarati NewsNationalPm modi addresses rally in assams gohpur says opposition has started hating nation
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં સંબોધન કરતા કહ્યું, કોંગ્રેસની પાસે દેશને લૂંટનારાઓની મોટી ફોજ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસમના ગોહપુરની એક ચૂંટણીસભાને સંબોધન કર્યુ હતુ. તેમને કહ્યું કે, દેશના હિતની રક્ષા આ ચોકીદાર જ કરી શકે છે. વિપક્ષની હાલત એટલી ખરાબ છે કે, તે ચોકીદારને નફરત કરતા કરતા દેશને નફરત કરવા લાગ્યા છે. શું ભારતનો વિરોધ કરનાર, નફરત કરનાર લોકોનો સાથ આપશે? શું આવા લોકો અસમનું ભલુ કરી શકે છે? […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસમના ગોહપુરની એક ચૂંટણીસભાને સંબોધન કર્યુ હતુ. તેમને કહ્યું કે, દેશના હિતની રક્ષા આ ચોકીદાર જ કરી શકે છે. વિપક્ષની હાલત એટલી ખરાબ છે કે, તે ચોકીદારને નફરત કરતા કરતા દેશને નફરત કરવા લાગ્યા છે.
શું ભારતનો વિરોધ કરનાર, નફરત કરનાર લોકોનો સાથ આપશે? શું આવા લોકો અસમનું ભલુ કરી શકે છે? શું આવા લોકો ઘુસણખોરોને રોકી શકે છે? વડાપ્રધાન મોદીએ સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આ ચોકીદારથી તમને પ્રેમ છે અને તેઓને ડર છે. કોંગ્રેસની પાસે એવા લોકોની ફોજ છે કે જેમને દેશને લુંટવાનુ કામ કર્યુ છે. તેમને કહ્યું કે અસમના લોકોએ એક વડાપ્રધાનને તક આપી હતી, પરંતુ તે એવા હતા કે અસમના લોકોને યાદ પણ નથી.
આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે, 10 લાખ કિસાન પરિવારોને કિસાન સમ્માન નિધિની પહેલી રકમ મળી ગઈ છે અને બાકી રહેલા પરિવારોને જલ્દી જ મળી જશે. 11 એપ્રિલના રોજ તમારી પાસે ચોકીદારને મજબૂત કરીને દેશના દલાલો અને ઘુસણખોરોને સીધા કરવાનો અવસર છે. વડાપ્રધાન મોદીએ રેલીમાં ‘મેં ભી ચોકીદાર’ ના નારા લગાવ્યા હતા.