UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

ભારતના વિદેશ પ્રધાન જયશંકરે યુનાઈટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં કહ્યું કે જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા છે તેમને રાજકીય ઓથ આપવામાં આવી રહી છે, ત્યારે આપણે તેમના બેવડા વલણને ખુલ્લુ પાડવામાં સંકોચ ન કરવો જોઈએ.

UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ
external affairs minister s jaishankar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 7:36 AM

ભારતે ગુરુવારે યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો બેરોકટોક તેમની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અને તેમને આ માટે રાજકીય સુરક્ષા પણ મળી રહી છે. જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલા છે તેમને સુવિધાઓ આપનારાઓના બેવડા વલણનો પર્દાફાશ કરવા હાકલ કરી હતી.

આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે ખતરાના વિષય પર, યુએન સિક્યુરિટી કાઉન્સિલની એક ઉચ્ચ સ્તરીય બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા વિદેશ પ્રધાન એસ જયશંકરે (External Affairs Minister Dr S Jaishankar) જણાવ્યું હતું કે પ્રતિબંધિત હક્કાની નેટવર્કની પ્રવૃત્તિઓમાં વધારો થવો તે ચિંતાને વિષય છે. વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, ISIL-Khorasan (ISIL-K) અમારા પાડોશમાં વધુ શક્તિશાળી બન્યું છે અને સતત તેને ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનના ઘટી રહેલા ઘટનાક્રમથી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંબધે વૈશ્વિકસ્તરે ચિંતાનો વધારો થવો સ્વાભાવિક છે.

લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ બેખોફ

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે તે અફઘાનિસ્તાન કે ભારત વિરુદ્ધ, લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) અને જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) જેવા આતંકી જૂથો સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. જેના કારણે તેઓ તેમની આતંકી પ્રવૃતિ રોકટોક વિના ચલાવી રહ્યા છે. વિદેશ પ્રધાને કહ્યું કે આપણે ક્યારેય આતંકવાદીઓને સલામત આશ્રયસ્થાન પૂરું પાડવું જોઈએ નહીં અથવા તેમની વધેલી તાકાતને અવગણવી જોઈએ નહીં.

પાકિસ્તાનનું નામ લીધા વિના જ વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ કે, જ્યાં યુએન પ્રતિબંધિત આતંકવાદીઓ અને આતંકવાદી જૂથો કથિત રીતે સુરક્ષિત આશ્રયસ્થાન શોધી કાઢે છે અને સરકારી સહાયનો લાભ પણ લે છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે આપણે એવા લોકોને જોઈએ છીએ કે જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલા છે. તે લોકોને રાજકીય આશ્રય અને મહેમાનગતિ કરવામાં આવી રહી છે, ત્યારે અમે તેમના બેવડા વલણને ઉજાગર કરવામાં સહેજે પણ સંકોચ ન કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Healthy Chapati: સાદી રોટલી ખાઈ કંટાળી ગયા છો તો હવે આ પ્રકારની રંગબેરંગી અને હેલ્ધી રોટલી બનાવો

આ પણ વાંચોઃ Droneની મદદથી અમૃતસરમાં ફેંક્યા હથિયાર અને RDX ભરેલો ટિફિન બોમ્બ, NIAએ શરૂ કરી તપાસ

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">