PM કિસાન યોજનાને 24 ફેબ્રુઆરીએ પુરા થશે 4 વર્ષ, જાણો આ દિવસે શું નવુ થવાનું છે

2019 માં મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં ખેડૂતોને લઘુત્તમ આવક સહાય તરીકે પ્રતિ વર્ષ 6,000 રૂપિયા સુધી રકમ મળે છે.

PM કિસાન યોજનાને 24 ફેબ્રુઆરીએ પુરા થશે 4 વર્ષ, જાણો આ દિવસે શું નવુ થવાનું છે
PM Kisan Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 3:17 PM

ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો 24 ફેબ્રુઆરીથી આગામી લોકસભા ચૂંટણી માટે તેના પ્રચારનો પ્રારંભ કરશે. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી સરકારની, પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાના ચાર વર્ષ પૂરા થાય છે. 24 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સુધી પહોંચવા માટે દેશભરમાં કિસાન સંમેલનનું આયોજન કરશે. જ્યારે, ભાજપના કિસાન મોરચાના સભ્યો દેશભરમાં કિસાન સંમેલનો અને આવા અન્ય કાર્યક્રમો દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ સાથે કિસાન મોરચાના સભ્યો સંવાદ કરશે અને ખેડૂતોને મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતગાર કરશે.

કિસાન મોરચાના એક અધિકારીએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમે પીએમ સન્માન નિધિના લાભાર્થીઓ સાથે વાતચીત કરીશું. આ સાથે ખેડૂતો સંમેલન કાર્યક્રમોનું આયોજન કરાશે અને તેમના પ્રતિભાવ પણ લેવાશે. ભાજપના કિસાન મોરચા સાથે જોડાયેલા ખેડૂતો સુધી પહોંચવા માટે એક તાલીમ કાર્યક્રમના ભાગરૂપે દિલ્લીમાં સોશિયલ મીડિયા અને કુદરતી ખેતીની માટે ટીમો બનાવવામાં આવશે. આ સાથે દેશના એક લાખ ગામડાઓમાં જનજાગૃતિ પ્રવાસનું આયોજન કરવામાં આવશે.

લોકકલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોંચી છે

2019માં મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ કરવામાં આવી હતી. જ્યાં ખેડૂતોને લઘુત્તમ આવક સહાય તરીકે દર વર્ષે 6,000 રૂપિયા સુધી મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 26 ફેબ્રુઆરીએ બીજેપી કિસાન મોરચાના સભ્યો દેશના વિવિધ ભાગોમાં ખેડૂતોની વચ્ચે રહેવા અને તેમની સાથે “મન કી બાત” સાંભળવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કિસાન મોરચાને ખેડૂતલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. ભાજપ કિસાન મોરચાના સદસ્યએ કહ્યું કે, તેમણે સરકાર અને ખેડૂતો વચ્ચે સેતુની ભૂમિકા ભજવવી જોઈએ, જેથી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચી શકે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જેપી નડ્ડા અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર રહેશે હાજર

આ સાથે દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભાજપ કિસાન મોરચા દ્વારા પદયાત્રા અને સેમિનાર જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. નદી કિનારે ઓર્ગેનિક ખેતીની પદ્ધતિથી ખેડૂતને જોડવા માટે વધુ એક અભિયાન ચલાવવામાં આવશે. તેનું ઉદ્ઘાટન આ મહિનાના અંતમાં અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં યુપીના મુઝફ્ફરનગરના શુક્રતાલ ખાતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કરવામાં આવશે.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">