AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: હિજાબ વિવાદ પર મહેબૂબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું કે ચૂંટણીના ફાયદા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે 'મને ડર છે કે ભાજપ માત્ર હિજાબ પર જ નહીં અટકે, તે મુસ્લિમોના અન્ય પ્રતીકોને પણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે'.

Jammu Kashmir: હિજાબ વિવાદ પર મહેબૂબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું કે ચૂંટણીના ફાયદા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે
PDP Chief Mehbooba Mufti (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:02 PM
Share

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) હિજાબ વિવાદને (Hijab) લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ‘મને ડર છે કે ભાજપ માત્ર હિજાબ પર જ નહીં અટકે, તે મુસ્લિમોના અન્ય પ્રતીકોને પણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે’. ભાજપ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે ભારતીય મુસ્લિમો માટે માત્ર ભારતીય હોવું પૂરતું નથી, તેઓ પણ ભાજપ સાથે જોડાયેલા હોવા જરૂરી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ પુલવામામાં કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ પહેરવાનો અને ખાવાનો અધિકાર છે. તે પોતાની ધાર્મિક માન્યતાઓને અનુસરવા માટે સ્વતંત્ર છે. કેટલાક કટ્ટરપંથી તત્વો છે, જે લોકોને સાંપ્રદાયિક ધોરણે વહેંચીને ચૂંટણી જીતવાના પ્રયાસમાં એક ધર્મ પર હુમલો કરી રહ્યા છે.

ઉત્તર કાશ્મીરના લદરવન (કુપવાડા) ખાતે પાર્ટીના કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભાજપ દેશભરમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ તરફ વળેલું છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડની ચૂંટણીઓને જોતા આપણે કહી શકીએ કે ભાજપે હિજાબ વિવાદને માત્ર ચૂંટણીલક્ષી લાભ માટે ષડયંત્રના ભાગરૂપે ઉશ્કેર્યો છે. જમ્મુ અને કાશ્મીરના સીમાંકનનો ડ્રાફ્ટ પણ દેશના વિવિધ ભાગોમાં ચૂંટણીના ફાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

મુસ્લિમ ડ્રેસ કોડ સંસ્કૃતિનો એક ભાગ- મહેબૂબા મુફ્તી

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે દેશભરના તમામ રાજકીય નેતાઓએ ભાજપ વિરુદ્ધ એક થવું જોઈએ. હિજાબને લઈને જે વિવાદ ઊભો થયો છે તેનાથી વિદ્યાર્થિનીઓને ડરવું જોઈએ નહીં. મુસ્લિમ ડ્રેસ કોડ સંસ્કૃતિનો એક ભાગ છે. ભાજપ અને આરએસએસ ગાંધીજીના ભારતને ગોડસેના ભારતમાં રૂપાંતરિત કરવા માંગે છે. તે દરેકનું જીવન મુશ્કેલ બનાવવા પર તત્પર છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવાના ઈરાદે હિજાબનો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે.

સીમાંકન આયોગ પર આરોપ

સીમાંકનના પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું કે સીમાંકન પંચના સૂચિત વચગાળાના અહેવાલે અરાજકતા સર્જી છે, જેનો ફાયદો માત્ર ભાજપને જ થાય છે. માત્ર કાશ્મીરમાં જ નહીં, રાજૌરી-પૂંચ, ડોડા અને જમ્મુના લોકો પણ આ રિપોર્ટથી નાખુશ છે. રાજૌરી-પુંછને 2026 પછી અલગ કરવું જોઈએ. આ સિવાય રાજૌરી, પૂંચ અને ડોડા-કિશ્તવાડ માટે પણ બે અલગ-અલગ સાંસદ હોવા જોઈએ. ભાજપ માત્ર પોતાના ફાયદા માટે દેશની જનતામાં ભાગલા પાડી રહી છે.

આ પણ વાંચો : Statue Of Equality: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું કર્યું અનાવરણ

આ પણ વાંચો : મણિપુરની આ જગ્યાઓ જોયા વગર સફર રહેશે અધૂરી, અહીં હતું આઝાદ હિંદ ફોજનું હેડક્વાર્ટર

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">