AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM કિસાન યોજનાને 24 ફેબ્રુઆરીએ પુરા થશે 4 વર્ષ, જાણો આ દિવસે શું નવુ થવાનું છે

2019 માં મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં ખેડૂતોને લઘુત્તમ આવક સહાય તરીકે પ્રતિ વર્ષ 6,000 રૂપિયા સુધી રકમ મળે છે.

PM કિસાન યોજનાને 24 ફેબ્રુઆરીએ પુરા થશે 4 વર્ષ, જાણો આ દિવસે શું નવુ થવાનું છે
PM Kisan Yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 3:17 PM
Share

ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો 24 ફેબ્રુઆરીથી આગામી લોકસભા ચૂંટણી માટે તેના પ્રચારનો પ્રારંભ કરશે. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી સરકારની, પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાના ચાર વર્ષ પૂરા થાય છે. 24 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સુધી પહોંચવા માટે દેશભરમાં કિસાન સંમેલનનું આયોજન કરશે. જ્યારે, ભાજપના કિસાન મોરચાના સભ્યો દેશભરમાં કિસાન સંમેલનો અને આવા અન્ય કાર્યક્રમો દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ સાથે કિસાન મોરચાના સભ્યો સંવાદ કરશે અને ખેડૂતોને મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતગાર કરશે.

કિસાન મોરચાના એક અધિકારીએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમે પીએમ સન્માન નિધિના લાભાર્થીઓ સાથે વાતચીત કરીશું. આ સાથે ખેડૂતો સંમેલન કાર્યક્રમોનું આયોજન કરાશે અને તેમના પ્રતિભાવ પણ લેવાશે. ભાજપના કિસાન મોરચા સાથે જોડાયેલા ખેડૂતો સુધી પહોંચવા માટે એક તાલીમ કાર્યક્રમના ભાગરૂપે દિલ્લીમાં સોશિયલ મીડિયા અને કુદરતી ખેતીની માટે ટીમો બનાવવામાં આવશે. આ સાથે દેશના એક લાખ ગામડાઓમાં જનજાગૃતિ પ્રવાસનું આયોજન કરવામાં આવશે.

લોકકલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોંચી છે

2019માં મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ કરવામાં આવી હતી. જ્યાં ખેડૂતોને લઘુત્તમ આવક સહાય તરીકે દર વર્ષે 6,000 રૂપિયા સુધી મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 26 ફેબ્રુઆરીએ બીજેપી કિસાન મોરચાના સભ્યો દેશના વિવિધ ભાગોમાં ખેડૂતોની વચ્ચે રહેવા અને તેમની સાથે “મન કી બાત” સાંભળવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કિસાન મોરચાને ખેડૂતલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. ભાજપ કિસાન મોરચાના સદસ્યએ કહ્યું કે, તેમણે સરકાર અને ખેડૂતો વચ્ચે સેતુની ભૂમિકા ભજવવી જોઈએ, જેથી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચી શકે.

જેપી નડ્ડા અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર રહેશે હાજર

આ સાથે દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભાજપ કિસાન મોરચા દ્વારા પદયાત્રા અને સેમિનાર જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. નદી કિનારે ઓર્ગેનિક ખેતીની પદ્ધતિથી ખેડૂતને જોડવા માટે વધુ એક અભિયાન ચલાવવામાં આવશે. તેનું ઉદ્ઘાટન આ મહિનાના અંતમાં અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં યુપીના મુઝફ્ફરનગરના શુક્રતાલ ખાતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કરવામાં આવશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">