કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ક્રુર મુગલ શાસક ઔરંગઝેબ વિશે પાકિસ્તાનમાં બાળકોને શું ભણાવવામાં આવે છે?- વાંચો
જે પાકિસ્તાન મુગલ બાદશાહ અકબરને નફરતથી જુએ છે એ જ પાકિસ્તાન ઔરંગઝેબ વિશે તેમના બાળકોને શું ભણાવે છે તે જાણવુ પણ એટલુ જ જરૂરી છે. ભારતમાં કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ઔરંગઝેબને પણ શું અકબરની જેમ પાકિસ્તાનમાં નફરતભરી નજરથી જોવામાં આવે છે? કે સન્માન કરવામાં આવે છે? વાંચો

ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઓરંગઝેબના નામ પર બબાલ મચેલી છે. તો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં તો હિંસા પણ શરૂ થઈ ગઈ છે. આ હિંસા પાછળ બે વર્ગો વચ્ચે વિચારધારાની લડાઈ છે. જ્યાં એક પક્ષ ઓરંગઝેબને મહાન બતાવી રહ્યો છે તો બીજો પક્ષ તેને ક્રુર અત્યાચારી ગણાવી તેની કબર ને તોડી નાખવા પર અડેલો છે. ભારતમાં ઓરંગઝેબને લઈને ભારે વિવાદનુ વાતાવરણ છે. પરંતુ તમે કદાચ નહીં જાણતો હો કે પાકિસ્તાનના બાળકોને ઓરંગઝબ વિશે શું ભણાવવામાં આવી રહ્યુ છે? પાકિસ્તાનના પુસ્તકોમાં જ્યા એકતરફ અકબરને મહાન મુગલ બાદશાહ તો ગણાવાયો છે પરંતુ તેના વિશ નફરતભરેલી વાતો લખવામાં આવી છે. જ્યારે ઓરંગઝેબે ધર્મને સૌથી ઉપર રાખનારો એક મહાન મુસ્લિમ શાસક ગણાવી સન્માન આપવામાં આવ્યુ છે. ઈતિહાસકારોમાં ઓરંગઝેબને લઈને એક દલીલ હંમેશા થતી રહી છે. એક મીડિયા સંસ્થાનના રિપોર્ટ અનુસાર જદુનાથ સરકાર જેવા...